મંગળવાર, 14 જૂન, 2022

🙍વિષક્ન્યા યોગ

 આ રીતે વિષ્કન્યા યોગ ક્યારે થાય ??

જો કોઈ કન્યાનો જન્મ મંગળવારે સપ્તમી તિથિ અને આષ્લેશા, શતાભિશા અથવા વિશાખા નક્ષત્રમાં થાય છે, તો આ પ્રકારનો યોગ વિષકન્યા થાય છે.
જો કોઈ કન્યાનો જન્મ રવિવાર
, મંગળવાર અને શનિવારે 2, 7 અને 12 તીથી અને આષ્લેશા, શતભિશા કે કૃતિકા નક્ષત્રમાં થયો હોય, તો તેને વિષક્ન્યા યોગ કહેવામાં આવે છે.

જો કન્યાનો જન્મ મંગળવારે આષ્લેશા, વિશાખા અથવા શતાભિષ નક્ષત્રમાં સપ્તમી તિથિ માં થાય છે, તો આ પ્રકારનો યોગ વિષકન્યા યોગ બનાવે છે. 

આવી સ્ત્રીઓએ લગ્ન પહેલાં વટસાવિત્રીનું વ્રત અવશ્ય કરવું જોઈએ,

જો બીજ તીથી શનિવારે છોકરી આષ્લેષા નક્ષત્રમાં જન્મે છે, તો આ પ્રકારના યોગને વિષક્ન્યા યોગ કહેવામાં આવે છે. 
પૂર્ણ જીવન દરમિયાન લગ્નજીવન માટે છોકરીને હમેશાં વિષ્ણુશાસ્ત્રનામનો પાઠ કરવો તેથી વિષકન્યા યોગની અસરમાં ઘટાડો થશે
, તેમજ સારા જ્યોતિષની સલાહ પણ લેવી.

જો દ્વાદશી તિથિના દિવસે મંગળવાર ના દિવસે શતાભિષ નક્ષત્રમાં કોઈ છોકરીનો જન્મ થાય છે, તો આવા યોગથી વિષ્કન્યા યોગની રચના થાય છે. 
આવી છોકરી ગુરુની પૂજા કરે છે તો જ તે તેના માટે લાભકારક સાબિત થશે.

જો કૃતિકા નક્ષત્રમાં સપ્તમી અને દ્વાદશી ના શનિવારે કોઈ છોકરીનો જન્મ થાય છે, તો તે વિષકન્યા  યોગ કહેવાય છે. તેની માટે જ્યોતિષ જાણકાર ની સલાહ લઈ ઉપાય કરવા.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો