ગુરુવાર, 7 જુલાઈ, 2022

🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું ?


🕉️જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું  ?


🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.

 🕉️આ વિષય ઉપર આજની પેઢી માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક તથા ઋતુ શાસ્ત્ર પ્રમાણે તથ્ય જણાવીશું.

🕉️તો આયુર્વેદિની દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવણમાં દૂધ અથવા દૂધમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની મનાઈ ફરમાવી છે, તેના વડે વાયુના રોગો સૌથી વધુ થાય છે. અને વાયુ – પિત્ત - કફના અસંતુલનથી બિમારીઓ ઉત્પન્ન થતી હોય છે.

🕉️ઋતુ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક દર્ષ્ટિથી જોતા શ્રાવણ મહિનામાં વર્ષાઋતુ હોય છે તથા ઋતુ પરિવર્તનને કારણે શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે. ભેજ વાળા વાતાવરણ ને કારણે જમીન ઉપર તથા વનસ્પતિ ઉપર અવનવા બેક્ટેરિયા જીવાણું વિષાણુંઓ પેદા થાય છે. અને આ જીવાત યુક્ત ઘાસ વનસ્પતિ ગાય ભેષ એમ દરેક દુધાળા પ્રાણીઓ આરોગે છે, જેના કારણે તેમનું દૂધ પણ જીવાણું અને વિષાણું યુક્ત હોય છે જે બીજી બધી ઋતુઓ માં હોતું નથી. 

🕉️અને માટે શારીરિક અને ઋતુ તથા વિજ્ઞાનિક ઢબ ને આધીન આપણા પુરાણોમાં શ્રાવણના સમયમાં શિવને દૂધ અર્પિત કરવાની પ્રથા બનાવવામાં આવી હતી. જેથી મનુષ્ય જાતક તે સમય માં આપો આપ જ દૂધ નું સેવન ઓછુ કરે અને નીરોગી રહે.

🕉️પહેલાના જમાનામાં જ્યારે શ્રાવણ મહિનામાં દરેક જગ્યાએ દૂધ ચઢાવાતું હતું. ત્યારે લોકો સમજી જતા હતા કે આ મહિનામાં દૂધ વિષ સમાન છે અને તેથી તેઓ દૂધનો ત્યાગ કરતા હતા, કે ક્યાંક તેઓ વરસાદની મોસમમાં બિમારીઓથી ઘેરાઈ ન જાય.


🕉️આની પાછળ ધાર્મિક કારણ પણ છે કે...

જયારે સમુદ્ર મંથન થયું તો એમાં હલાહલ વિષ નીકળ્યું, જે ત્રણેય લોક ને નષ્ટ કરી શકતું હતું. ત્યારે એ વિષ ને શિવજી એ ગાળામાં ગ્રહણ કરીને બધાનું મૃત્યુ બચાવ્યું હતું. પરંતુ હલાહલ વિષ પીધા પછી શિવજી ને તેની હાની થતી હતી, ત્યારે કોઈ ઋષિ એ એને દૂધ ની સાથે બીલીપત્ર ખવડાવાની વાત કરી. અને દેવી દેવતાઓ એ એવું જ કર્યું અને શિવ ને આ ઉપાય થી ખુબ આરામ પ્રાપ્ત થયો. ત્યાર થી શિવજી ને દૂધ બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરુ થઇ ગઈ.

🕉️🙏આમ વામપંથીઓ અને ગેર હિંદુઓ ના msg થી બેહ્કવું નહિ અને આપણી સંકૃતિ પ્રમાણે જ દરેક કાર્ય ને અનુસરવું જ આપણા માટે શ્રેષ્ઠ છે.


🙏🌹આ સાથે મારો એક અલગ લેખ હતો જે અહી ફરીથી ઉમેરું છુ કે શિવજી ને કેવું અને કઈ રીતે દૂધ અર્પણ કરવું જોઈએ...

 

🕉️શિવલિંગ અને દુધાભીષેક

🕉️મહાદેવ ના શિવલિંગ ઉપર આપણે નિત્ય મંદિરોમાં જોતા હોઈએ છીએ કે તાંબાના લોટામાં, પ્લાસ્ટિકની બોટલમાં અને ઘણા મહાન શિવભક્તો તો વળી ડાયરેક્ટ કોથળીને દાંતથી તોડીને શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે.😢 અને આ દુધાભીષેક શ્રાવણ માસ માં તો ખુબજ જોવા મળે છે.

🙏તો આવા દરેક શિવભક્તો માટે ખરેખર મહાદેવને કેવું દૂધ અને કેવા પાત્રમાં અર્પણ કરવામાં આવે તેનો ઉલ્લેખ શિવપુરાણમાં ખૂબ જ સુંદર રીતે આલેખાયેલો જોવા મળે છે તે અવશ્ય જાણવા સમજવા જેવો છે.


🌹તો હવે જોઈએ કે શિવલિંગ ઉપર કેવું દૂધ અર્પણ થાય.?❓

🔺તો શિવલિંગ ઉપર ફક્ત ગાયનું દૂધ અર્પણ થાય છે.

🔺જે ગાયને સવારે સૂર્ય ઉદય પહેલા દોહી લેવામાં આવે તે દૂધ અર્પણ થઈ શકે છે.

🔺જે ગાઈને સાજે સૂર્ય અસ્ત થાય તે પહેલા દોહી લેવામાં આવે તેવી ગાયનું દૂધ અર્પણ થાય છે.

🔺જે ગાયનું વાછરડું નાનું હોય અને તે ગાઈ ને ધાવતું હોય તેવી ગાયનું દુધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાતું નથી. જ્યારે તે વાછરડું ઘાસ ખાતું થઈ જાય અને ગાયનું દૂધ પીતું બંધ થાય ત્યાર પછી જ તે ગાયનું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાય છે.

🔺ગરમ કરવામાં આવેલ દૂધ ને ક્યારેય પણ અર્પણ કરી શકાતું નથી.

🔺દૂધ ને ક્યારેય પણ તાંબાના લોટામાં,પાલસ્ટિક ની બોટલમાં કે ડાયરેક્ટ કોથરી થી અર્પણ કરી શકાય નહીં.

🔺દૂધ ને ફક્ત અને ફક્ત ચાંદી અથવા કાંસા ના લોટા/પાત્રમાં જ અર્પણ કરી શકાય છે.

🙏અને આ રીતે લાવેલ દૂધ અને યોગ્ય પાત્ર થી શિવલિંગ ઉપર અર્પણ કરવું તે ને જ ધારા પૂજા કહેવામાં આવે છે.

🙏માટે મહેરબાની કરીને કોથરીના દૂધ અને તાંબા ના લોટામાં દૂધ ની ધારા શિવલિંગ ઉપર કરશો નહિ અને દોષ ના ભાગીદાર બનશો નહી.

🙏મહાદેવ તમારા એક લોટા પાણી માં પણ રાજીનો રેડ થઈ જાય છે.


🙏આ માહિતી ને  આપના સગા વ્હાલા મિત્ર મંડળ દરેક જગ્યા એ શેર કરવી જેથી યોગ્ય અભિષેક પૂજન શક્ય બને.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો