ગુરુવાર, 30 જૂન, 2022

મઘા ના મોઘા વરસાદ નું મહત્વ...


 

💢વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે.
મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસેમાતુ કે પરસે
એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. 
💢
વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે.
કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
💢આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા(કીડા)પડતા નથી.
💢આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.
પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
💢ખંભાત માં દરેક ઘરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હોતા હતા, અને હાલમાં પણ અમુક ઘરો માં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
💢એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે.
💢બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.
💢સૂર્ય એક નક્ષત્ર માં લગભગ ૧૪ દિવસ ભ્રમણ કરે છે.
જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્ય નું મઘા નક્ષત્ર માં ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨ બપોરે ૦૩:૧૭ સુધી રેહશે.
તો આ ૧૪ દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.
આ ૧૪ દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.

હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ????
💎
આખો ના કોઈ પણ રોગ માં આખો માં બે બે ટીપા નાખી શકાય.
💎પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે.
💎જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.
💎આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.
 
💦
આધ્યાત્મિક બાબતે મઘાના પાણીનો ઉપયોગ શું ?
💦
તો આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
💦મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે
💦શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે.
💦આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. માટે ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭:૨૪ થી ૩૧/૦૮/૨૦૨૨ બપોરે ૦૩:૧૭ સુધી મઘા નક્ષત્ર ના આ ૧૪ દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.
મઘા નો વરસાદ મોઘો છે જેને ચુકતા નહિ.

💧વર્ષા ઋતુ માટે કેહવાય છે કે ખેતી માટે સ્વાતિ અને ને સંગહ માટે મઘા..

💧મધા નક્ષત્ર નુ પાણી સંગ્રહ કરવું જેથી એમા જીવાત કે લિલ આવતી નથી.

મઘા માં પડે જો વરસાદ તો થાય ધાન ના ઢગા બારે માસના ૨૭ નક્ષત્રો માં સૂર્ય નું ભ્રમણ ખાસ નક્કી તારીખો માંજ હોય છે. જેની અવધિ અંદાજિત ૧૨ થી ૧૪ દિવસ ની હોય છે.

બીજુ ખાસ એ કે વરસાદના દરેક નક્ષત્રોમા વરસેલ પાણીના ગુણધર્મો અને સ્વાદ અલગ અલગ હોય છેજેનો અનુભવ આપણને થતો નથી કે કરતા નથીતે પણ એક હકીકત છે.


👉🏿પાણી સંગ્રહના નક્ષત્રો પુષ્યઆશ્ર્લેષામઘા(શ્રેષ્ઠ)હસ્ત અને સ્વાતિ છે.

 

🌧️મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?

🌧️અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય છે  

અગત્સ્ય માટે કહ્યું છે.... 

उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि ||

ह्रदयानि सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||


જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય .

🌧️અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાલુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે 

🌧️પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻
ૐ નમો નારાયણ🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો