બુધવાર, 22 જૂન, 2022

નિત્ય માતા પિતાને પગે લાગવા માત્રથી જ કુંડલીના આ બંને ગ્રહો શુભ ફળ આપે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.


ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.

કુંડળીમાં સૌથી અહમ ગણાતા ૨ ગ્રહો છે ચંદ્ર અને સૂર્ય.
નિત્ય માતા પિતાને પગે લાગવા માત્રથી જ કુંડલીના આ બંને ગ્રહો શુભ ફળ આપે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
3 થી 6 મહિના આ ટચુકડો પ્રયોગ જાતે જ કરીને અનુભવી લેવો જેના કેવા ને કેટલા ને કઈ પ્રકારના શુભ ફળો જીવનમાં મળશે તે કલ્પી શકાય તેમ નથી.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો