ગુરુવાર, 16 જૂન, 2022

🌐 ધર્મસિંધુ અનુસાર કાળના ભેદ જાણવો.

🕙કાળ છ પ્રકાર ના છે - વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અને દિવસ એ ભેદોવડે છ પ્રકારના જાણવા. ચાંદ્ર, સૌર, સાવન, નાક્ષત્ર, અને બાર્હસ્પત્ય એ ભેદાવડે વર્ષ પાંચ પ્રકારનાં છે. 

🕙સૃદિ એકમથી અમાવાસ્યા લગી જે દિવસ - તે એક માસ, 

🕙એ રીતે ચૈત્રથી ફાગણ સુધી ૧૨ મહિના અને તેના ૩૫૪ દિવસવડે તેમજ અધિકમાસ છતાં તેર માસ વડે ચાંદ્રવર્ષ થાય છે. (પ્રભવ, વિભવ, શુકલ, ઇત્યા

🕙દિક જે સાઠ નામો તે ચાંદ્ર વર્ષનાજ છે.) 

🕙મેષાદિક ૧૨ સંક્રાંતિ સૂર્ય ભોગવ્યા છતાં ૩૬૫ દિવસે જે વર્ષ પુર્ણ થાય છે તેને સૌરવર્ષ કહે છે. ૩૬૦ દિવસેાનું જે વર્ષે તેને સાવનવર્ષ કહે છે. 

🕙આગળ કહેવાના છે એવા ભાર નાક્ષત્રમાસ થયાથી જે વર્ષ થાય છે તેને નાક્ષત્રવર્ષ કહે છે,અને ૩૨૪ દિવસોનું થાય છે. 

🕙મેષાદિક બાર રાશિમાંથી મેષાદિક(મેષ થી મીન) અકેક રાશિ બૃહસ્પતિ/ગુરુ ભોગવે/ભ્રમણ કરે અને જે વર્ષ થાય છે તેને બાહઁસ્પત્યવર્ષ કહે છે, અને તે વર્ષે ૩૬૧ દિવસોનું થાય છે.

🕙કર્માદિકાના સંકલ્પમાં ઉચ્ચાર કરવા તે ચાંદ્રવર્ષ નોજ કરવો, બીજા વર્ષને નહીં, 

🕙અયન બે પ્રકારનાં—એક દક્ષિણાયન, અને બીજું ઉત્તરાયણ, સૂર્યની કર્કસંક્રાંતિ થી ધનસંક્રાંતિ સુધી દક્ષિણાયન અને મકરસંક્રાંતિ થી મિથુનસંક્રાંતિલગી ઉત્તરાયણ.

🕙ઋતુ બે પ્રકારની - સૌર ઋતુ, અને ચાંદ્ર ઋતુ. 

મીનસંક્રાંતિથકી અથવા મેષસંક્રાંતિથકી બે બે ડરાશી સૂર્ય ભોગવે એટલે અકેક ઋતુ, એ રીતે સંક્રાંતિઉપરથી વસંતાદિક જે છ ઋતુ તે સૌર ઋતુ. ચૈત્રથકી આરંભ કરી બે બે માસની અકેક ઋતુ, એ રીતે માસ પ્રમાણે વસંતાદિક જે છ ઋતુ તે ચાંદ્ર ઋતુ, અધિકમાસ છતાં કાંઇએક કમતી નેવું દિવસોવડે ચાંદ્ર ઋતુ થાય છે. 

સ્રોત સ્માર્તઆદિ સંકલ્પ સમયે ચાંદ્ર ઋતુનો ઉચ્ચાર કરવા એ મુખ્ય છે.

🕙માસ ચાર પ્રકારના – ચાંદ્ર માસ, સૌર માસ, સાવન માસ અને નાક્ષત્ર માસ. 

🕙શુદિ એકમથી અમાવાસ્યા લગી અથવા વદ એકમથી પૂનમલગી જે માસ તે ચાંદ્ર માસ. તેમાં શુદિ એકમથી અમાવાસ્યા લગી જે માસ તેજ મુખ્ય. 

🕙વદ એકમથી પૂનમ સુધી માસ વિધ્યાચલ પર્વતના ઉત્તર ભાગમાંજ લેવા. 

🕙શ્રોતાદિક કર્મોના સંકલ્પ સમયે ચૈત્રાદિક માસ એજ લેવા. 

🕙મીનસક્રાંતિથકી સંક્રાંતિ પ્રમાણે જે સૌર માસ તેમના ચૈત્રાદિક નામેા છે એમ કેટલાએક કહે છે. 

🕙સૂર્યની સંક્રાંતિથકી આવતી સૂર્યસંક્રાંતિના આરંભસુધી જે માસ તે સૌર માસ. ૩૦ દિવસનો તે સાવન માસ. 

🕙અશ્વિની થકી રેવતી લગી સત્તાવીસ નક્ષત્ર ચંદ્રે ભાગવ્યા છતાં જે માસ તે નાક્ષત્ર માસ.

🕙શુદિ એકમથી પૂનમલગી જે દિવસ તે શુકલપક્ષ, વદ એકમથી અમાવાસ્યા પર્યંત જે દિવસ તે કૃષ્ણપક્ષ. ૬૦ ઘડીનો તે દિવસ 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો