🕙કાળ છ પ્રકાર ના છે - વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અને દિવસ એ ભેદોવડે છ પ્રકારના જાણવા. ચાંદ્ર, સૌર, સાવન, નાક્ષત્ર, અને બાર્હસ્પત્ય એ ભેદાવડે વર્ષ પાંચ પ્રકારનાં છે.
🕙સૃદિ એકમથી અમાવાસ્યા લગી જે દિવસ - તે એક માસ,
🕙એ રીતે ચૈત્રથી ફાગણ સુધી ૧૨ મહિના અને તેના ૩૫૪ દિવસવડે તેમજ અધિકમાસ છતાં તેર માસ વડે ચાંદ્રવર્ષ થાય છે. (પ્રભવ, વિભવ, શુકલ, ઇત્યા
🕙દિક જે સાઠ નામો તે ચાંદ્ર વર્ષનાજ છે.)
🕙મેષાદિક ૧૨ સંક્રાંતિ સૂર્ય ભોગવ્યા છતાં ૩૬૫ દિવસે જે વર્ષ પુર્ણ થાય છે તેને સૌરવર્ષ કહે છે. ૩૬૦ દિવસેાનું જે વર્ષે તેને સાવનવર્ષ કહે છે.
🕙આગળ કહેવાના છે એવા ભાર નાક્ષત્રમાસ થયાથી જે વર્ષ થાય છે તેને નાક્ષત્રવર્ષ કહે છે,અને ૩૨૪ દિવસોનું થાય છે.
🕙મેષાદિક બાર રાશિમાંથી મેષાદિક(મેષ થી મીન) અકેક રાશિ બૃહસ્પતિ/ગુરુ ભોગવે/ભ્રમણ કરે અને જે વર્ષ થાય છે તેને બાહઁસ્પત્યવર્ષ કહે છે, અને તે વર્ષે ૩૬૧ દિવસોનું થાય છે.
🕙કર્માદિકાના સંકલ્પમાં ઉચ્ચાર કરવા તે ચાંદ્રવર્ષ નોજ કરવો, બીજા વર્ષને નહીં,
🕙અયન બે પ્રકારનાં—એક દક્ષિણાયન, અને બીજું ઉત્તરાયણ, સૂર્યની કર્કસંક્રાંતિ થી ધનસંક્રાંતિ સુધી દક્ષિણાયન અને મકરસંક્રાંતિ થી મિથુનસંક્રાંતિલગી ઉત્તરાયણ.
🕙ઋતુ બે પ્રકારની - સૌર ઋતુ, અને ચાંદ્ર ઋતુ.
મીનસંક્રાંતિથકી અથવા મેષસંક્રાંતિથકી બે બે ડરાશી સૂર્ય ભોગવે એટલે અકેક ઋતુ, એ રીતે સંક્રાંતિઉપરથી વસંતાદિક જે છ ઋતુ તે સૌર ઋતુ. ચૈત્રથકી આરંભ કરી બે બે માસની અકેક ઋતુ, એ રીતે માસ પ્રમાણે વસંતાદિક જે છ ઋતુ તે ચાંદ્ર ઋતુ, અધિકમાસ છતાં કાંઇએક કમતી નેવું દિવસોવડે ચાંદ્ર ઋતુ થાય છે.
સ્રોત સ્માર્તઆદિ સંકલ્પ સમયે ચાંદ્ર ઋતુનો ઉચ્ચાર કરવા એ મુખ્ય છે.
🕙માસ ચાર પ્રકારના – ચાંદ્ર માસ, સૌર માસ, સાવન માસ અને નાક્ષત્ર માસ.
🕙શુદિ એકમથી અમાવાસ્યા લગી અથવા વદ એકમથી પૂનમલગી જે માસ તે ચાંદ્ર માસ. તેમાં શુદિ એકમથી અમાવાસ્યા લગી જે માસ તેજ મુખ્ય.
🕙વદ એકમથી પૂનમ સુધી માસ વિધ્યાચલ પર્વતના ઉત્તર ભાગમાંજ લેવા.
🕙શ્રોતાદિક કર્મોના સંકલ્પ સમયે ચૈત્રાદિક માસ એજ લેવા.
🕙મીનસક્રાંતિથકી સંક્રાંતિ પ્રમાણે જે સૌર માસ તેમના ચૈત્રાદિક નામેા છે એમ કેટલાએક કહે છે.
🕙સૂર્યની સંક્રાંતિથકી આવતી સૂર્યસંક્રાંતિના આરંભસુધી જે માસ તે સૌર માસ. ૩૦ દિવસનો તે સાવન માસ.
🕙અશ્વિની થકી રેવતી લગી સત્તાવીસ નક્ષત્ર ચંદ્રે ભાગવ્યા છતાં જે માસ તે નાક્ષત્ર માસ.
🕙શુદિ એકમથી પૂનમલગી જે દિવસ તે શુકલપક્ષ, વદ એકમથી અમાવાસ્યા પર્યંત જે દિવસ તે કૃષ્ણપક્ષ. ૬૦ ઘડીનો તે દિવસ
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો