શુક્રવાર, 17 જૂન, 2022

🕉️ ધર્મ સિંધુ અનુસાર જુદી જદી જાતનાં શિવલિંગના પૂજનનું જુદું જુદું ફળ મળે છે, જાણો કયા શિવલિંગ નું કેવું ફળ પ્રાપ્ત થાય છે !

  • હીરાના લિંગનું પૂજન કરવાથી આયુષ્યવૃદ્ધિ થાય છે.
  • મેાતિના લિંગનું પુજન કરવાથી રોગ નાશ,
  • વૈદુર્યના લિંગ થકી શત્રુનાશ,
  • માણેકના લિંગ થકી લક્ષ્મીપ્રાપ્તિ,
  • પુખરાજના લિંગથકી સુખ,
  • નીલમણિનાં લિંગ વડે યશ,
  • મરકત (પાચ) ના લિંગવડે પુષ્ટિ,
  • સ્ફટિકના લિંગ થકી સર્વ કામની પ્રાપ્તિ,
  • રૂપાના લિંગ થકી રાજ્ય અને પિતૃની મુક્તિ,
  • સુવર્ણના લિંગ થકી સત્યલોકની પ્રાપ્તિ,
  • ત્રાંબાના લિંગ થકી પુષ્ટિ અને આયુષ્ય,
  • પિતળના લિંગ થકી સંતોષ,
  • કાંસાના લિંગ થકી કીર્તિ,
  • લોહ (લોઢા)ના લિંગ થકી શત્રુનાશ,
  • સીસાના લિંગ થકી આયુષ્યવૃદ્ધિ,

📜 બીજા અન્ય ગ્રંથકારોને મતે....
  • સુવર્ણના લિંગવડે બ્રાહ્મણના ઋણ થકી મુક્તિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ.
  • ચંદનનાં લિંગથકી સૌભાગ્ય,
  • હાથિંદાંતના લિંગ થકી સેનાધિપતિપણું,
  • ચોખા ઇત્યાદિક ધાનના લોટના લિંગથકી પુષ્ટિ, સુખ, અને રોગનાશ ઇત્યાદિક,
  • અડદના લોટના લિંગથકી સ્રીપ્રાપ્તિ,
  • માખણના લિંગથકી સુખ,
  • છાણના લિંગથકી રોગનાશ,
  • ગોળના લિંગથકી અન્ન ઇત્યાદિકની પ્રાપ્તિ,
  • વાંસનો અંકુર (કોટો) લાવી તેનું લિંગ કરી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
💥અને આ રીતે લિંગની અધિક સંખ્યા થવાથી ફળમાં આધિક્ય ફળ મળવા પાત્ર રહે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો