📜એક
કેવળ ઉપવાસ અને બીજો વ્રતસહિત ઉપવાસ એવા એકાદશીના ઉપવાસના બે ભેદ છે.
📜ફક્ત
ઉપવાસમાટે પુત્રવાન(પુત્ર સંતાન હોય તેને) ગૃહસ્થ ઇત્યાદિકને કૃષ્ણપક્ષમાં પણ
અધિકાર છે. પરંતુ કૃષ્ણપક્ષમાં વ્રતયુક્ત ઉપવાસ પુત્રવાન ગૃહસ્થે કરવા નહી,
📜ત્યારે મંત્રસહિત વ્રતસંકલ્પ ન
કરવો અને યથાશક્તિ નિયમ ધારણ કરી ભોજન માત્ર વર્જ્ય કરવું. એ પ્રમાણે તિથિનો ક્ષય
છતાં શુકલપક્ષની એકાદશીમાં પણ આજ નિયમે ચાલવું.
📜આષાઢશુદિ
એકાદશી અને કાર્તિકશુદિ એકાદશી એની વચમાંના કૃષ્ણપક્ષના એકાદશીવ્રત માટે પુત્રવાન
ગૃહસ્થાશ્રમીને પણ અધિકાર છે.
📜વિષ્ણુની
સાયુજ્યમુક્તિ ઇચ્છનારા અને આયુષ્ય તથા પુત્ર ની ઇચ્છા કરનારા તેમણે કામનાથી બન્ને
પક્ષમાં વ્રત કરવાં, તેમાં કાઇ પણ નિષેધ નથી.
📜વૈષ્ણવ
ગૃહસ્થાએ કૃષ્ણપક્ષની એકાદશીનો પણ અવશ્ય ઉપવાસ કરવા. આ એકાદશી વ્રત શૈવ,
વૈષ્ણવ અને સૂર્યભક્ત ઇત્યાદિ
સર્વેને, ન કરવાથી દોષ સંભળાય છે માટે નિત્ય છે,
અને સંપત્તિ આદિ ફળ પ્રાપ્ત થાય
છે એમ સંભળાય છે તેથી કામ્ય પણ છે.
📜કેટલાએક
ગ્રંથકાર એમ કહે છે કે, એ ઘડિઆદિ દશમ છતાં દશમમાંજ ભોજન કરવું,
અને સૂર્યઉદયથી પ્રથમ પ્રાપ્ત
થઇ જે શુંદ્ધાધિકાધિકદ્વાદશી તેમાં તેા બરોબર બે ઉપવાસ કરવા,
એ રીતે તિથિ પાળવી એમ કહે છે,
પરંતુ તે યોગ્ય નથી.
📜૮
વર્ષ ૮૦ વર્ષ સુધી એકાદશીવ્રતના અધિકાર છે.
📜 શક્તિમાન હોય તે ૮૦ વર્ષ પછી પણ અધિકાર છે.
📜સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ અથવા પિતા ઇત્યાદિકની આજ્ઞા વિના ઉપવાસ અને વ્રત આદિ કરે
તો તેમનું વ્રત વ્યર્થ થતાં પતિના આયુષને ક્ષય અને નરકપ્રાપ્તિ પણ થાય છે.
📜અશક્તોને
માટે ફળ, તલ, દૂધ, જળ, ઘી, પંચગવ્ય અને વાયુ, એમાનુ એક કરતાં બીજું એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ
છે, માટે
પોતાની શક્તિ ઓછી અથવા અધિકી જાણી ને કહેલા પક્ષમાંથી કોઇ એક પક્ષ અંગીકાર કરવો. અને
એકાદશીનો ત્યાગ કરવો નહીં.
📜ભૂલથી
એકાદશીને દિવસે ઉપવાસ કર્યો ન હોય તો દ્વાદશીને દિવસે પણ વ્રત કરવું,
દ્વાદશીને દિવસે પણ ન કર્યો હોય તો યવમધ્ય
ચાંદ્રાયણ(વ્રત) પ્રાયશ્ચિત્ત કરવું, નાસ્તિકપણાથી ન કરે તે પિપીલિકા
મધ્યચાંદ્રાયણપ્રાયશ્ચિત્ત કરવું.
📜પતિ,
પિતા ઇત્યાદિક વ્રતમાટે અશક્ત
હોય તો તેમને ઉદ્દેશી ને કરી સ્ત્રી, પુત્ર, બેહેન, ભાઇ, ઇત્યાદિકે એ એકાદશીવ્રત કરવાથી ૧૦૦ યજ્ઞનું ફળ
પ્રાપ્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો