શનિવાર, 11 ફેબ્રુઆરી, 2017

સર્વ પ્રકારે લાભદાયી ક્રિસ્ટલ

સ્ફટિકની વિજ્ઞાનિક વ્યાખ્યામાં એવું દર્શાવવામાં આવે છે કે, સ્ફટિક ચોક્કસ ગુણાત્મક આંતરિક માળખું ધરાવતા તેમજ ચોક્કસ અને ગુણાત્મક ખૂણાથી એકબીજાને છેદતી અને એકસમાન સપાટીથી આવરિત રચના ધરાવે છે. ટેકનિકલી એવું કહેવામાં આવે છે કે સ્ફટિક એ કુદરતી રીતે પ્રાપ્ત થતો એક ખડક છે જે ઘન રચના છે અને તે પર્યાવરણમાં થતા ફેરફારો ઉપરાંત અતિ ઉષ્માના પરિણામે બને છે. સ્ફટિકની રચના થવામાં હજારો કે લાખો વર્ષ પણ લાગી શકે છે. { ૐ કાર જ્યોતિષ }મોટાભાગના સ્ફટિક કુદરતી રીતે જ મળે છે અને તેનો એ પ્રકારે જ ઉપયોગ કરવામાં આવે છે અને તે સંખ્યાબંધ રંગમાં ઉપલબ્ધ હોય છે. પ્રાચીનકાળથી સારવાર પ્રક્રિયાઓમાં, તેમજ તાવીજરૂપે તેને પહેરવામાં આવે છે. જોકે, વર્તમાન સમયમાં સારવાર પદ્ધતિ ઉપરાંત ભાગ્યશાળી રત્ન તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને દાગીના તેમજ આભૂષણોની બનાવટમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે. 

સ્ફટિકના સંખ્યાબંધ સ્વરૂપ જોવા મળે છે. ઘણા રત્નો અથવા રત્નોમાં આવતા મોટાભાગના ખડકો મૂળરૂપે સ્ફટિક જ હોય છે કારણ કે તેની કુદરતી રીતે ઉત્પત્તિની પ્રક્રિયા સ્ફટિકિકરણથી જ શરૂ થાય છે. પરંતુ, રત્નો મોટાભાગે વધુ ઘનતા ધરાવતા, દુર્લભ અને સખત હોય છે અને સંખ્યાબંધ રંગો તેમજ ચમકમાં ઉપલબ્ધ હોય છે જેના આધારે તેનું વર્ગીકરણ કરી શકાય છે. આ વર્ગીકરણમાં આયુર્વેદ તેમજ જ્યોતિષશાસ્ત્રના આધારે તેમાં રહેલા ખનીજતત્વોની માત્રા અને ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવે છે. સારવાર માટે પથ્થરો, સ્ફટિક અને કિંમતી રત્નો આ બધુ જ ધરતીના પેટાળમાંથી મળી આવે છે. પૃથ્વીના પેટાળમાં મધ્યમાં રહેલો ધગધગતો લાવા વર્ષોની પ્રક્રિયા બાદ ઠંડો પડ્યા પછી તેનું નિર્માણ થાય છે. સ્ફટિકના નિર્માણ વખતે તે ઉષ્મા, ઠંડક અને વિસ્થાપન જેવી વિવિધ ભૌગોલિક પ્રક્રિયામાંથી પસાર થાય છે.

સ્ફટિકને સૌથી પ્રાકૃતિક સ્વરૂપ ગણવામાં આવે છે અને એક માત્ર એવા જીવિત પથ્થર તરીકે ગણવામાં આવે છે જેને યોગ્ય પરિસ્થિતિ હેઠળ મુકી રાખવામાં આવે તો તેની આપોઆપ વૃદ્ધિ થાય છે. એવા સંખ્યાબંધ સ્ફટિક વૃક્ષો અને સ્ફટિક પર્વતો આવેલા છે જેમાં સ્ફટિકના ગુચ્છાઓ આપોઆપ વૃદ્ધિ પામી રહ્યા છે. {

દરેક સ્ફટિકના ઉર્જાક્ષેત્ર પર તેની ભૌમિતિક રચનાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે જેમાં તેનો રંગ અને ગર્ભિત સ્પંદનોનો સમાવેશ થાય છે જે તેની વય, ખનીજ બંધારણ, તેના પર આવેલા ઉષ્માના પ્રમાણ અને અન્ય કુદરતી લક્ષણોના આધારે નક્કી થાય છે. જ્યારે સ્ફટિકનું સખતીકરણ, સ્ફટિકિકરણ અને બંધારણ ચાલતું હોય ત્યારે વિવિધ તબક્કે આ તમામ પાસાઓમાંથી સ્ફટિકને પસાર થવું પડે છે. 

મોટા રત્નો અથવા સ્ફટિક લાખો નાના-નાના સ્ફટિકના જોડાવાથી નિર્માણ પામે છે જે અચલગતિમાં ચાલતા હોવાથી સતત અલગ અલગ આવૃત્તિએ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ કારણે પણ વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓમાં સ્ફટિકનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
સારવારની શક્તિમાં સ્ફટિકનો રંગ પણ મહત્વની ભુમિકા ભજવે છે. પ્રકાશ અને રંગના પ્રભાવથી ઉત્તેજના અથવા શાંતિ આવે છે, શુદ્ધિ અથવા સારવાર થાય છે, સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જાનું શોષણ થઈ જાય છે.

ચીની, ઈજિપ્તિયન, સુમેરીયન, ગ્રીક, રોમન અને શામન્સ જેવી પ્રાચીન સંસ્કૃતિઓ તેમજ પુરાતન સમયમાં વૈદ્યો દ્વારા સ્ફટિકનો ઉપયોગ વિવિધ રોગોપચાર પદ્ધતિઓમાં અલગ અલગ સ્વરૂપે કરવામાં આવતો હતો જેમાં તેને ખાંડીને બારીક ભુકો કરવો, તેને પ્રવાહીમાં રાખી તેનો ઉપયોગ કરવો, ધારણ કરવો, શરીરના કોઈ અંગ પર મુકવો વગેરે પ્રકારે તેનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓમાં પણ તેનું વિશેષ મહત્વ ટાંકવામાં આવ્યું છે. આવા  રત્નો અંગેનું પ્રાચીન જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધતું ગયું અને આજે પણ તેની શક્તિનો ઉપયોગ વિવિધ ઉપચારોમાં કરવામાં આવે છે
.
ભારતના પ્રાચીન તબીબી વિજ્ઞાન આયુર્વેદ અને અન્ય ઉપચાર પદ્ધતિ યુનાની(ગ્રીક)માં પણ ઔષધીઓની બનાવટમાં સ્ફટિક અને રત્નોના વ્યાપક ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં, મોતી અને લાલ પરવાળા જેવા રત્નોનો બારીક ભુકો એટલે કે તેની ભષ્મનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે તેમજ કેટલીક દવાઓ બનાવવા માટે રત્નો અને સ્ફટિક સાથે કિંમતી ધાતુઓની ભષ્મ પણ ઉમેરવામાં આવે છે. 

સ્ફટિક પૃથ્વીનો જ એક હિસ્સો ગણવામાં આવે છે. તે ક્વાર્ટ્ઝ અને સિલિકામાંથી બનેલા હોય છે, જે માનવશરીરમાં પણ મુખ્ય ઘટકોમાંથી એક હોય છે અને તે રત્ન સ્વરૂપમાં હોય અથવા ન પણ હોઈ શકે છે. રંગોની જેમ સ્ફટિકમાંથી પણ અલગ અલગ આવૃત્તિના સ્પંદનો નીકળે છે જે પૃથ્વી અને માણસોના વીજચુંબકીય ક્ષેત્ર સાથે મેળ ખાતા હોય છે. વર્તમાન સમયમાં સૌથી વ્યાપક પ્રમાણમાં સ્પષ્ટ ક્વાર્ટ્ઝ સ્ફટિકનો ઉપયોગ થાય છે અને ઘડિયાળ, કમ્પ્યૂટર તેમજ રેડિયો જેવા ઉપકરણોમાં તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. 

બરછટ સ્ફટિક તેના પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવે છે અને તુટેલા અથવા ખડકોમાંથી ખોદેલા હોવાથી સ્પષ્ટ આકાર નથી હોતો. પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવતા સ્ફટિકની સપાટી વાંકાચુકી અને બરછટ હોય છે અને તેમાં સૌથી વધુ રોગોપચાર શક્તિ છુપાયેલી હોય છે. શરીરમાં સારવારની ઉર્જાનો સંચાર કરવા માટે અથવા તેને કોઈ ચોક્કસ અંગ પર એકત્રિત કરવા માટે આ સ્ફટિકને શરીર પર યોગ્ય રીતે મુકવામાં આવે છે
.
પોલીશ થયેલા સ્ફટિકને ઘસીને તૈયાર કરવામાં આવ્યા હોય છે અથવા પાણી અને રેતીમાં લાંબા સમય સુધી ધસાવાથી તે વધુ સુંવાળી અને સમાન સપાટીના બની જાય છે. મોટાભાગે તેનો ઉપયોગ સ્પર્શ-રત્નો તરીકે કરવામાં આવે છે અને તેને તાવીજ તરીકે ખીસ્સા કે પર્સમાં રાખવામાં આવે છે. આ સ્ફટિકની સુંવાળી સપાટીથી સારવારની વધુ સારી શક્તિ મેળવી શકાય છે કારણ કે તે સીધા જ શરીરના કોઈપણ ભાગ પર સ્પર્શી શકે છે અથવા તેને ઘસી શકાય છે અથવા મુકી શકાય છે. રોગોપચારમાં ઉપયોગમાં લેવાતા સ્ફટિકમાંથી બનાવેલા આભુષણોમાં પણ આ રત્નોની અપાર ઉર્જા સમાયેલી હોય છે. કિંમતી ધાતુ અને રંગોનો ઉપયોગ જો આવા આભુષણમાં કરવામાં આવે તો રત્નોની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. સ્વાસ્થ્યની કેટલીક ચોક્કસ જરૂરિયાતો માટે અથવા સૌહાર્દપૂર્ણ સ્પંદનો લાવવા માટે સ્ફટિકમાંથી બનેલા આભુષણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સુરક્ષા, સમૃદ્ધિ, જોશ, ઉપચાર, માનસિક સ્પષ્ટતા, પ્રેમ, સારા સ્વાસ્થ્ય, શાંતિ અને અન્ય સકારાત્મક હેતુઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત રેકી અને પ્રેણિક ઉપચાર પદ્ધતિમાં પણ અલગ અલગ સ્ફટિક તેમજ રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આસ્થાના આ વિષયમાં અવારનવાર એવું પુરવાર થયેલું છે કે, પિરામિડ આકારના સ્ફિટક તેમજ અન્ય સ્ફટિકની મદદથી કોઈપણ વ્યક્તિના આભામંડળને તેમજ તેની આસપાસના ઉર્જાક્ષેત્રને વધુ શુદ્ધ કરી શકાય છે. પિરામિડ આકારના સ્ફટિકનો ઉપયોગ ઘર અને ઓફિસમાંથી નકારાત્મક ઉર્જાના શોષણ માટે પણ કરવામાં આવે છે

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો