સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

જવારા વાવવાની પરંપરાનો મહિમા

જવારા વાવવાની પરંપરાનો મહિમા

🔯નવરાત્રિ સ્થાપનાના દિવસની સાથે જવારા  વાવવાની પરંપરા છે. આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. એવુ મનાય છે કે મા દુર્ગાને જવારા બહુ જ પસંદ હોય છે.માતાના પૂજન સાથે જવારા વાવવા સુખ અને સમૃધ્ધિનુ કારણ મનાય છે.

🕎એવુ મનાય છે કે નવરાત્રીના 9 દિવસમાં જેમ જેમ જવારા વધતા જાય છે તેમ તેમ માતા ભક્તોનુ સુખ અને સમૃધ્ધિ પણ વધતા જાય છે. સાથે માતા પોતાના ભક્તોને આર્શિવાદ આપતા રહે છે જેથી ભક્તોની શ્રધ્ધા અને ભક્તિ પણ વધતી જાય છે.

જવારા વાવવામાટે :-

નદીના પટમાંથી ખાસ માટી લાવવામાં આવે છે. ( ખેતર ની પણ ચલાવી શકો ) વાંસની છાબળીને પહેલા ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. તેની પછી તેમાં માટી નાખવામાં આવે છે. તેને પણ ગંગાજળની પવિત્ર કરવામાં આવે છે. તે પછી યોગ્ય વિવિધ બાદ જુવારના  બીજ નાંખી પાણી છાંટવામાં આવે છે. સાથે જ ઘરમાં ગંગાજળ અને તુલસીથી ભરેલા કળશ પર નાળિયેર મૂકી તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને તેની 9 દિવસ પૂજા કરવામાં આવે છે.

આ આખી વિધિ માટે કોઈ બ્રાહ્મણ ને કાર્ય આપવુ ઉત્તમ રહે..

શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ.

આપણા શાસ્ત્રો મુજબ આપણે રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં પથારી ત્યજી દેવી જોઈએ. 

બ્રહ્મનું મતલબ છે પરમ તત્વ અથવા પરમાત્મા. મુહૂર્ત એટલે કે અનુકૂળ સમય. રાત્રિનો અંતિમ પહોર અર્થાત્ 4થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. આપણી દિનચર્યા સવારે જાગ્યા પછી શરૂ થાય છે. જેથી સવારે વહેલાં ઉઠવું દિનચર્યાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કારણે આપણી સંસ્કૃતિમાં સવારે ઉઠવાનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તે છે બ્રહ્મમુહૂર્ત.

બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું આપણા માટે બહુ લાભકારી હોય છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને દિવસભર શરીર સ્ફૂર્તિલું રહે છે. સ્વસ્થ રહેવા અને સફળ થવાનો આ એક ખાસ ફોર્મુલા છે. જેમાં કોઈ જ ખર્ચ નથી પરંતુ જરૂર હોય છે તો માત્ર આળસ ત્યજવાની.

શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-
वर्णं कीर्तिं मतिं लक्ष्मीं स्वास्थ्यमायुश्च विदन्ति।
ब्राह्मे मुहूर्ते संजाग्रच्छि वा पंकज यथा॥
- भाव प्रकाश सार-93
અર્થાત્- બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. આવું નિત્ય કરવાથી શરીર કમળની જેમ સુંદર થઈ જાય છે.

બીજું જાણો કે સવારે જલ્દી જાગવાથી વધુ કયા-કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.......

સારા સ્વાસ્થ્યનું રહસ્ય
આપણા ધર્મ ગ્રંથોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો સૌથી મોટો લાભ સારું સ્વાસ્થ્ય બતાવવામાં આવ્યું છે. શું છે આનું રહસ્ય? વાસ્તવમાં સવારે ચાર વાગ્યાથી સાઢા પાંચ વાગ્યા સુધી વાયુમંડળમાં એટલે કે આપણી ચારેય તરફ ઓક્સીજન વધુ માત્રામાં હોય છે. વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે આ સમયે ઓક્સીજન 41 ટકા, લગભગ 55 ટકા નાઈટ્રોજન અને 4 ટકા કાર્બન ડાયોક્સાઈડ ગેસ રહે છે. સૂર્યોદય બાદ વાયુમંડળમાં ઓક્સીજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ વધે છે. ઓક્સીજન આપણા જીવનનો આધાર છે. શાસ્ત્રોમાં તેને પ્રાણવાયુ કહેવામાં આવ્યું છે. જેથી વધુ પ્રમાણમાં ઓક્સીજન મળવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ
બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આ સમયે પશુ-પક્ષી જાગી જાય છે. તેમનું મધુર કલરવ શરૂ થઈ જાય છે. કમળનું ફુલ પણ ખીલી ઉઠે છે. કૂકડો બાંગ પોકારે છે. એક રીતે પ્રકૃતિ પણ બ્રહ્મ મુહૂર્તમાં ચેતન થઈ જાય છે. આ પ્રતીક છે જાગવા સૂવાનું. પ્રકૃતિ આપણને સવારે ઉઠવાનો સંદેશ આપે છે. 

કયા કારણે મળે છે સફળતા અને સમૃદ્ધિ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારો વ્યક્તિ સફળ, સુખી અને સમૃદ્ધ થાય છે. કેમ? 
કારણ કે જલ્દી ઉટવાથી દિવસભરના કાર્યો અને યોજનાઓ બનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. જેથી ન માત્ર જીવન સફળ થાય છે પરંતુ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેનાર દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થઈ શકે છે. કારણ કે તે જે કાર્ય કરે છે તેમાં તેને પ્રગતિ મળે છે. વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થાય છે. નોકરી કરનારાઓથી બોસ ખુશ રહે છે. વેપારી સારી કમાણી કરી શકે છે. જ્યારે વ્યક્તિ બિમાર હોય તો તેની આવક તો પ્રભાવિત થાય જ છે સાથે ખર્ચ પણ વધે છે. સફળતા તે જ વ્યક્તિને મળે છે જે સમયનો સદ્પયોગ કરે અને સ્વસ્થ રહે છે. જેથી સફળ અને સ્વસ્થ રહેવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું.
વેદોમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ અને તેનાથી થનારા લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
प्रातारत्नं प्रातरिष्वा दधाति तं चिकित्वा प्रतिगृह्यनिधत्तो।
तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचेत सुवीर:॥ - ऋग्वेद-1/125/1
અર્થાત્ સવારે સૂર્યોદય થયા પહેલાં ઉઠનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. જેથી બુદ્ધિમાન લોકો આ સમયને વ્યર્થમાં ગુમાવતા નથી. સવારે વહેલાં ઉઠનાર વ્યક્તિ સ્વસ્થ, સુખી, તાકાતવાન અને દીર્ધાયુ બને છે.
यद्य सूर उदितोऽनागा मित्रोऽर्यमा। सुवाति सविता भग:॥ - सामवेद-35
અર્થાત્ વ્યક્તિને સવારે સૂર્યોદયથી પહેલાં શૌચ અને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. આ સમયની શુદ્ધ અને નિર્મળ હવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
उद्यन्त्सूर्यं इव सुप्तानां द्विषतां वर्च आददे।
अथर्ववेद- 7/16/२
અર્થાત્ સૂર્યોદય બાદ પણ જે ઉઠતા નથી તો જાગતા જ તેમનું તેજ ખતમ થઈ જાય છે.

રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે.

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,

‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. (ૐ કાર જ્યોતિષ)તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.(ૐ કાર જ્યોતિષ)
રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે

રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે

શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

श्रीकालभैरव स्तोत्र

श्रीकालभैरव स्तोत्र 

श्रीगणेशायनमः ।। देवाःउचुः ।।
नमो भैरवदेवाय नित्ययानंदमूर्तये ।।
विधिशास्त्रान्तमार्गाय वेदशास्त्रार्थदर्शिने ।।1।।
दिगंबराय कालाय नमः खट्वांगधारिणे ।।
विभूतिविलसद्भालनेत्रायार्धेंदुमालने ।।2।।
कुमारप्रभवे तुभ्यं बटुकायमहात्मने ।।
नमोsचिंत्यप्रभावाय त्रिशूलायुधधारिणे ।।3।।
नमः खड्गमहाधारहृत त्रैलोक्य भीतये ।।
पूरितविश्वविश्वाय विश्वपालाय ते नमः ।।4।।
भूतावासाय भूताय भूतानां पतये नम ।।
अष्टमूर्ते नमस्तुभ्यं कालकालाय ते नमः ।।5।।
कं कालायातिघोराय क्षेत्रपालाय कामिने ।।
कलाकाष्टादिरूपाय कालाय क्षेत्रवासिने ।।6।।
नमः क्षेत्रजिते तुभ्यं विराजे ज्ञानशालने ।।
विद्यानां गुरवे तुभ्यं विधिनां पतये नमः ।।7।।
नमः प्रपंचदोर्दंड दैत्यदर्प विनाशने ।।
निजभक्त जनोद्दाम हर्ष प्रवर दायिने ।।8।।
नमो जंभारिमुख्याय नामैश्वर्याष्टदायिने ।।
अनंत दुःख संसार पारावारान्तदर्शिने ।।9।।
नमो जंभाय मोहाय द्वेषायोच्याटकारिणे ।।
वशंकराय राजन्यमौलन्यस्त निजांध्रये ।।10।।
नमो भक्तापदां हंत्रे स्मृतिमात्रार्थ दर्शिने ।।
आनंदमूर्तये तुभ्यं श्मशाननिलयाय् ते ।।11।।
वेतालभूतकूष्मांड ग्रह सेवा विलासिने ।।
दिगंबराय महते पिशाचाकृतिशालने ।।12।।
नमोब्रह्मादिभर्वंद्य पदरेणुवरायुषे ।।
ब्रह्मादिग्रासदक्षाय निःफलाय नमो नमः ।।13।।
नमः काशीनिवासाय नमो दण्डकवासिने ।।   
 नमोsनंत प्रबोधाय भैरवाय नमोनमः ।।14।।

श्री कालभैरवाष्टक

श्री कालभैरवाष्टक 

श्रीगणेशाय नम: ।।
देवराज सेव्यमानपावनांध्वि पंकजं ।।     व्याल यज्ञसूत्रमेंदुशेखरं कृपा करम् ।।
नारदादियोगिवृन्दवन्दितं दिगंबरं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।1।।
भानुकोटिभास्वरं भवाब्धि तारकं परं ।।    नीलकंठमीप्तितार्थदायकं त्रिलोचनम् ।।
काल कालमम्बुजाक्षमक्षशूलमक्षरं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।2।।
शूलटंकपाशदण्डपाणिमादिकारणं ।।    श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।।
भीमविक्रमंप्रभुं विचित्र ताण्डवप्रियं ।।    काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।3।।
भुक्तिमुक्तिदायकं  प्रशस्तचारुविग्रहं ।।    भक्तवत्सलंस्थितं समस्त लोकविग्रहं ।।
विनिक्वणन्मनोज्ञहेमकिंकिणी लसत्कटिं।।   काशिकापुराधिनाथ कालभैरवं भजे ।।4।।
धर्मसेतूपालकं त्वधर्म मार्गनाशकं ।।    कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं ।।
स्वर्णवर्णशेषपाशशोभितांग मण्डलं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 5।।
रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं ।।     नित्यमद्वितीयभिष्टदैवतं  निरंजनम्‌।।
मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 6।।
अट्‍टहासभिन्नपद्मजाण्डकोशसंततिं ।।     दृष्टिपातनष्टपापजालमुग्रशासनं ।।
अष्टसिद्धिदायकं कपालमालकन्धरं ।।      काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 7।।
भूतसंघनायकं विशालकीर्ति दायकं ।।     काशिवासलोकपुण्यपापशोधकं विभूं ।।
नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं ।।     काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 8।।
काल भैरवाष्टकं पठन्ति ये मनोहरं ।।    ज्ञानमुक्ति साधनं विचित्र पुण्यवर्धनं ।।
शोक मोह दैन्य लोभ कोप ताप नाशनम्।।प्रयान्ति कालभैरवांध्रिंसन्निधिं नराध्रुवम्।।
काशिकापुराधिनाथ कालभैरवं भजे ।। 9।।
श्रीमत् शंकराचार्य विरचित कालभैरवाष्टक संपूर्ण ।।

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2017

लक्ष्मी जी कहा रहती है ।।

लक्ष्मी जी कहा रहती है ।। 
✿ जिस घर में परिवार के सदस्य सुबह सुर्योदय से पहले उठते है
✿ रसोई घर को सुबह साफ़ सुथरा करके भोजन बनाएं ।
✿ रात को झूठे बरतन ना रखे ।
✿ सूर्यास्त हो जाने के बाद भी घर मे अंधेरा रखना ।
✿ देर शाम तक सोते रहना ।
✿ मैले कपडे पहन कर पूजा करना ।े
✿ महिलाओ का अपमान करे ।पत्नी को बात बात पर अपमानित करे।मेहमान आने पर मुँह बानए
 🌟जो धर्म का पालन ना करे
🌟जिस घर पूजा -पाठ नहीं होता हो।।
 🌟जिस घर विष्णु भगवन की मूर्ति या पिचर ना हो ।।
💰लक्ष्मी जी उन्ही से खुश होती है जो मेहनती होते है लेकिन कई बार मेहनत करने के बाद भी पैसा नही आता या रुकता जितना आप कमाते है उतना ही खर्च हो जाता है ।
कुछ ये उपाय करे आपके जीवन में खुशहाली आए।
✿ घर के मुख्यद्वार पर कटीले या सूखे पोधे या पेड़ ना हो ।
✿ सत्यनारयण का व्रत और पुजन करे ।
✿ घर के मंदिर मे पानी जरूर रखे ।।
✿ घर में तुलसी और केले का पौधा लगवाए ।
✿ गुरुवार को दो लड्डू भगवान् विष्णु की मूर्ति के आगे चढ़ाए

આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે

કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે  આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે

 પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યા સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાય જાય તો શુ કરવુ જોઈએ..

જો કોઈ કારણસર દીવો ઓલવાય જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમા કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.

બિલ્વપત્રના પાનની વિશેષતા

બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના પૂરી કરે છે. એટલું  જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું  લાભ ફળ મળે છે.

આ  વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.

બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.

બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી  દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે
ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે.  બિલપત્રના પાનને લક્ષ્મીનું  રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.

બિલ્વપત્ર કે બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય  છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ  વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.

* બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી કહેવાય છે કે બિલ્વ ઝાડને સિંચવાથી તીર્થોનું  ફળ મળે છે. પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી.
 શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.

* ચતુર્થી, અષ્ટમી, નવમી,  ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી.

* કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર  ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની  જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.

જ્યા દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે

આસોપાલવના ઝાડને અશોકનું વૃક્ષ પણ કહેવાય છે. આસોપાલવ(અશોક)નું ઝાડ ખૂબ પવિત્ર અને લાભકારી હોય છે.  માન્યતા છે કે આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે. જ્યા દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ ઝાડમાં ઔષધીય ગુણો સાથે સાથે જ્યોતિષિય ગુણ પણ હોય છે.  માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો પ્રયોગ કરવામાં આવે છે.   વાસ્તુમુજબ અશોકનુ વૃક્ષ ઘરમાં લગાવવુ અત્યંત લાભકારી છે.

- સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.
- સ્ત્રીઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ હોય છે.
- રોજ આ ઝાડ પર જળ અર્પિત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દાંપત્ય જીવન સુખી રહે છે.
- આસોપાલવનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે.
- દર શુક્રવારે આસોપાલવના ઝાડ પર ઘી અને કપૂર મિક્સ કરીને દીવો પ્રજવલ્લિત કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
- જે લોકો રોજ આસોપાલવના ઝાડ પર જળ અર્પિત કરે છે તેમના પર દૈવીય કૃપા કાયમ રહે છે. તેમને બીમારી, દુ:ખ, અશાંતિ જેવી ચિંતાઓ અડી પણ નથી શકતી.
- શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડની જડ કાઢીને તેને સ્વચ્છ જળ કે ગંગાળ જળથી શુદ્ધ કરીને પૂજા ઘરમાં મુકવાથી ઘરના વાસ્તુદોષ ઓછા થાય છે.

હિન્દુ ધર્મ મુજબ આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.

હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.   આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે.  આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો..

1. અમાસ 
2. પૂનમ 
3. સંક્રાંતિ 
4. ચતુર્દશી અને અષ્ટમીનો દિવસ 
5. રવિવારનો દિવસ 
6. શ્રાદ્ધ અને પિતૃ પક્ષ દરમિયાન 
7. જે દિવસે સ્ત્રી-પુરૂષ બંનેમાંથી કોઈપણ વ્રતનુ પાલન કરી રહ્યા હોય એ દિવસ મૈથુન કરવુ તો દૂર એ વિશે વિચારવુ પણ ખોટુ છે. આ ઉપરાંત તલનુ તેલ ન ખાવુ જોઈએ કે ન લગાવવુ જોઈએ.

તંત્ર શાસ્ત્ર હેઠળ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલ કોડીયોના અનેક ટોટકા

તંત્ર શાસ્ત્રમાં અનેક વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. આવી જે એક તાંત્રિક વસ્તુઓ છે કોડિયો. આ સમુદ્રમાંથી નીકળે છે અને સજાવટના કામમાં વપરાય છે. તંત્ર શાસ્ત્ર હેઠળ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલ અનેક ટોટકામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. 

કોડીયોના ટોટકા 

1. જો પ્રમોશન ન થઈ રહ્યુ હોય તો 11 કોડીઓ લઈને કોઈ લક્ષ્મી મંદિરમાં અર્પિત કરી દો. તમારા પ્રમોશનના દ્વાર ખુલી જશે.

2. જો દુકાનમાં બરકત ન થઈ રહી હોય તો દુકાનના ગલ્લામાં 7 કોડીયો મુક્કો અને સવાર સાંજ તેની પૂજા કરો. ચોક્કસ બરકત થવા માંડશે.

3. જો તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છે તો તેના પાયામાં(નીવ) 21 કોડીઓ નાખી દો. આવુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહી રહે અને ઘરમાં સુખ-શાંતિ પણ કાયમ રહેશે.

4. જો તમે નવી ગાડી ખરીદી રહ્યા છો તો તેના પર 7 કોડીયોને એક કાળા દોરામાં પરોવીને બાંધી દો.  તેનાથી વાહનના દુર્ઘટનાગ્રસ્ત થવાની સમસ્યા ઓછી થઈ જશે.

5. જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો 7 કોડીઓની પૂજા કરીને તમારી સાથે લઈ જાવ. તેનાથી ઈંટરવ્યુમાં તમને ચોક્કસ સફળતા મળશે.

જાણો શનિ ચરિત્ર અને તેના કુંટુંબ સાથે જોડાયેલી રોચક વાતો..

પૌરાણિક માન્યતા છે કે શનિદેવનો જન્મ અમાસ તિથિની શુભ ઘડીમાં જ થયો હતો. એટલે હિન્દુ પંચાગમાં દર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ ઉપર શનિ ભક્તિ ઘણી સંકટમોચક હોય છે. ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા, મહાદશા કે કુંડળીમાં બનતા શનિના ખરાબ પ્રભાવની અસર દૂર કરવા દરિદ્ર, કષ્ટ, સંતાપ, સંકટ સામે ઝઝૂમી રહ્યા હોય.

વાસ્તવમાં શાસ્ત્રો ઉપર ધ્યાન કરીએ તો શનિદેવનું ચરિત્ર માત્ર ક્રૂર કે પીડાદાયી નથી, પણ નસીબ સુધારનાર દેવતાના રૂપમાં પણ પ્રગટ થાય છે. એટલુ જ નહીં. શાસ્ત્રોમાં બતાવેલ શનિદેવના પારિવારિક કે અન્ય સદસ્યો પણ આપણા સુખ-દુઃખને નક્કી કરે છે.  
જાણો શનિ ચરિત્ર અને તેના કુંટુંબ સાથે જોડાયેલી રોચક વાતો..


-શનિના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે.

-શનિનાના ભાઈ-બહેન યમરાજ, યમુના અને ભદ્રા છે. યમરાજ મૃત્યુદેવ, યમુના નદીને પવિત્ર અને પાપનાશિની અને ભદ્રા ક્રૂર સ્વભાવની હોઈ વિશેષ કાળ અને અવસરો ઉપર અશુભ ફળ આપનારી બતાવી છે.

-શનિએ શિવને પોતાના ગુરુ બનાવ્યા અને તપ કરી શિવને પ્રસન્ન કરી શક્તિસંપન્ન બન્યા.

-શનિનો રંગ શ્યામ અર્થાત સરળ શબ્દોમાં કહીએ તો કાળો માનવામાં આવે છે.

-શનિનું જન્મ ક્ષેત્ર સૌરષ્ટના શિંગણાપુર માનવામાં આવ્યું છે.

-શનિ સ્વભાવે ક્રૂર પરંતુ ગંભીર, તપસ્વી, મહાત્યાગી બતાવ્યા છે.

-શનિ, કોણસ્થ, પિપ્પલાશ્રય, સૌરી, શનૈશ્વર, કૃષ્ણ, રૌદ્રાન્તક, મંદ, પિંગલ, બભ્રુ નામનોથી ઓળખાય છે.

-શનિના જે ગ્રહો અને દેવતાઓ સાથે મિત્રતા છે, તેમાં શ્રી હનુમાન, ભૈરવ, બુધ અને રાહુ મુખ્ય છે.

-શનિને ભૂ-લોકને દંડાધિકારી અને રાતના સ્વામી માનવામાં આવ્યા છે.

-શનિના શુભ પ્રભાવ અધ્યાત્મ, રાજનીતિ અને કાનૂની સંબંધી વિષયોમાં દક્ષ બનાવવાનું છે.

-શનિની પ્રસન્ન માટે કાળા રંગની વસ્તુઓ જેવા કે કાળા કપડાં, તિલ, અડદ, લોખંડનું દાન કે ચઢાવો શુભ હોય છે. તો ગોળ, ખાટ્ટા પદાર્થો કે તેલ પણ શનિને પ્રસન્ન કરે છે.

-શનિની મહાદશા 19 વર્ષની હોય છે. શનિને અનુકૂળ કરવા માટે નીલમ રત્ન ધારણ કરવાનું પ્રભાવી માનવામાં આવ્યું છે.

-શનિના ખરાબ પ્રભાવથી ડાયાબિટિસ, કિડની રોગ, ત્વચા રોગ, માનસિક રોગ, કેન્સર અને વાત રોગ થાય છે. જેનાથી રાહતના ઉપાય શનિની વસ્તુઓનું દાન છે.

कब कौन सी साधना फलदाई होती है


कब कौन सी साधना फलदाई होती है 
☮शिवलिंग या शिव पूजा मिथुन लग्न में उत्तम फलदाई होती है.
☸ ओम नमः शिवाय के जप मेष कर्क तुला और मकर लग्न में सिद्ध फलदाई है
✡ विष्णु पूजा के लिए कन्या  वृषभ वृश्चिक कुंभ लग्न में उत्तम प्रभाव देती है 

🔯शक्ति मंत्रो की साधना के लिए मिथुन कन्या धन और मीन लग्न उत्तम है 
☸सूर्य साधना के लिए सिंह  लग्न उत्तम है 
☸ब्रम्हा की कुंभ लग्न में 

♉ और कुलदेवी उपासना स्थिर लग्न में उत्तम प्रभावी है


जीवन की कुछ सुख घटनाएं


☮जब कोई काम से बाहर निकलते समय गाय अथवा सौभाग्यवती स्त्री सामने मिल जाए तो जिस काम से जिस काम से निकले होते हैं वह कम अवश्य ही सफल रहता है
☮कहीं बार अपने घर में चिड़िया यह कबूतर जैसे पक्षी घर की छत पर या अपनी छवि के पीछे अपना घोंसला बनाते हैं वह अतिशय शुभ चिन्ह है कम से कम आप के घर में 5 साल तक शुभ सुख और शांति बनी रहेगी
☮अपने घर के सामने गाय बकरी जैसे पशु शांती के लिए बैठे तब घर में सुख और शांति रहती है
☮सवेरे सवेरे नीलकंठ पंछी का मुख या नेवले का मुख देखना अति शुभ माना गया है
☮कोई गर्भ श्रीमंत व्यक्ती का पुराना वस्त्र घर में रखने से लक्ष्मी दायक है
☮लॉटरी लगने पर 3 घंटे तक इस बात को छुपाए रखना उचित होता है इस समय असहयोग होता है
☮घर में सांप निकलना गुप्त धन की निशानी है


શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2017

શ્રીયંત્ર વિષયક અદ્ભૂત માહિતી.એક સામટી મળતી નથી તે છતા અમે પ્રયાસ કાર્યો છે કે આપને બને તેટલી વધુ માહિતીથી અવગત કરાવી શકીયે.

ૐ કાર જ્યોતિષ લાવ્યું છે શ્રીયંત્ર વિષયક અદ્ભૂત માહિતી.

આમતો આ માહિતી એક સામટી મળતી નથી તે છતા અમે પ્રયાસ કર્યો છે કે આપને બને તેટલી વધુ માહિતીથી અવગત કરાવી શકીયે.

🔯આ ‘શ્રીયંત્ર’ વિષે જુદું જ લખાયું છે. તેનો અભ્યાસ કરાયો છે. અહીં આપણે આ  લેખમાં ‘શ્રીયંત્ર’ વિષે અને ‘શ્રી વિદ્યા’ વિષે થોડી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.

♉હિંદુ ધર્મમાં વિભિન્ન દેવી દેવતાઓના યંત્ર વિશે જણાવવામાં આવ્યું છે. આ યંત્રોનો ઉપયોગ વિભિન્ન ફળોની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી યંત્ર શ્રી અર્થાત ધન સંપત્તિ પ્રદાન કરનારું છે. શ્રી યંત્રને કામધેનુ યંત્ર સમાન માનવામાં આવે છે.
       (ૐ કાર જ્યોતિષ)
🏡વાસ્તુ અનુસાર શ્રી યંત્ર અદ્વેત શક્તિ સંપન્ન, ધન સંપત્તિ, સુખ, વૈભવ પ્રદાન કરનારું એક માત્ર યંત્ર છે.

જો વિધીપૂર્વક શ્રી યંત્ર સિદ્ધ કરવામાં આવે તો દરેક મનોરથ પૂર્ણ થાય છે. જે સાધક શ્રી યંત્રની દરરોજ પૂજા કરે છે તેને સંસારના દરેક સુખ પ્રાપ્ત થાય છે. સિદ્ધ શ્રી યંત્ર આપે છે ઈચ્છિત ફળ જેમ કોઈ શંકા ને સથાન નાથી.

♐આજકાલ બજારમાં રત્નોથી જડેલા શ્રી યંત્ર વધુ વેચાય છે પરંતુ તે અસરકારક નથી કારણ કે સિદ્ધ શ્રી યંત્રમાં વિધિપૂર્વક હવન પૂજન કરીને દેવી દેવતાઓ સમક્ષ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને એ શ્રી યંત્ર સમૃદ્ધિ આપનારું યંત્ર બને  છે.
જરુરી નથી કે એ યઁત્ર રત્નોથી જડવામાં આવ્યું હોય. શ્રી યંત્ર તાંબાનુ બનેલું હોય કે પિત્તળનું જ્યાં સુધી મંત્રની શક્તિથી વિધિપૂર્વક તેને પ્રભાવિત કરવામાં ના આવે સિદ્ધ કરવામાં નાં આવે ત્યાં સુધી શ્રી યંત્ર ધનની પ્રાપ્તિ માટે સક્ષમ બનતું નથી.
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
''જ્યાં શ્રી યંત્રની સ્થાપના થયેલ હોય ત્યાંની દરેક વ્યક્તિને, આસપાસની ભૂમિ-પશુપંખી અને સમગ્ર જીવન ચિરકાળ સુધી શુભફળ મળ્યા કરે છે.''
            (ૐ કાર જ્યોતિષ)
🎯શ્રીયંત્ર એ આજના સમગ્ર મનુષ્ય જાતિ માટે, પોતાનું કલ્યાણ થાય અને દરેક કાર્યમાં તેને અદ્ભુત સિધ્ધિ મળે તેવંસ યંત્ર છે. મંત્ર એ દેવ-દેવીઓનો આત્મા છે. જ્યારે યંત્ર એ દેવ-દેવીઓ-દેવતાઓનું શરીર છે. દેવ-દેવીઓની પુજા મંત્ર અને યંત્ર દ્વારા કરવામાં આવે છે. આપણે ત્યાં કેટલાક મંદિરોમાં મુર્તિઓની પૂજા થાય છે જ્યારે કેટલાક મંદિરોમાં માત્ર ને માત્ર યંત્રની પૂજા થાય છે. તે મંદિરમાં યંત્ર હોવાથી ત્યાં યંત્રમૂર્તિની સ્થાપના કરેલી હોય છે. આરાસુરી અંબાજીના મંદિરમાં યંત્રમૂર્તિ છે અને આપણે તે યંત્રના સ્વરૃપને માતાજીના સ્વરૃપમાં દર્શન કરીને ધન્ય થઈએ છીએ. યંત્રમૂર્તિ જ તે દેવ-દેવીઓની આકાર મૂર્તિ કરતાં અધિક પ્રભાવ ધરાવે છે. આ પ્રકારન યંત્ર મૂર્તિ ઉપાસકમાં દેવતામૂર્તિ પ્રત્યે તાદાત્મ્ય ભાવ દર્શાવીને મનુષ્યને દરેક પ્રકારની સિધ્ધી પ્રાપ્ત થાય છે.
            (ૐ કાર જ્યોતિષ)
પ.પૂ. આદ્ય શંકરાચાર્ય ગુરુજીએ લક્ષ્મીજીની ઉપાસના માટે શ્રીયંત્રનું અધિક મહત્ત્વ આપ્યું છે.
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરેલ હોય ત્યાંની દરેક વ્યક્તિ કે સભ્યોને તેમજ આસપાસની ભૂમિ અને તમામ પ્રકારના જીવોને ચિરકાળ સુધી શુભફળ શ્રીયંત્રની ઉપાસનાથી મળ્યા જ કરે છે.
માનવીના સર્વ કાર્ય સિધ્ધ થાય છે. ઉપરાંત તે માનવને આધ્યાત્મિક શાંતિ-ઐશ્વર્ય-ધન સંબંધી વિશેષ લાભ અને અદ્ભૂત ચમત્કારિક સિધ્ધી મળે છે. તેમાં કોઈ શંકા નથી.
તેથી જ સૃષ્ટિની ઉત્પતિ અને માનવીના વિકાસનું સ્વરૃપ શ્રીયંત્ર છે. તેની ઉપાસના પૂજા અથવા તો માત્રને માત્ર તેના દર્શન કરવાથી જીવનો ઉદ્ધાર-ઉન્નતિ થવા લાગે છે.
            (ૐ કાર જ્યોતિષ)
🙏🏻 શ્રીયંત્રની સ્થાપના કરનાર મનુષ્યે તેનો સ્વીકાર કરીને સર્વ દુઃખ દારિદ્ર રોગ-પાપ-ભય અપમૃત્યુ કે શોકનો નાશ થાય છે. ઘરમાંથી અલક્ષ્મીરનો ક્ષય થાય છે અને કુબેરસમાન ધનવાન બને છે.
દેવાધિદેવે મહાદેવ આધ્ય શંકરાચાર્ય ગુરુજીને વિશ્વના કલ્યાણ માટે 'શ્રીયંત્ર' અને 'શ્રી સુક્ત'ના બાવન શ્લોકો વરદાનમાં આપ્યા. 'શ્રી સુક્ત' 'કનકધારા સ્ત્રોત' 'શ્રી લક્ષ્મી' સુક્ત'ના મંત્રોનું ગાન કરવાથી શ્રીયંત્રની પ્રાણશક્તિ દ્વારા મનુષ્ય ધનવાન બને છે. તેથી શ્રીસુક્તના સોળમા શ્લોકમાં કહ્યું છે.
।। યઃ શુચિ પ્રયત્વો ભ્ત્વા જુહુયાદા જય મન્વહં । શ્રી સુક્તમ્ પંચદર્શનમ્ ચ શ્રીં કામઃ સતતં જયેત ।।
(શ્રી સુક્ત ૧૬મો શ્લોક) ''

ઋણ રોગાદિ દારિદ્રયં પાપંચ અપમૃત્યુવઃ । ભય શોક મનસ્તાપાન્નશ્યન્તુ મમ સર્વદા ।।''
(શ્રી લક્ષ્મી' સુક્તનો ૧૨મો શ્લોક)

 ''સુવર્ણધારાસ્ત્રોતં ય ચ શંકરાચાર્ય વિરચિતમ્ । ત્રિસંધ્યમ યઃપઠે નિત્યમ્ સ કુબેર સમોભવેત ।।''
(શ્રીકનકધારા સ્ત્રોતનો ૧૯મો શ્લોક)
              (ૐ કાર જ્યોતિષ)

🔯શ્રી યંત્રમાં ભૂપૃષ્ઠ, કુમૃપુષ્ઠ ને મેરૃપૃષ્ઠ આકારના હોય છે. તાંબામાં, સોનામાં, ચાંદીમાં કે પંચધાતુમાં શ્રીયંત્રનું નિર્માણ થઈ શકે છે. માનવ પોતાની શક્તિ પ્રમાણે શ્રીયંત્ર વસાવી શકે છે. સેવનના કાષ્ટમાંથી પણ શ્રીયંત્રનું નિર્માણ થઈ શકે છે.
                     
🔮આ શ્રીવિદ્યાના અસંખ્ય ઉપાસક રહી ચૂક્યા છે. તેમાં શ્રીમદ્ શંકરાચાર્યના પરમગુરુ ગૌડપાદ સ્વામી, સ્વયં શંકરાચાર્ય તથા તેના અનુવર્તી સૂરેશ્વર, પદ્મપાદ, વિદ્યારણ્ય સ્વામી પ્રભુતિ વગેરે અનેક વેદાન્તી આચાર્ય શ્રી વિદ્યાના ઉપાસક હતા.

મિમાંસકોમાં આચાર્યપ્રવર ખંડદેવના શિષ્ય શમ્ભુ ભટ્ટ, ભાસ્કરરાય પ્રભૂતિ પણ શ્રીવિદ્યાના ઉપાસક હતા.

મહાપ્રભુ ચૈતન્યદેવ દ્વારા પ્રવર્તિત સંપ્રદાયગત સિદ્ધાંતના મૂળમાં પણ આ સાધનાનો પ્રભાવ સ્પષ્ટરૂપે અથવા તો ક્યાંક સ્થળે અર્ધ પ્રછન્નભાવમાં પરિલક્ષિત થાય છે.

મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવના નિત્ય સત્સંગી નિત્યાનંદ મહાપ્રભુ શ્રી વિદ્યાના ઉપાસક હતા, આ વાત સર્વવિદિત છે.
શૈવાચાર્યગણમાં અભિનવગુપ્ત પ્રભુતિ પણ શિવ ઉપાસનાની સાથે શ્રીવિદ્યાના ઉપાસક હતા.
              (ૐ કાર જ્યોતિષ)
શ્રીયંત્રનો પ્રભાવ આવી રીતે ભારત પર વર્ષોથી છે, માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં પણ ‘શ્રીયંત્ર’ વિષે આજે પણ શોેધખોળ ચાલી રહી છે. ‘શ્રીયંત્ર’ ખરેખર એક અદ્ભૂત, રહસ્યમય વિશિષ્ઠ સિદ્ધપ્રદ તથા ચોક્કસ અસર પાડતું યંત્ર છે. એનું રહસ્ય પામવા જેમ જેમ પ્રયત્નો થયા છે તેમ તેમ એ વઘુને વઘુ રહસ્યમય બનતું ગયું છે.

🔯આમ તો શ્રીયંત્રના મુખ્ય આઠ પ્રકાર છે. આ આઠેય શ્રીયંત્રો અલગ અલગ ફળ આપનારા છે.

શ્રીયંત્ર સોના, ચાંદી, તામ્ર ધાતુ, પંચ ધાતુ, તાલપત્ર તથા ભોજનપત્ર પર અને કાગળ પર આલેખવામાં અને કોતરવામાં આવે છે. ક્યાંક સ્ફટીક પર પણ આલેખવામાં આવ્યાના નમુના મળી આવે છે.
🙏🏻 પથ્થરોમાં કંડારેલા શ્રીયંત્ર પણ મંદિરોમાં જોવા મળે છે.
🙏🏻જ્યાં લક્ષ્મીનો વાસ છે તેવા તિરુપતિબાલાજી મંદિર,
🙏🏻 શ્રીનાથજી મંદિર
🙏🏻 નેપાળનું પશુપતિનાથ મંદિર
🙏🏻 રામેશ્વર મંદિર
🙏🏻 નેપાળના પશુપતિનાથ મંદિરના ગર્ભાગારમાં કે જ્યાં મુખ્ય મૂર્તિ છે તેની ચારેય બાજુ આઠેય પ્રકારના શ્રીયંત્ર આલેખાયેલા જોવા મળે છે. 🙏🏻જ્યારે તિરૂપતિ બાલાજીની મૂર્તિ નીચે શ્રીયંત્ર આલેખવામાં આવેલ છે. શ્રીનાથજી મંદિરના પાયામાં પણ શ્રીયંત્ર જ છે.
આવા ખ્યાત નામ મંદિરોની    આવકના મૂળમાં શ્રીયંત્ર જ છે.

  🔯આઠ પ્રકારના શ્રીયંત્રમાં🔯

🔺‘મેરુપૃષ્ઠિય શ્રીયંત્ર’ અઢળક સંપત્તિ પામવા માટે,
🔺‘કૂર્મ પુષ્ઠિય શ્રીયંત્ર’ દરિદ્રતા નાશ તથા સંપૂર્ણ ઐશ્વર્યાસિઘ્ધિ માટે, 🔺‘મત્યપૃષ્ઠિય શ્રીયંત્ર’ અદ્ભૂત ઐશ્વર્યાસિઘ્ધિ માટે ‘
🔺ઉર્ઘ્વરુપિય શ્રીયંત્ર’ અષ્ટ પ્રકારની લક્ષ્મી પ્રાપ્તિ માટે,
🔺 ‘માતંગીય શ્રીયંત્ર’ નવ નીધિ માટે 🔺ધરાપુષ્ઠિય શ્રીયંત્ર’ ભૂમિ લાભ માટે
🔺વારાહીય શ્રીયંત્ર આકસ્મિક લક્ષ્મી લાભ માટે તથા
🔺 નવનીધિ શ્રીયંત્ર સંપૂર્ણ સંપત્તિ તથા ભાગ્યલક્ષ્મી માટે પૂજન થાય છે.
             (ૐ કાર જ્યોતિષ)

♐આ શ્રીયંત્ર મા ૨૮૧૬ શક્તિઓ/ દેવીઓનું પ્રતિક મનાય છે. અને આમ શ્રીયંત્રની પૂજાએ સમગ્ર શક્તિની પૂજા છે.

📚પૌરાણિક કથા શ્રી યંત્રના સંદર્ભમાં એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે.આ કથા અનુસાર આદિ શંકરાચાર્યજીએ કૈલાસ માન સરોવર પર ભગવાન શંકરને કઠિન તપસ્યા કરીને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શંકરે તેમને પ્રસન્ન થઈને વચન માંગવાનું કહ્યું ત્યારે શંકરાચાર્યે તેમને વિશ્વ કલ્યાણનો ઉપાય પૂછ્યો. ભગવાન શંકરે સાક્ષાત લક્ષ્મીના સ્વરુપમાં શ્રી યંત્રની મહિમા દર્શાવી અને કહ્યું કે શ્રી યંત્ર મનુષ્યના કલ્યાણ માટે જરુરી છે.
શ્રી યંત્ર પરમ બ્રહ્મ સ્વરુપ અને પ્રકૃતિમય દેવી ભગવતી મહા ત્રિપુરી સુંદરીની આરાધનાનું સ્થલ છે. કેમ કે આ ચક્ર તેમનો નિવાસ અને રથ છે.
શ્રી યંત્રમાં દેવી સ્વયં મૂર્તિવાન થઈને બિરાજે છે અને માટે જ શ્રી યંત્ર વિશ્વનું કલ્યાણ કરે છે.

📚બીજી પ્રસિદ્ધ કથા છે કે એકવાર લક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ ચાલી ગયા, આથી ધરતી પર જાત-જાતની સમસ્યાઓ જાગી, બ્રાહ્મણ અને વણિક વર્ગ લક્ષ્મી વિના દીન હીન દશામાં ભટકવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ એવા વશિષ્ઠે નિર્ણય કર્યો કે હું કોઈપણ ભોગે લક્ષ્મીને રીઝવીને ફરી પૃથ્વી પર લાવીશ.
વશિષ્ઠ વૈકુંઠ ગયા, લક્ષ્મીજીને મળ્યા, જોયું ને જાણ્યું કે લક્ષ્મીજી રીસાયાં છે. તે કોઈપણ રીતે પૃથ્વી પર આવવા માંગતા નથી. વશિષ્ઠ ત્યાં જ પોતાનું સ્થાન જમાવી વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. વિષ્ણુ પ્રગટ થયાં. તેમને ઋષિમુનિએ કહ્યું, ‘અમો પૃથ્વીવાસીઓ લક્ષ્મી વિના દુ:ખી છીએ, અમારો આનંદ ઉલ્લાસ છીનવાઈ ગયો છે. આપ આમાંથી માર્ગ કાઢો.’ ભગવાન વિષ્ણુ વશિષ્ઠને લઈને લક્ષ્મીજી પાસે જાય છે, તેમને મનાવે છે, પરંતુ માનતા નથી. તેમણે જણાવ્યું કે ‘હું કોઈપણ સંજોગોમાં પૃથ્વી પર આવવા માંગતી નથી.’ હતાશ થઈ વશિષ્ઠ પૃથ્વી પર પાછા આવે છે. ઋષિમુનિઓએ આ બાબત શું કરવું તે માટે વિચાર વિમર્શ કર્યો. દેવતાઓનાં ગુરુ બૃહસ્પતિએ કહ્યું હવે એક જ રસ્તો છે, શ્રી યંત્રની સાધનાનો. જો સિદ્ધ શ્રી યંત્ર બનાવવામાં આવે અને તેની સ્થાપના કરવામાં આવે તો લક્ષ્મીજીને પધારવું પડે. બૃહસ્પતિની વાત મુજબ ધાતુમાં શ્રીયંત્ર બનાવી મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા કરી દિવાળીના બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે પૂજા કરી. પૂજા પૂરી થતાં પહેલાં તો લક્ષ્મીજી હાજર થઈ ગયા અને કહ્યું ‘હું કોઈ પણ સંજોગોમાં આવવા તૈયાર ન હતી પરંતુ શ્રીયંત્ર મારો આધાર છે. તેમાં મારો આત્મા છે.’ તેથી સાબિત થાય છે કે, લક્ષ્મીજીને સહુથી પ્રિય યંત્ર શ્રીયંત્ર છે.(ૐ કાર જ્યોતિષ)
                   
જ્યાં શ્રીયંત્રની સ્થાપના થાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.
                   
જ્યાં આ યંત્રની સ્થાપના થાય છે, ત્યાં દરિદ્રતાનો નાશ થઈ જાય છે.
                     
 દેવામાંથી મુક્ત થવા માટે આ યંત્ર સંપૂર્ણ સફળતા આપનારું છે.
                     
🔯 આ યંત્ર ખરેખર અદ્દભુત રહસ્યમય, વિશિષ્ઠ સિદ્ધદાતા અને ચોક્કસ જ પ્રભાવશાળી છે. એનું રહસ્ય ઉકેલવાના પ્રયત્નો જેમ જેમ થાય છે તેમ તેમ એ વધુને વધુ ગૂંચવાતા જાય છે. આ યંત્રનું રહસ્ય પામવા માત્ર આપણા દેશમાં જ નહિ વિશ્વભરમાં સંશોધનો થાય છે. અને હજી પણ થાય છે.

🕵પાશ્ચાત્ય યંત્ર વિશેષજ્ઞ વુડરોકે કહેલું છે કે જે દિવસ શ્રી યંત્રનું સંપૂર્ણ પૂજન રહસ્ય હાથ આવી જશે તે દિવસે વિશ્વનું સ્વરૂપ બદલાઈ જશે.
🕵 તંત્ર વિશેષજ્ઞોએ શ્રી યંત્ર અને એની સાથે સંકળાયેલા શ્રીસુક્તનો પાર પામવામાં પોતાનું જીવન હોમી દીધું છે. છતાં પણ યંત્રરાજની ગૂંચ પૂરેપૂરી ઉકેલવામાં એમને સફળતા મળી નથી.

📕મંત્ર મહાર્ણવમાં લખ્યા મુજબ શ્રી સુક્તનાં સોળમંત્રો છે. આ મંત્રોમાં સંકેતો રૂપે કોઈપણ ધાતુમાંથી સોનું બનાવવાની વિધિ ગૂંથાયેલી છે. જે દિવસે આ મંત્રોનો ગૂઢ અર્થ સમજાઈ જશે એ દિવસે કોઈપણ ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાનું વિશ્વને જ્ઞાન થઈ જશે. શ્રી સુક્તની ગૂઢ લિપી ઉકેલવાની ચાવી શ્રી યંત્રમાં છુપાયેલી છે.(ૐ કાર જ્યોતિષ)
આ યંત્રમાં મુખ્ય રૂપે 18 શક્તિઓનુ અર્ચન હોય છે. આ શક્ત્તિઓ જ સંપૂર્ન બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓના અર્ચન પૂજનથી પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, અહંકાર અને દસ ઈન્દ્રિયોની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડ અથવા બ્રહ્મ જગતને પોતાના વશમાં કરી લે છે.

શ્રીયંત્ર. તેની અધિષ્ઠાત્રી સ્વયં ત્રિપુરસુંદરી ભગવતી લક્ષ્મી છે. શ્રીનો અર્થ છે લક્ષ્મી. શ્રીયંત્ર શક્તિશાળી લલિતાદેવીનું પૂજા ચક્ર છે.
 આ યંત્ર સિદ્ધિદાયક, ધનદાયક, કષ્ટનાશક, સર્વવ્યાધી વિનાશક અને સર્વ ભયનાશક છે. આ યંત્ર સર્વસૌભાગ્યનું દાયક મનાય છે.
શ્રી યંત્રની કૃપાથી તેના બધા પાપનો નાશ થાય છે અને ચમત્કારી સિદ્ધિઓ, ધન ધાન્ય અને સુખની પ્રાપ્ર્તિ થાય છે.

ઘણાએ કહ્યું છે કે શ્રીયંત્ર મંત્ર સિદ્ધ હોય તો તેના પર કોઈપણ જાતનો પ્રયોગ કે ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સ્વયં જ મંત્ર ચૈતન્ય થઈ જાય છે. અને જ્યાં પણ એની સ્થાપના થાય છે, ત્યાં અનુકૂળ ફળ પ્રભાવ આપવા માંડે છે જેમ અગરબત્તી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી નથી, અને જ્યાં પણ સળગાવવામાં આવે છે ત્યાં સુગંધ પ્રસરાવવા માંડે છે. એ જ પ્રમાણે મંત્ર સિદ્ધ ચૈતન્ય શ્રીયંત્રની જ્યાં પણ સ્થાપના હોય ત્યાં આગળ એ અનુકૂળતા આપવા માંડે છે.પરંતુ આ કલિયુગ મા આપણે જાને અજાણે ઘણાં ગોર પાપ કર્યા જ હોય છે તૌ આપણા પાપનો નાશ નાં થાય ત્યાં સુધી પુણ્ય નો ઉદય થતો નથી તો પૂજા ઉપાસના કરવી અનિવાર્ય હોય છે.
             (ૐ કાર જ્યોતિષ)

🔯શ્રી યંત્રનો ઉલ્લેખ તન્ત્રરાજ, લલિતા સહસ્ત્ર નામ, કામકલા વિલાસ, ત્રિપુરોપનિષદ વગેરે જેવા જુદા જુદા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મળે છે. મહાપુરાણોએ શ્રી યંત્રને દેવી મહાલક્ષ્મીનું પ્રતીક ગણાવાયું છે. આ પુરાણોના વર્ણન અનુસાર મહાલક્ષ્મીજી સ્વયં કહે છે કે, ‘શ્રી યંત્ર એ મારો પ્રાણ, મારી શક્તિ, મારો આત્મા તથા મારું સ્વરૂપ છે. શ્રી યંત્રના પ્રભાવથી જ હું પૃથ્વીલોક પર વાસ કરું છું.’
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીયંત્રમાં ૨૮૧૬ દેવી-દેવતાઓની સામૂહિક અદૃશ્ય શક્તિ વિદ્યમાન રહે છે. તેથી જ તેને યંત્રરાજ, યંત્ર શિરોમણિ, ષોડશી યંત્ર અને દેવ દ્વાર પણ કહેવામાં આવેલ છે.
              (ૐ કાર જ્યોતિષ)
 દત્તાત્રેય અને ઋષિ દૂર્વાસાએ શ્રી યંત્રને મોક્ષદાતા માનેલ છે. જૈન શાસ્ત્રોમાં પણ આ યંત્રની પ્રશંસા કરવામાં આવી છે.
જેમ શરીર અને આત્મા પરસ્પરના પૂરક છે તેવી જ રીતે દેવતા અને તેમનાં યંત્રો પણ એક બીજાનાં પૂરક છે. યંત્રને દેવતાનું શરીર અને મંત્રને આત્મા કહે છે. યંત્ર અને મંત્ર એ બન્નેની સાધના અને ઉપાસના મળીને તરત જ ફળ આપે છે.
📿જે રીતે મંત્રોની શક્તિ તેના શબ્દોમાં રહેલ છે તેવી જ રીતે યંત્રની શક્તિ તેની રેખાઓ અને બિન્દુઓમાં હોય છે. મકાન, દુકાન વગેરેના નિર્માણ વખતે જો તેના પાયામાં પ્રાણ પ્રતિષ્ઠિત શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે તો તેમાં વસતા લોકોને શ્રી યંત્રની અદ્ભુત અને ચમત્કારી શક્તિઓની અનુભૂતિ થવા લાગે છે.

      🗜  શ્રી યંત્રનું નિર્માણ  🗜

શ્રી યંત્રનું નિર્માણ સુવર્ણ (સોનું), રજત (ચાંદી), તામ્રપત્ર અથવા સ્ફટિક પર કરવામાં આવે છે. ત્રિધાતુ એટલે સોનું, ચાંદી અને તાંબુ મેળવીને પણ શ્રી યંત્રનું નિર્માણ કરી શકાય છે. પાંચ ધાતુ અને અષ્ટ ધાતુ મા પણ નિર્માણ કરી શકાય છે.
🔺પારદ શ્રી યંત્રને સર્વશ્રેષ્ઠ મનાયું છે.
🔺ભોજપત્ર પર બનેલ શ્રી યંત્ર સાધારણ ફળદાયી.
🔺તામ્રપત્ર પર શ્રેષ્ઠ.
🔺રજતપત્ર પર શ્રેષ્ઠ અને
🔺સુવર્ણ પર બનેલ શ્રી યંત્ર શ્રેષ્ઠતમ ફળદાયી હોય છે.
🔺સ્ફટિકમાંથી બનેલ શ્રી યંત્ર ખૂબ જ શુભ ફળદાયી હોય છે.
🔺 શત્રુશમન માટે સોનાનું
🔺 કલ્યાણ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે ચાંદીનું
🔺 વ્યવસાયના સ્થળે અષ્ટધાતુનું શ્રી યંત્ર શ્રેષ્ઠ ગણાય છે.
              (ૐ કાર જ્યોતિષ)

 શ્રી યંત્રનું નિર્માણ ગુરુપુષ્ય યોગ.
 રવિપુષ્પ યોગ, નવરાત્રિ, દિવાળી કે શિવરાત્રિના અવસરો પર કરવામાં આવે છે.
☝🏻શુદ્ધ સ્ફટિકમાંથી બનેલ શ્રી યંત્ર અનંતકાળ સુધી
☝🏻 સોનાનું સો વર્ષ
☝🏻રજતનું ૨૫ વર્ષ
☝🏻તાંબાનું બાર વર્ષ
☝🏻ભોજપત્રનું છ વર્ષ સુધી શુભકારી રહે છે.
           (ૐ કાર જ્યોતિષ)

             શ્રી યંત્રની રચના

🔱શ્રી યંત્રની રચોનામાં બિન્દુ, ત્રિકોણ અથવા ત્રિભુજ, વૃત્ત, અષ્ટકમળ વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. શ્રી યંત્રમાં નવત્રિકોણ અથવા ત્રિભુજ હોય છે. જે નિરાકાર શિવની નવ મૂળ પ્રકૃતિઓના દ્યોતક છે.
🔺મુખ્યત્વે બે પ્રકારે શ્રી યંત્ર બનાવવામાં આવે છે. (૧) સૃષ્ટિક્રમ અને (૨) સંહારક્રમ.
સૃષ્ટિક્રમથી બનેલ શ્રી યંત્રમાં પાંચ ઊંર્ધ્વ મુખી ત્રિકોણ હોય છે, જેને શિવ ત્રિકોણ કહે છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયોનાં પ્રતીક છે. આ અધોમુખી ત્રિકોણ હોય છે જેને શક્તિ ત્રિકોણ કહેવામાં આવે છે. તે પ્રાણ મજ્જા, શુક્ર અને જીવનના દ્યોતક છે.
સંહારક્રમથી બનેલ શ્રી યંત્રમાં ચાર ઉર્ધ્વમુખી ત્રિકોણ, શિવ ત્રિકોણ હોય છે અને પાંચ અધોમુખી ત્રિકોણ શક્તિ ત્રિકોણ હોય છે. આ શ્રી યંત્ર કાશ્મીર સંપ્રદાયમાં કૌલ મતાનુયાયી ઉપયોગમાં લે છે.
            (ૐ કાર જ્યોતિષ)
🔅શ્રી યંત્રમાં નવ ત્રિભુજોના નિર્માણમાં તેની સાથે મળીને તેંતાલીસ નાના ત્રિભુજ બની જાય છે. જે તેંતાલીસ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યના સૌથી નાના ત્રિભુજની વચ્ચે એક બિન્દુ હોય છે. જે સમાધિનું સૂચક છે અર્થાત્ તે શિવ અને શક્તિનું સંયુક્ત રૂપ છે. તેની ચોફેર જે તેંતાલીસ ત્રિકોણ બને છે તે યોગ માર્ગ અનુસાર યમ ૧૦, નિયમ ૧૦, આસન ૮, પ્રત્યાહાર ૫, ધારણ ૫, પ્રાણાયામ ૩, ધ્યાન ૨ હોય છે. આ ત્રિભુજોની બહારની તરફ આઠ કમળ દળનો સમૂહ હોય છે જેની ચોફેર સોળ દળવાળા કમળ સૂચક હોય છે. આ સૌની બહાર ભૂપુર છે.
           (ૐ કાર જ્યોતિષ)
મનુષ્ય શરીરની માફ્ક જ શ્રી યંત્રની રચનામાં પણ નવ ચક્ર હોય છે
જેનો ક્રમ અંદરથી બહાર તરફ આ      પ્રકારે હોય છે.
આ યંત્રની મધ્યમાં નવ ત્રિકોણ હોય છે, તેમાંથી બીજા 43 ત્રિકોણ બનેલા હોય છે. આ પ્રકારે બનેલું મેરુપૃષ્ઠીય યંત્ર રહસ્ય અને ચમત્કારોથી યુક્ત અને પોતાનામાં અનેક શક્તિઓનો સમાવેશ કરેલું યંત્ર છે.
             (ૐ કાર જ્યોતિષ)

           કેન્દ્રસ્થ રક્તબિંદુ
                      🙏🏻
🔸પીળો ત્રિકોણ જે સર્વ સિદ્ધિપ્રદ કહેવાય છે.
🔸હરિયાળા (લીલા) રંગના આઠ ત્રિકોણ સર્વ રક્ષાકારી છે.
🔸તેની બહાર કાળા રંગના દસ ત્રિકોણ સર્વ રોગનાશક છે.
🔸લાલ રંગના દસ ત્રિકોણ સર્વાર્થ સિદ્ધિના પ્રતીક છે.
🔸તેની બહાર નીલા રંગના ચૌદ ત્રિકોણ સૌભાગ્યદાયક છે.
🔸ગુલાબી રંગના આઠ કમળદળનો સમૂહ દુઃખની ક્ષણોના નિવારણનો પ્રતીક છે.
🔸ની બહાર પીળા રંગમાં સોળ કમળદળનો સમૂહ ઇચ્છા પૂર્તિકારક છે.
🔸અંતમાં સૌથી બહાર હરિયાળા (લીલા) રંગના ભૂપુર ત્રૈલોક્ય મોહનના નામથી ઓળખવામાં આવે છે.
આ નવ ચક્રોની અધિષ્ઠાત્રી નવ દેવીઓનાં નામ આ પ્રમાણે છે.

(૧) ત્રિપુરા (૨) ત્રિપુરેશી (૩) ત્રિપુરસુંદરી (૪) ત્રિપુરવાસિની (૫) ત્રિપુરાત્રિ (૬) ત્રિપુરામાલિની (૭) ત્રિપુરસિદ્ધા (૮) ત્રિપુરામ્બા અને (૯) મહાત્રિપુરસુંદરી.

🙏🏻શ્રી યંત્રની પૂજાના લાભ🙏🏻
                  
શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રી યંત્રની અદ્ભુત શક્તિના કારણે તેના દર્શન માત્રથી જ લાભ મળવાની શરૂઆત થઇ જાય છે.

♉આ યંત્રને મંદિર અથવા તિજોરીમાં રાખી તેની દરરોજ પૂજા કરવાથી અને દરરોજ કમળ કાકડીના મણકાની માળા થકી શ્રીસૂક્તના બાર પાઠ શ્રી લક્ષ્મી યંત્રના જપની સાથે કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ધનસંકટ દૂર થઇ જાય છે.
♉જન્મકુંડળીમાં હાજર એવા કેમદ્રુમ, દરિદ્ર, શકટ, ઋણ, નિર્ભાગ્ય, કાક વગેરે વિભિન્ન કુયોગોને દૂર કરવામાં શ્રી યંત્ર ખૂબ જ લાભકારી છે.
♉ શ્રી યંત્ર મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે.
♉આ યંત્રની કૃપાથી મનુષ્યને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની પ્રાપ્તિ થઇ શકે છે.
♉શ્રી યંત્રના પૂજનથી સઘળા રોગોનું શમન થાય છે અને શરીરની કાન્તિ નિર્મળ થઇ જાય છે.
♉આ યંત્રની પૂજા કરવાથી વીર્ય સ્તંભન થાય છે અને પંચ તત્ત્વો પર વિજય પ્રાપ્ત થાય છે.
♉આ યંત્રની કૃપાથી મનુષ્યને ધન, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
♉શ્રી યંત્રના પૂજનથી રોકાયેલાં કે અટકેલાં કામો સક્રિય બને છે.
♉શ્રી યંત્રની શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે પૂજા કરવાથી દુઃખ-દરિદ્રયનો નાશ થાય છે.
♉શ્રી યંત્રની સાધના ઉપાસનાથી સાધકની શારીરિક અને માનસિક શક્તિ પુષ્ટ થાય છે.
♉ આ યંત્રની પૂજાથી દસ મહાવિદ્યાઓની પ્રાપ્તિ થઇ શકે છે.
♉શ્રી યંત્રની સાધનાથી આર્થિક ઉન્નતિ થાય છે અને વ્યાપારમાં સફળતા મળે છે.
♉શ્રી યંત્રના દર્શન માત્રથી બધા પાપ, શ્રાપ અને તાપનુ શમન થાય છે અને ધન ધાન્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થય છે.
🙏🏻🔺આની સાધના વામ અને દક્ષિણ બંને માર્ગોથી કરવામાં આવે છે. 🔺🙏🏻

♉શ્રી યંત્રને દુકાનમાં રાખવાથી વેચાણમાં વધારો થાય છે.
♉પૂજા ઘરમાં રાખવાથી ધન ધાન્ય અને કારખાના કે અન્ય કોઈ વ્યવસાય ક્ષેત્રમાં રાકહ્વાથી વ્યવસાયમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે.
♉તેનુ સવારે ઉઠીને દર્શન માત્ર કરી લેવાથી દરેક પ્રકારનો લાભ મળે છે.

🙏🏻 વિનિયોગ મંત્રમાં ઉન્નતિ અને શ્રીયંત્રની રચના પૂજા અને વિધિ માટે શાસ્ત્રોમાં પંચોપચાર પૂજન વિધિ બતાવી છે.✋🏻પાંચ પૂજામાં શ્રીયંત્રને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું પૂજન કરવું તેમ જણાવ્યું છે. તેનો સવારે ઉઠીન દર્શન કરવાથી દરેક પ્રકારના લાભ મળે છે.
🙏🏻શ્રીયંત્રને પ્રાત:કાળે નિત્ય જળથી સ્નાન કરાવવું. તેના પર ચંદન, કંકુના ચાંલ્લા કરી દીવો, ધૂપ કરી દર્શન કરીને પ્રસ્થાન કરવું. શ્રીયંત્રમાં દસ વિધાઓનો સમાવેશ થયેલો છે. ભોજપત્ર, તાંબું, સ્ફટિક, ચાંદી, સોનામાં બનાવેલ શ્રીયંત્રને પૂજામાં રાખી નિત્ય દર્શન કરનાર ધન, સંપત્તિ, માન, સન્માન મેળવે છે.
તમામ યંત્રોમાં શ્રીયંત્ર રાજા સમાન ગણાય છે.

તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે અન્ય દેવોની ઉપાસના કરવાથી ભોગ અને મોક્ષ બંનેમાંથી કોઈ એક જ પ્રાપ્ત થાય છે, યા તો ભોગ યા તો મોક્ષ. પરંતુ માતા ત્રિપુરસુંદરીની જે ભક્ત ઉપાસના કરે છે તેને સંસારનું સુખ ઐશ્વર્ય (ભોગ) અને જીવન પછી મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. પુરાણ તથા તંત્ર ગ્રંથો ર્માંં વર્ણિત દશ મહાવિદ્યાઓમાં તૃતીય ષોળશી વિદ્યા ત્રિપુરસુંદરી છે. ત્રિપુરસુંદરી દેવીના યંત્ર મનાતા શ્રીયંત્રના રેખાંકનએ દેશી-વિદેશી બધા રેખાગણિતજ્ઞોને આશ્ચર્યચકિત કર્યા છે.

🔅શ્રીયંત્ર શિવ અને શિવા બંનેનું એક શરીર છે. બંને સર્વથા અભિન્ન છે. શ્રીચક્રમાં ૪ ત્રિકોણ ઊર્ધ્વમુખ (ઉપર) અને ૫ ત્રિકોણ સાધક જ ની તરફ અર્ધ્વમુખ (નીચે) હોઈ છે. તે મળીને શિવશક્તિ મય ૯ ત્રિકોણ બને છે.  અંકશાસ્ત્ર અનુસાર ૯ અંક પૂર્ણાક માનવામાં આવ્યો છે. ૯ ને કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી બરાબર ૯ જ રહે છે, તેથી આ પૂર્ણાતાનું ઘોતક છે.
🔺શ્રીચક્રમાં ૯ આવરણ હોય છે. જેનું ''આવરણ પૂજન'' થાય છે. તે નવ આવરણના પ્રથમ આવરણને ''ત્રૈલોક્ય મોહનચક્ર'' કહેવામાં આવે છે. આમા ૪ દ્વાર તથા ૩ રેખાઓ હોય છે. ૩ રેખાઓમાં પ્રથમ રેખામાં ૧૦ દેવીઓનો નિવાસ, બીજી રેખામાં અષ્ટ માતૃકાનો નિવાસ અને તૃતીય રેખામાં ૧૦ શક્તિઓનો નિવાસ હોય છે.
🔺દ્વિતીય આવરણનું નામ ''સર્વાશાપરિપૂરકચક્ર'' ચક્ર છે. આમા ષોડશદલ હોય છે. આ ષોડશદલોમાં ષોડશનિત્ય કલાઓની પૂજા થાય છે.
🔺તૃતિય આવરણ ''સર્વસંક્ષોભણચક્ર'' છે. આમા અષ્ટદલ કમલ છે અને આઠ દેવીઓની પૂજા કરવામાં આવે છે.
🔺ચતુર્થ આવરણ ''સર્વસૌભાગ્યદાયકચક્ર'' કહેવાય છે. આમા ૧૪ ખુણા હોય છે અને ૧૪ શક્તિઓનો નિવાસ હોય છે.

🔺પંચમાવરણ ''સાર્વાથસાધક'' છે. આમા ૧૦ ખુણા બહાર હોય છે તેને ''બર્હિર્દશાર'' ચક્ર પણ કહે છે. આમા ૧૦ દેવીયોનો નિવાસ હોય છે અને તેની પૂજા થાય છે.
🔺ષષ્ઠાવરણ ''સર્વરક્ષાકરચક્ર'' છે, આની અંદર ૧૦ ખુણા હોય છે. જેને ''અન્તર્દશારચક્ર'' પણ કહે છે. આમા ૧૦ દેવીઓનો નિવાસ હોય છે.
🔺સપ્તમાવરણ ''સર્વરોગહર'' કહેવાય છે. આમા આઠ ખુણા હોય છે. આમા ૮ દેવીની પૂજા થાય છે. 🔺અષ્ટમાવરણ ''સર્વસિદ્ધિપ્રદચક્ર'' કહેવાય છે. આ ત્રિકોણાત્મક હોય છે. આમા ૪ આયુધ દેવીઓ-વાણિની, ચાપિની, પાશિની અને અંકુશિનીનો નિવાસ હોય છે. ત્રણ દેવી ત્રણ ખુણા પર રહે છે. અને પાછળ ત્રિકોણની વચ્ચે કેન્દ્ર સ્થાનમાં જેને બિંદુ કહેવાય છે, આયુધ દેવીઓની સાથે કામેશ્વરી, વ્રજેશ્વરી અને ભગમાલિની આ ત્રણ શક્તિઓની પણ પૂજા થાય છે.
🔺 નવમુ આવરણ ''સર્વનંદમયચક્ર'' કહેવાય છે. સર્વ શક્તિઓમાં પ્રધાન લલિતા, મહાત્રિપુરસુંદરી આમાં વાસ કરે છે. જેની પૂજા અહીં કરવામાં આવે છે.
આ પ્રકાર શ્રીચક્રની શક્તિઓ છે.શ્રીવિદ્યાથી દીક્ષિત થઈને ભક્તિભાવથી શુદ્ધતાથી પ્રતિદિન યથોપચારથી શ્રીચક્રનું પૂજન કરવાથી જગદમ્બાની કૃપાથી અવશ્ય જ મનવાંચિત ફલ અને શ્રીમાતા ભગવતી ત્રિપુરસુંદરીની કૃપા પ્રાપ્ત થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથિ.
 🏷આ ''સર્વસિદ્ધિપ્રદ'' કહેવાય છે. પરંતુ ખંડિત તૈટુલું યંત્ર પૂજીત નથી જો કોઈ કારણે યંત્રની રેખાઓ ભૂસાય જાય અથવા તો ખંડિત થઈ જાય તેને તીર્થરાજમાં નદી અથવા સમુદ્રમાં વિસર્જીત કરી દેવું જોઈએ નહીં તો દુઃખ ભાજન થવું પડશે. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વગર યંત્રનું પૂજન ફળદાયી થતું નથી અને નવરાત્રિના વિશેષ પર્વ પર શ્રીયંત્રના પૂજનનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

 🙏🏻શ્રી યંત્રની પૂજામાં ઉપયોગી મંત્ર🙏🏻

શ્રીયંત્ર પર શ્રધ્ધાથી ભક્તિ દ્વારા ઉપાસના કરવી જોઈએ. તે માટે કેટલાક મંત્ર અહીં આપવામાં આવ્યા છે. જેના જાપ-માળા-ગાન કરવાથી મનુષ્ય અદ્ભુત પરિણામ મેળવે છે.

🔱શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ
🔱ૐ શ્રીં હ્રીં કલીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
🔱ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ  
🔱 ।। ૐ શ્રી નમઃ ।। (દરરોજ ૧ માળા)
🔱।। ૐ ઐં હ્રી શ્રી ક્લીં દેવી પદ્માવત્યૈનમઃ ।। (દરરોજ ૧ માળા) (આ મંત્ર જૈન ઉપાસકો માટે વિશેષ ફળ આપે છે.)
🔱 ૐ શ્રી હ્રી શ્રી કમલે કમલાયે પ્રસીદપ્રસીદ શ્રી હ્રી શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ  નમઃ ।। (દરરોજ ૧ અથવા ૧૧ માળા) (આ મંત્ર ખાસ બ્રાહ્મણો માટે પણ બધા ઉપાસકો કરી શકે છે.)
🔱 ।। ૐ શ્રી ૐ હ્રી ક્લી શ્રી કલી વિજ્ઞોશ્વરાય નમઃ । મમ દુઃખ દારિદ્રય નાશં કુરુ કુરુ સ્વાહા ।। (દરરોજ ૧ વાર મંત્ર બોલવો અથવા ૧ માળા કરવાથી દુઃખ દારિદ્રય નાશ થાય છે.)
 🔱 ૐ હ્રી શ્રી અહં શ્રી લક્ષ્મીરદેવ્યૈ હીં નમઃ । મમ શ્રી પ્રાપ્તી કુરુ કુરુ સ્વાહા ।। (દરરોજ ૧ વાર મંત્ર બોલો અથવા ૧ માળા કરવાથી લક્ષ્મીે-ધન પ્રાપ્ત થાય છે)
🔱શ્રી શુકતમ નો નિત્ય 1 થિ 11 વાર પાઠ કરવો.
🔱લલિતા સહસ્ત્ર નામનો જાપ નિત્ય 1 વાર કરવો.
આ ઉપરાંત ઘણા બધા મંત્રો છે જેનાથી માનવનું કલ્યાણ અવશ્ય થાય છે.
             
 🔅શ્રી યંત્ર અને તીર્થસ્થળ🔅

ભારત વર્ષમાં વિવિધ તીર્થો અને સ્થળોએ પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🗻આબુ પર્વતના દેલવાડા મંદિરમાં ઓસિમા દેવીના દ્વાર પરના થાંભલા પર શ્રી યંત્ર અંકિત છે.
🏝મર્હિષ રમણના આશ્રમ અને જગતગુરુ શંકરાચાર્યના મઠોમાં પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🎇અંબાજીમાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ શ્રી યંત્ર જ છે
🌁દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજીના મંદિરમાં પાયાની સ્થાપના વેળા વિધિવત્ સિદ્ધ શ્રી યંત્ર પાયામાં સ્થાપિત કરેલ છે. મંદિરની મુખ્ય મૂર્તિની પીઠ પર પણ શ્રી યંત્ર (ષોડથી યંત્ર) ઉત્કીર્ણ છે.
🎋બાંસવાડામાં શ્રીપુરસિંદુરી દેવીના મંદિરમાં પણ શ્રી યંત્રનાં દર્શન થાય છે.
🌠 જગન્નાથજીના મંદિરમાં ભૈરવી ચક્ર અને શ્રીનાથજીના મંદિરમાં સુદર્શન ચક્રમાં રૂપમાં પણ શ્રી યંત્ર સ્થાપિત છે.
🌈 સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરના ભૂગર્ભમાં સુવર્ણ પથ્થરો પર શ્રી યંત્ર ઉત્કીર્ણ હતું એવું કહેવાય છે.
અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે તો મિત્રો આપને અમોએ શ્રીયંત્ર નું આટલું બઘુ મહત્વ કેમ? અને તેની  રચનાથી માંડીને તેનાં પૂજન અને અતિ મહત્વના કારણો પણ ઉલ્લેખ કરવાની કોશિસ કરી છે શકય હતુ તેટલુ જણાવાની કોશિસ કરેલ છે.આશારખુ છું કે આપને ૐ કાર જ્યોતિષ તરફથી મળવાપાત્ર આ માહીતી ઉપયોગી નીવડે.

નવરાત્રી, દિવાળી, ગુરુ પુષ્ય, રવિ પુષ્ય જેવા સિદ્ધ દિવસોમાં  પ્રાણ પ્રતિષ્ઠા  પૂર્વક સિદ્ધ કરેલ શ્રી યંત્ર  માટે સંપર્ક કરવો.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

જાણો દેવપૂજા ના 24 ઉપચારો

દેવપૂજાના ઉપચારો

આપણે ઘેર લગ્નપ્રસંગ હોય કે નવા મકાનનું વાસ્તુ હોય, સત્યનારાયણની કથા હોય કે વેદપુરાણમાં કહેલા નાનામોટા યજ્ઞો હોય – પ્રત્યેક પ્રસંગે દેવની પૂજા તો એક આવશ્યક અંગ તરીકે આવવાની જ. આનું કારણ એ છે કે કોઈપણ કૌટુંબિક કે સામાજીક પ્રસંગે આપણે જેમ સગાંસંબંધી, પાડોશીઓ અને પરિચિતોને નિમંત્રણ આપીએ છીએ, આપણે ઘેર તેમનો સત્કાર કરી ભોજન કરાવીએ છીએ. એ જ રીતે પ્રત્યેક પ્રસંગે દેવોને પણ આપણે નિમંત્રીએ છીએ ને જુદી જુદી સામગ્રી વડે તેમનો સત્કાર કરીએ છીએ. આ સત્કારની ક્રિયાને આપણે દેવપૂજા એવા નામે પ્રાચીનકાળથી ઓળખીએ છીએ, ‘પૂજા’ શબ્દનો અર્થ આદરસત્કાર એવો અહીં થાય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રાચીન ભારતના લોકોએ આદરણીય દેવો ને મનુષ્યોનો સત્કાર કઈ કઈ સામગ્રી વડે કરવો તેની સૂક્ષ્મ વિચારણા કરી છે, એ ભારતીય સંસ્કૃતિનું એક ઉજ્જવળ પાસું છે. માતા, પિતા, ગુરૂ, બ્રાહ્મણ, અતિથિ વગેરેને પણ દેવો માનતી આ સંસ્કૃતિએ આદરસત્કાર કરવાની ક્રિયાની સૂક્ષ્મ વિગતો ચોકસાઈથી નક્કી કરી છે, એ આપણે માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

દેવની પૂજા કરવા માટે જે વસ્તુઓ કે સામગ્રી વપરાય તેને ‘ઉપચાર’ એવા શબ્દ વડે ઓળખવામાં આવે છે. ‘ઉપચાર’ શબ્દનો એક અર્થ ‘પૂજા’ એવો પણ છે. આમ પૂજા ને પૂજામાં વપરાતી સામગ્રી એ બંને માટે ઉપચાર શબ્દ પ્રયોજી શકાય. આમ છતાં મોટે ભાગે ઉપચાર શબ્દનો અર્થ પૂજાની સામગ્રી એવો જ કરવામાં આવે છે. કુલ ૨૪ ઉપચારો આદર્શ ઉપચારો ગણી શકાય. એ તમામ દેવોની પૂજા માટે ખપ લાગી શકે.

(૧) આવાહન અથવા સ્વાગત : પહેલો ઉપચાર આવાહન કે સ્વાગતનો છે. તેમાં જેની પૂજા કરવાની હોય તે દેવને પ્રેમથી બોલાવવામાં આવે છે. જેમ આપણે ઘેર કોઈ સામાજીક પ્રસંગ હોય તો તેમાં હાજર રહેવા અન્ય પરિચિતોને આપણે કંકોતરી વગેરે વડે નિમંત્રણ આપીએ છીએ તેમ, દેવને પણ એ પ્રસંગે તાત્કાલિક આવી પહોંચવા આપણે બોલાવીએ તેનું નામ આવાહન. જ્યારે ‘આપ આવ્યાં તે સારૂં કર્યું’ એમ કહીએ તેનું નામ સ્વાગત.

આ ઉપચારમાં દેવનું વર્ણન કરી, ‘આવા દેવને હું બોલાવું છું’ એમ કહેવામાં આવે છે અને તેમના સ્વાગત માટે આવાહનની મુદ્રા બતાવવામાં આવે છે.

(૨) આસન : બીજો ઉપચાર આસન આપવાનો છે. આપણા નિમંત્રણથી પધારેલા મહેમાનને આપ આવ્યા તે સારૂં કર્યું એટલું કહેવું બસ નથી. આવી પહોંચેલા મહેમાનને બેસવા માટે આસન આપવું જોઈએ. જગતના વ્યવહારમાં આપણે જેમ આપણી સંપત્તિને છાજે તેવું ખુરશી જેવું આસન મહેમાનને બેસવા આપીએ છીએ તેમ દેવો માટે પવિત્ર દર્ભ-ઘાસના આસનથી માંડીને સોનાચાંદીનાં રત્નજડિત આસન સુધી આપણને પોસાય તેવું આસન આપણે આપી શકીએ છીએ. અલબત્ત, દરેક જાતનાં આસનનું ફળ જુદું જુદું છે અને તે વિશે સૂક્ષ્મ વિચારણા શાસ્ત્રમાં કરવામાં આવી છે.

(૩) પાદ્ય : ત્રીજો ઉપચાર પાદ્ય એટલે પગ ધોવાનું પાણી આપવાનો છે. અતિથિ રસ્તા પર ચાલીને આવે એટલે પગ ધૂળવાળા થયા હોય તેથી તેમને ધૂળવાળા પગ સ્વચ્છ કરવા માટે આપણે પાણી આપીએ તે સ્વાભાવિક છે.

એવી રીતે દેવને પણ પગ પખાળવા પાણી આપીએ એ સ્પષ્ટ છે.

(૪) અર્ધ્ય : ચોથો ઉપચાર અર્ધ્ય આપવાનો છે. ઘેર આવીને બેઠેલા મહેમાન પ્રત્યે આદર બતાવવા આપણે જેમ મંગળ વસ્તુઓ આપીએ છીએ, તેમ પધારેલા દેવને પણ આદર આપવા માટે આઠ મંગળ વસ્તુઓ – પાણી, દૂધ, દહીં, ઘી, દર્ભ, ચોખા, જવ ને સરસવ આપવામાં આવે તેનું નામ અર્ધ્ય કે અર્ધમંગળ વસ્તુઓ આપીને આદર આપવાની ભાવના તેમાં રહેલી છે.

અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સામવાદી બ્રાહ્મણો માટે અર્ધ્યમ્ એવો શબ્દ ને તે સિવાયના બધાએ અર્ધઃ એવો શબ્દ પ્રયોજવો જોઈએ એવો નિયમ શ્રૌતસૂત્રોમાં કહ્યો છે.

(૫) આચમનીય : પાંચમો ઉપચાર આચમનીય એટલે આચમન કરવા માટે પાણી આપવાનો છે. આ ઉપચારોમાં અર્ધ્ય, મધુપર્ક, સ્નાન , વસ્ત્ર ને નૈવેદ્યને અંતે મોં સાફ કરવા માટે પાણી આપવાનો શિરસ્તો છે. એમાં અર્ધ્ય, મધુપર્ક અને નૈવેદ્યમાં ખાવાપીવાની ક્રિયા હોવાથી તેને અંતે મોં સાફ કરવા પાણી આપવામાં આવે તે સમજાય એવું છે.

સ્નાન વડે આખા શરીરની શુદ્ધિ થાય તે પછી મુખની શુદ્ધિ આચમનથી થાય તે પણ મનમાં બેસે તેવી વાત છે. પરંતુ વસ્ત્ર ધારણ કરીને પણ મોંની શુદ્ધિ કરવાનું કારણ અપવિત્ર વસ્ત્ર પહેર્યું હોય તો તેને પવિત્ર બનાવવા માટે છે.

(૬) મધુપર્ક: છઠ્ઠો ઉપચાર મધુપર્કનો છે. મધુપર્ક એટલે મધ સાથેનું મિશ્રણ-મોંઘેરા મહેમાનના સત્કાર માટે તેના શરીરની શુદ્ધિ થાય અને રસ્તામાં ચાલીને થાકેલા મહેમાનનો થાક ઊતરી જાય એ કાજે મધ, દહીં, ઘી, સાકર, અને પાણી એ પાંચે વસ્તુનું મિશ્રણ અતિથિને આપવામાં આવે છે. સાકર કે ગોળ નાખેલું પાણી કે એકલી સાકર કે પતાસાં વહેંચવાનો રિવાજ આજે પણ આપણે ત્યાં પ્રચલિત છે. જ્યારે મધ, દહીં અને ઘી વગેરે શુકનવંતી અને શક્તિપ્રદ વસ્તુઓ થાક ઉતારી શરીરને તાજગી બક્ષે છે. આમ મધુપર્કનો ઉપચાર દૂરથી આવતા મહેમાનના થાકને દૂર કરનારો હોવાથી નજીકથી આવતા અતિથિ માટે આવશ્યક નથી.

(૭) આચમન : મધુપર્કને અંતે મુખશુદ્ધિ માટે સાતમો આચમનનો ઉપચાર કરવામાં આવે છે તે આપણે જોઈ ગયા.

(૮) સ્નાન : આઠમો ઉપચાર સ્નાનનો છે. દૂરથી આવીને બેઠેલા અને જરાક સ્વસ્થ થયેલા મહેમાનને શરીરશુદ્ધિ કરવા અને થાક ઉતારવા સ્નાનનો ઉપચાર જરૂરી છે તેમ દેવને પણ એ હેતુસર સ્નાન કરાવવામાં આવે છે. મોંઘેરા મહેમાન સમા દેવને દૂધ, દહી, ઘી, મધ ને સાકર એ પંચ-અમૃત વડે સ્નાન કરાવવામાં આવે છે. તદુપરાતં, સુગંધી પાણી અને અત્તર વગેરે સુગંધી દ્રવ્યો ચોળીને તે પછી શુદ્ધ પાણી વડે સ્નાન કરાવવામાં આવે છે અને તીર્થના પાણી વડે અભિષેક એટલે સતત સિંચન પણ કરવામાં આવે છે.

સ્નાનના ઉપચારથી અતિથિનો થાક ઉતરી તેને શરીરશુદ્ધિ અને તાજગી પ્રાપ્ત થાય છે. સ્નાનની સામગ્રી પ્રાચીન ભારતની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે.

(૯)વસ્ત્રોપવસ્ત્રોપવીત : નવમો ઉપચાર વસ્ત્ર વગેરેનો છે. તેમાં અતિથિને સ્નાન પછી શરીરને ચોક્ખા કપડાથી સાફ કરી, તેમને પહેરવા માટે પીતાંબર વગેરે વસ્ત્ર અને ઓઢવા માટે વળી ઉપરણા જેવું ઉપવસ્ત્ર આપવામાં આવે છે. રસ્તામાં મલિન અને દૂષિત થયેલી જનોઈને દૂર કરી, નવી જનોઈ પહેરાવવામાં આવે છે.
મહેમાનની જેમ દેવને પણ વસ્ત્ર વગેરે પહેરવા આપવામાં આવે છે.
એ નોંધવા જેવું છે કે મહેમાનને તો વસ્ત્ર વગેરે આપવાં જ પડે, જ્યારે દેવને વસ્ત્ર વગેરે ન હોય તો ચોખા ચઢાવીને એ ઉપચાર કર્યો છે એમ માનવાની સગવડ છે. વસ્ત્રની જેમ ભૂષણ અને રાજોપચારમાં પણ ફક્ત ચોખા ચઢાવીને એ ઉપચાર કરેલો માની શકાય.આવી સગવડ મનુષ્ય અતિથિના સત્કારમાં નથી.વસ્ત્ર શરીરને ટાઢ-તાપ વગેરેથી બચાવતાં હોઈ જરૂરી છે એ સ્પષ્ટ છે.

(૧૦) ભૂષણ : દેવપૂજાનો દસમો ઉપચાર ભૂષણ કે આભરણનો છે. તેમાં વસ્ત્ર વગેરે ધારણ કરેલા મહેમાનને ઘરેણાં પહેરાવાય છે. શરીરની શોભા માટે અતિથિની જેમ દેવને પણ તે પહેરાવાય છે. સોનાનાં આભૂષણ ઝળહળાં થતાં હોવાથી તે પ્રકાશ ને જ્ઞાનનાં પ્રતીક તો છે જ, પરંતુ સાથે સાથે શરીર પર પહેરવાથી શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે અને શોભાકારક તો છે જ.

(૧૧) ગંધ : દેવપૂજાનો અગિયારમો ઉપચાર ગંધ. એટલે ચંદન કે કંકુનું તિલક કરવાનો છે કે જેનાથી મુખશોભામાં વૃદ્ધિ થાય છે. ચંદન વગેરે સુગંધી પદાર્થોનું તિલક કપાળમાં કરવાથી મસ્તકને ઠંડક અને આહલાદ પ્રાપ્ત થાય છે, સાથે સાથે કંકુનો ચાંદલો કરવાથી એકલી ઠંડકને બદલે થોડીક ગરમી પણ મળે છે અને આજુબાજુની હવા પણ સુગંધિત બને છે. અતિથિની જેમ દેવને પણ આ સુગંધી દ્રવ્યો લગાડવાનો ઉપચાર કરવામાં આવે છે, જેથી શોભામાં વૃદ્ધિ અને વાતાવરણમાં પ્રસન્નતાનો અનુભવ થાય છે.

એવી જ રીતે અબીલ, ગુલાલ, સિંદૂર વગેરે સોભાગ્યદ્રવ્યોનો ઉપચાર પણ પુષ્પ પછી કરવાનું પ્રયોજન એ જ છે.

(૧૨) પુષ્પ : દેવપૂજાનો બારમો ઉપચાર પુષ્પ એટલે ફૂલો ચઢાવવાનો છે. સુગંધી દ્રવ્યોની જેમ જે તે ઋતુમાં થતાં ફૂલ વડે અતિથિના શરીરની શોભા વધારવામાં આવે છે. સાથે સાથે વાતાવરણ સુગંધિત ને પ્રસન્ન બને છે. એનાથી આપણું મન પણ તરબતર થાય છે. અતિથિની જેમ દેવને પણ આ શોભાકારક ઉપચાર કરી વાતાવરણ પ્રસન્ન બનાવવામાં આવે છે.( ૐ કાર જ્યોતિષ )

પ્રાચીન ભારતના લોકોનો ફૂલોનો શોખ આ ઉપચારના પાયામાં છે.

(૧૩) ધૂપ : દેવપૂજાનો તેરમો ઉપચાર ધૂપનો છે.

તેમાં અગરું વગેરે સુગંધી દ્રવ્યોના ધુમાડાથી વાતાવરણને સુગંધિત કરી અતિથિના મનની પ્રસન્નતા હાંસલ કરવામાં આવે છે.અતિથિની જેમ દેવને પણ તે સુગંધી દ્રવ્યોના ધુમાડા વડે વાતાવરણની પ્રસન્નતા સંપન્ન થાય છે.વાતાવરણની પ્રસન્નતા વડે મનની પ્રસન્નતા અનુભવાય છે.

આ ધૂપના ઉપચાર વડે હવાની શુદ્ધિ થતાં સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

(૧૪) દીપ : પૂજાનો ચૌદમો ઉપચાર દીપનો છે. તેમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. ઘી કે તેલનો દીવો પેટાવવાથી હવાની શુદ્ધિ થઈ સ્વાસ્થ્ય જળવાય છે. વળી દીવો પ્રકાશ આપવાની સાથે જ્ઞાનનું પણ પ્રતીક છે. તેથી તે જાગતિક પદાર્થોનું જ્ઞાન પણ આપે છે. દીવાની જ્યોત આત્મજ્યોતના ભાન દ્વારા આત્માના સ્વરૂપનો બોધ પણ કરાવે છે, તેથી  આ ઉપચાર પણ મહત્વનો છે.

(૧૫) નૈવેદ્ય : દેવપૂજાનો પંદરમો ઉપચાર નૈવેદ્યનો છે. શરીરની શોભા મનની પ્રસન્નતા અને વાતાવરણની શુદ્ધિ થાય ત્યારે જ અતિથિ ભોજન લે તે યોગ્ય છે. આથી આ ઉપચારમાં અતિથિની જેમ દેવને પણ ભોજન આપવામાં આવે છે. નિમંત્રેલા અતિથિને ભોજનની વિવિધ વાનગીઓ વડે સંતોષ આપવો એ મહત્વનું છે. અતિથિ અને દેવને ભોજન આપવાનું કારણ એ છે કે, બીજી કોઈ ભૌતિક વસ્તુ આપવાથી લેનારને ક્યારેક સંપૂર્ણ સંતોષ થતો નથી. વધુ આપવામાં આવે તો લેનાર વ્યક્તિ ના પાડતી નથી. જ્યારે ભોજનની વાનગી વડે વ્યક્તિ ધરાઈ જાય છે, ને એથી વધુ આપો તો તે ના પાડે છે.

આ અન્ન જમ્યાનો સંતોષ અતિથિને આપવો એ ગૃહસ્થની આવશ્યક ફરજ છે. આ વાનગીઓમાં ભક્ષ્ય, ભોજ્ય, પેય, લેહ્ય ને ચોષ્ય એમ પાંચ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે. અતિથિ એ દેવ છે એમ માનનારી આ સંસ્કૃતિમાં અતિથિને ભોજન વડે તૃપ્ત કરવાનો ઉપચાર મહત્વનો છે. દેવની પાસે નૈવેદ્ય મૂકી ધેનુમુદ્રા બતાવી ભોજનને અમૃત બનાવી તે પછી તેને ગ્રાસમુદ્ર બતાવી છે. પાંચ પ્રાણોને તૃપ્ત કરવા પાંચ પાંચ કોળિયા બે વાર વચ્ચે અને અંતે પાણી સાથે આપવામાં આવે છે.

એ પછી હાથ ને મોં ધોવડાવી હાથને ચંદનચર્ચિત કરવામાં આવે છે.

(૧૬) આચમન : ભોજન પછી આગળ જણાવ્યા મુજબ પાણી વડે મુખશુદ્ધિ માટે આચમનનો સોળમો ઉપચાર આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્વનો છે.

(૧૭) તાંબુલ : દેવપૂજાનો સત્તરમો ઉપચાર તાંબૂલનો છે. ભોજન પછી મુખવાસ માટે અતિથિને જેમ પાનનું બીડું ધરવામાં આવે છે તેમ, દેવને પણ મુખવાસ માટે પાનસોપારી આપવામાં આવે છે. તેનાથી મુખની શુદ્ધિ, વાતાવરણની પ્રસન્નતા અને ભોજનનું સમ્યક પાચન એ ત્રણ કાર્યો થાય છે.

(૧૮) અર્ચન : દેવપૂજાનો અઢારમો ઉપચાર અર્ચનનો છે. તેમાં દેવની પ્રશંસા કરવાની સાથે તેમની સેવા કરવામાં આવે છે. ભોજન કરીને પાન ચાવી રહેલા અતિથિને માટે પ્રશંસાના ઉદગારો કાઢીને તે દ્વારા તેમની સેવા કે પૂજા કરવામાં આવે છે. અર્ચનના ઉપચાર વડે આપણું જે કંઈ અશુભ કે અનિષ્ટ થયું હોય તે નાશ પામે છે એમ શાસ્ત્ર કહે છે.

ધર્મશાસ્ત્રનો નિયમ એવો છે કે ગ્રહો, બ્રાહ્મણો અને દેવોની પૂજા કરવાથી તમામ પ્રકારનું અનિષ્ટ નાશ પામે છે. સાચા હ્રદયની પ્રશંસા વડે પૂજા કરવાથી સર્વજ્ઞ એવા દેવ પણ ખુશ થાય એ સ્વાભાવિક છે.

(૧૯) સ્તોત્ર : દેવપૂજાનો ઓગણીસમો ઉપચાર સ્તોત્રનો છે. તેમાં અર્ચનની જેમ જ દેવની સ્તુતિ કરવામાં આવે છે. દેવનું અને દેવના ગુણ અને પરાક્રમોનું વર્ણન કરી દેવને ખુશ કરવા તેનું નામસ્તોત્ર. તેમાં દેવની સ્તુતિ કરતા શ્લોકો બોલી દેવની કૃપા યાચવામાં આવે છે. અર્ચનમાં શારીરિક સેવાનો ભાવ કેન્દ્રમાં છે, જ્યારે સ્તોત્રમાં માનસિક શરણાગતિનો ભાવ મુખ્ય છે.

અતિથિને પણ આ રીતે ભોજન બાદ સેવા અને સ્તુતિ વડે ખુશ કરવામાં આવે તે કુદરતી છે.

(૨૦) તર્પણ : દેવપૂજાનો વીસમો ઉપચાર તર્પણનો છે. તેમાં પાણીનો પ્યાલો બલિ આપી દેવને ખુશ કરવામાં આવે છે. જાગતિક વ્યવહારમાં જેમ અતિથિ ને ભોજન ઉપર પાણી આવે છે. દેવ, પિતૃ, ઋષિ, મનુષ્ય વગેરેને પોતાના તમામ વસ્તુ આપવાના પ્રતીક તરીકે પાણી મૂકીને પોતાના સર્વસ્વના અર્પણની તૈયારીનો ભાવ બતાવી, આવી ઉદાત્ત ભાવના વડે તેમને ખુશ કરવા એ આ ઉપચારના કેન્દ્રમાં છે. વળી તેમાં આત્મનિવેદન પ્રકારની ભક્તિ પણ રહેલી છે. દેવ ભાવનાના ભૂખ્યા હોઈ, તેમની પ્રત્યે ભાવ પ્રદર્શિત કરવાથી જ તે ખુશ થઈ જાય છે તે આ ઉપચારના પાયામાં રહેલી વાત છે.

(૨૧) માલ્ય : દેવપૂજાનો એકવીસમો ઉપચાર માલ્ય એટલે ફૂલો અને ફૂલની માળા અર્પણ કરવાનો છે. તેને ‘પુષ્પાંજલિ’ એવા નામે પણ ઓળખે છે. નિમંત્રિત મહેમાનને ભોજન વગેરેથી ખુશ કરી છેવટે તેમને વિદાય આપતાં પહેલાં પોતાની ભાવનાના પ્રતીક તરીકે ફૂલો આપવામાં આવે કે ફૂલોની માળા પહેરાવવામાં આવે તે કુદરતી છે. તેનાથી દેવને પણ પોતાના મનમાં રહેલી ભાવના જણાવી વિદાયને માટે તૈયાર કરવામાં આવે છે.

(૨૨) અનુલેપન : દેવપૂજાનો બાવીસમો ઉપચાર અનુલેપનનો છે. તેમાં મહેમાનને વિદાય આપતાં પહેલાં ચંદન વગેરેનો લેપ કરવામાં આવે છે. આથી વાતાવરણ શુદ્ધ અને પ્રસન્ન બને છે. એ દ્વારા મહેમાનને પોતાના મનની ભાવનાનો ખ્યાલ આપી વિદાય માટે તૈયાર કરવામાં આવે છે.

આમ માલ્યની જેમ આ ઉપચાર પણ વિદાય માટે તૈયાર કરતો ઉપચાર છે.

(૨૩) નમસ્કાર : દેવપૂજાનો તેવીસમો ઉપચાર નમસ્કાર કે વંદનનો છે. તેમાં નિમંત્રિત મહેમાનને ભોજનાદિથી ખુશ કરી, અંતે મનના સારા ભાવથી વિદાય આપવા માટે બે હાથ જોડી પગે લાગવામાં આવે છે. દેવને પણ બે હાથ જોડી વિદાય આપવામાં આવે છે. આમાં દેવ તરફ વંદન વડે આદર તો બતાવવામાં આવે છે જ, પરંતુ સાથે સાથે આદરસત્કારમાં અજાણતાં કશી પણ ખામી આવી ગઈ હોય તો પોતાના મનનો ભાવ તેવો નથી એમ બતાવી તેને નિભાવી લેવા માટે ક્ષમા યાચવાનો ભાવ પણ બે હાથ જોડી વ્યક્ત કરવામાં આવે છે. પોતાનાથી કશું ન બને તો હાથ જોડી માફી માગવાનું બની શકે છે.

(૨૪) વિસર્જન : દેવપૂજાનો અંતિમ ઉપચાર વિસર્જનનો છે. તેમાં મહેમાન અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાથી તેમને અન્યત્ર જવા માટે વિદાય આપવામાં આવે છે. મહેમાનને શરીરથી ભલે બીજે જવા વિદાય આપી, પણ તેમનું સંભારણું તો મનમાં હંમેશ રહેલું છે. આથી તેમને મનથી વિદાય આપી નથી એ બતાવવા અન્યત્ર જવાનું તો કહેવામાં આવે છે જ, પરંતુ ‘ફરી અહીં પાછા આવવા માટે જજો’ એમ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં આપણે વિદાય થનારા મહેમાનને ‘જાઓ’ એમ નથી કહેતા, પણ ફરી આવવા માટે ‘આવજો’ એવો શબ્દ પ્રયોજીએ છીયે, એ આ ભાવને બરાબર વ્યક્ત કરે છે. દેવને પણ અનેક સ્થળો આવી જ પૂજા ગ્રહણ કરવા જવાનું હોવાથી ફરી વાર પોતે પૂજા માટે બોલાવે ત્યારે આવી પહોંચવાના ભાવ સાથે વિદાય આપવામાં આવે છે.

આ ઉપરાંત આરતી વગેરે સત્કારના ઉપચારો એટલે વિવેકો છે તે બધાને સૂક્ષ્મ રીતે જોતાં એ સ્પષ્ટ થાય છે કે, દેવપૂજાનો વિધિ અતિથિસત્કારના આપણા રોજિંદા વ્યવહાર જેવો છે. ઉપચાર એ શબ્દનો એક અર્થ ‘વિવેક’ એવો થાય છે તે પણ આ જ વાત સિદ્ધ કરે છે.

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2017

🍯कुंभ स्थापन के रहस्य🍯
                           

⭕कोई भी शुभ धार्मिक विधी के समय पर कुंभ स्थापन करना अनिवार्य है . ऐसे ही तंत्र मार्ग में अलग-अलग धर्मों के लिए अलग-अलग स्थापन का प्रयोजन है. जैसे की

🍯शांति कर्म के लिए नवरत्नों से जड़ी विभूषित सुवर्णा कुंभ का स्थापन सिद्ध लाभदाई होता है.
🍯अभिचार कर्म के लिए लोहे का कुंभ स्थापित करना उचित है.
🍯मोहन कार्य के लिए चांदी के कुंभ का स्थापन उत्तम है.
🍯वशीकरण के कार्य के हेतु कांच का कुंभ स्थापन  अति उत्तम है.
🍯 उच्चाटन जैसे कर्म के लिए मिट्टी का गुण उत्तम है...

 इस तरह से अलग अलग कार्य के लिए अलग अलग कुंभ का होना अति शीघ्र फलदाई होता है


ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંસારનાં આશ્ચર્યોમાં પણ એક પરમ આશ્ચર્ય છે.

ભારત અનેક આશ્ચર્યોનો દેશ છે. એની સંપત્તિ અને શાસ્ત્રોથી આકર્ષાઈને અનેક વિદેશીઓ ભારતમાં આવે છે. મેઘાવી ઋષિમુનિઓનાં શાસ્ત્રોનો પરિચય થતાં ધન્યતા અનુભવે છે. આવા આશ્ચર્યોમાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંસારનાં આશ્ચર્યોમાં પણ એક પરમ આશ્ચર્ય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં વિદેશી પંડિતોએ જ્યોતિષશાસ્ત્રને બુદ્ધિની કસોટીએ ચઢાવીને, પ્રયોગ અને પરીક્ષણ કરીને, એની સત્યતા અનુભવી છે. એના અદભુત સિદ્ધાંત અને ફલકથન પર પ્રશંસાના પુષ્પો વેર્યા છે.

પિતામહ બ્રહ્માએ સૃષ્ટિના કલ્યાણ માટે એને જોતિષશાસ્ત્રનું વરદાન આપ્યું. સર્વ શાસ્ત્રોના શિરોમણિ જેવું આ શાસ્ત્ર વેદાંગરૂપે સર્વસ્વીકૃત બન્યું. વ્યાસ, વશિષ્ઠ, નારદ, પારાશર, ભૃગુ, ચ્યવન, અંગિરસ, જૈમિની, ગર્ગ, શૌનિક, બૃહસ્પતિ, પરશુરામ, મય, વરાહમિહિર, આર્યભટ્ટ આદિ ઋષિઓએ અને આચાર્યોએ દિવ્ય, અંતરિક્ષ અને ભૌમનું અહોરાત્ર અવલોકન કરી ચિંતન, મનન, નિરીક્ષણ, પરીક્ષણ કરી, જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિના આધારે, પિંડ અને બ્રહ્માંડના સંબંધોના રહસ્યમય સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું. એના આધારે ભૂત, વર્તમાન અને ભાવિના ભેદ ઉકેલ્યા. અગમ્ય અને અગોચર ગણાતું આ જ્યોતિષશાસ્ત્ર લોકાદર લોકપ્રિયતા પામ્યું.

ભારતીય જ્યોતિષના અસંખ્ય ગ્રંથ મહાકાલના પ્રવાહોમાં નષ્ટ થયા છે, છતાં આજ જે સ્થિતિ અને સંખ્યામાં એ ઉપલબ્ધ થાય છે, એ પણ સંસારનું એક પરમ આશ્ચર્ય છે. આનું શ્રેય અકિંચન અવસ્થામાં રહી, ત્યાગમય જીવન ગાળનાર વિધાવ્યાસંગી વિદ્ધનોને છે. રાજ્યાશ્રય અને લોકાશ્રય પામેલી આ વિધાનું કાળના ક્રૂર પ્રવાહ સામે અનેક મરજિવાઓએ જીવનના ભોગે રક્ષણ કર્યુ છે. પ્રાચીન વિધાના પુનરૂત્થાનના આ યુગમાં દિનપ્રતિદિન ભારતીય જ્યોતિષશાસ્ત્રનાં મહાન સત્યો અને મહાગ્રંથો પ્રકાશમાં આવતા જાય છે અને આપણે મેઘાવી આર્ય જ્યોતિષીઓની પ્રતિભાને શતશત વંદન કરીએ છીએ.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત, સંહિતાને હોરા-એવા ત્રણ પ્રમુખ વિભાગ છે. સિદ્ધાંત ગ્રંથ પણ કહે છે. દિનપ્રતિદિન વ્યવહારમાં ઉપયોગી પંચાગમાંનાં ગ્રહોની ગતિ અને સ્થિતિની ગણના માટે આ ગ્રંથોની રચના થઈ છે. અવલોકન અને અભ્યાસથી અંતર્જ્ઞાન અને આંતરદ્રષ્ટિથી આકાશમાં ભ્રંમણ કરતા જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિનું અદભુત અને પ્રાકૃતિક પ્રભાવનું કથન ભારતીય જ્યોતિષીઓએ કર્યું છે. મુહૂર્તરૂપે આપણા દૈનંદિન વ્યવહારમાં આ જીવંત શાસ્ત્ર વણાઈ ગયું છે. બૃહદ્દસંહિતા, લીલાવતી સિદ્ધાંત શિરોમણી. સૂર્યસંહિતા જેવા ગ્રંથોનો એમાં સમાવેશ થાય છે.

હોરા એ કુંડલીઓનું શાસ્ત્ર છે. આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ, ગતિ, નક્ષત્રો-રાશિઓમાં એવું  વિભાજન, એનાં બળાબળ, યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન, સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે. બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, બૃહદ જાતક, પારિજાત સારાવલી આદિ ગ્રંથો, જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં જ ઉપયોગી છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ અને સામાન્ય જનતાનું પરમ આકર્ષણ તો સંહિતા ગ્રંથો જ રહ્યા છે. સંહિતા અને નાડીગ્રંથોની ભૂજપત્ર અને તાડપત્ર પર લખાયેલ સેંકડો પોથીયો, પુસ્તકાલયોમાં અને કેટલીક વ્યક્તિઓ પાસે પણ ઉપલબ્ધ છે. સંહિતાઓ જ્યોતિષના સર્વજ્ઞાન સંગ્રહ જેવી છે. આવા લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથોમાં કાલક્રમે પરિવર્તન અને પ્રક્ષિપ્ત અંશો પણ જોવા મળે છે. ભૂગુસંહિતા, નારદસંહિતા, રાવણસંહિતા, શુક્રનાડી, નંદીનાડી, ધ્રુવનાડી આદિ ગ્રંથો પૂર્ણરૂપે તો ઉપલબ્ધ નથી, છતાં એમાં આલેખિત જ્યોતિષનાં શાશ્વત સત્યો ઋષિમુનિઓની અદભૂત ક્રાન્ત દ્રષ્ટિનું જ ફળ છે. સંહિતા અને નાડીગ્રંથોમાં કુંડલીઓનાં આધારે વ્યક્તિના પૂર્વજન્મ આ જન્મ અને ભવિષ્યનું અદભુત કથન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની જન્મકુંડલી પણ પ્રાયઃ સંહિતામાં મળી આવે છે.

આ સંહિતાઓમાં ભૃગુસંહિતા ગ્રંથમણિ છે. સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપમાં અને ભિન્ન ભિન્ન લિપિઓમાં પ્રાપ્ય એની હસ્તપ્રતો જ એનું સાર્વભૌમત્વ અને જનપ્રિયતા સિદ્ધ કરે છે. જમ્મુની સરકારી લાયબ્રેરીમાંની એની પ્રતમાં ૧,૬૦,૦૦૦ શ્લોકો અને ૨,૩૦૦ કુંડળીઓ છે. પશ્ચિમ જર્મનીમાં લીપઝીક પુસ્તકાલયમાં પણ એની પ્રત છે. આ ઉપરાંત તાંજોર, વારાણસી, વડોદરા, મદ્રાસ, રાજમહેન્દ્રી આદી પુસ્તકાલયોમાં પણ એની હસ્તપ્રતો પ્રાપ્ય છે.

स्फटिक का प्रयोग

आज हम बात करते हैं स्फटिक माला के बारे में.....🙏🏻

🌕स्फटिक का प्रयोग क्रिस्टल के रूप में साधु और संतों के द्वारा किया जाता हैं. साधु – संत या सिद्ध पुरुष स्फटिक का प्रयोग क्रिस्टल के रूप में वर्षों से प्राण तथा ऊर्जा की वृद्धि के लिए, नकारात्मक भावनाओं को, विचारों को दूर करने के लिए, अशुद्ध वातावरण से मुक्त रहने के लिए तथा गंभीर रोगों से बचने के लिए विभिन्न प्रकार से करते हैं.(ૐ  कार ज्योतिष)
📿1)धार्मिक मान्यताओं के अनुसार स्फटिक को धन की देवी लक्ष्मी जी का स्वरुप माना गया है, जिसे कंठ हार अर्थात माला के रूप में धारण किया जाता है। (ૐ  कार ज्योतिष)
📿2)स्फटिक निर्मल,रंगहीन, पारदर्शी और शीत प्रभाव रखने वाला उप-रत्न है। आयुर्वेद में स्फटिक का प्रयोग सभी प्रकार के ज्वर, पित्त प्रकोप, शारीरिक दुर्बलता एवं रक्त विकारों को दूर करने के लिए शहद अथवा गौ मूत्र के साथ औषधि के रूप में किया जाता है।(ૐ  कार ज्योतिष)
📿3) ज्योतिष की दृष्टि से स्फटिक को पूर्ण विधि-विधान और श्रद्धाभाव के साथ कंठ हार के रूप में धारण करते रहने से समस्त कार्यों में सफलता मिलने लगती है तथा विवाद और समस्याओं का अंत होने लगता है। (ૐ  कार ज्योतिष)
📿4) इसके अलावा स्फटिक की माला धारण करने से शत्रु भय भी नहीं रहता है। किसी महत्वपूर्ण कार्य के लिए घर से बाहर जाने से पहले यदि माता लक्ष्मी जी की पूजा-अर्चना करने के बाद स्फटिक की माला धारण करके जाया जाये तो वह कार्य आसानी से पूरा हो सकता है और उस कार्य में सफलता मिल सकती है।(ૐ  कार ज्योतिष)
📿5)  यदि घर-परिवार में किसी कारण से आर्थिक संकट चल रहा हो तो स्फटिक रत्न को गंगा जल से पवित्र करने के बाद मंत्रो से शुद्ध करके पूजा स्थल पर रखना शुभ होता है।(ૐ  कार ज्योतिष)
📿6)  इसके साथ-साथ धन प्राप्ति के लिए माता लक्ष्मी जी के मन्त्र 'ओउम श्री लक्ष्मये नम: ' का कम से कम एक माला जाप प्रतिदिन करना चाहिए। (ૐ  कार ज्योतिष)
📿7)  व्यापारिक प्रतिष्ठानों और दुकानों के स्वामी यदि पवित्र एवं मन्त्रों से सिद्ध की गयी स्फटिक की माला अथवा स्फटिक रत्न को अपनी धन रखने की तिजोरी में रखें तो आश्चर्यजनक रूप से व्यापार में लाभ मिलने की संभावनाएं बढ़ जाती हैं।(ૐ  कार ज्योतिष)
(  यह उपाय करते समय इतना अवश्य ध्यान रखना चाहिए कि जिस तिजोरी में स्फटिक माला अथवा रत्न रखा जाये उसका दरवाजा उत्तर दिशा में ही खुले। वैसे भी वास्तु शास्त्र के अनुसार धन रखने की तिजोरी सदैव दक्षिण दिशा में ही रखनी चाहिए जिससे कि जब उसे खोला जाये तो उसका दरवाजा या मुख उत्तर दिशा में ही खुले। )(ૐ  कार ज्योतिष)
📿8)  स्फटिक आर्थिक तंगी का नाश करता है।यह विभिन्न क्षेत्रों में सफलता दिलाने वाला और विघ्रो को मिटाने वाला होता है।(ૐ  कार ज्योतिष)
📿9)  स्फटिक की सबसे बड़ी खूबी यह है कि यह पहनने वाले किसी भी पुरुष या स्त्री को एकदम स्वस्थ रखता है। इसके बारे में यह भी माना जाता है कि इसे धारण करने से भूत- प्रेत आदि की बाधा से मुक्त रहा जा सकता है।(ૐ  कार ज्योतिष)
📿10)  इसे पहनने मात्र से ही शरीर में इलैक्ट्रोकैमिकल संतुलन उभरता है और तनाव-दबाव से मुक्त होकर शांति मिलने लगती है। स्फटिक की माला के मणकों से रोजाना सुबह लक्ष्मी देवी का मंत्र जप करना आर्थिक तंगी का नाश करता है।(ૐ  कार ज्योतिष)
📿11) रुद्राक्ष और मूंगा के साथ पिरोया गया स्फटिक का ब्रेसलेट खूब पहना जाता है। इससे व्यक्ति को डर और भय नहीं लगता। उसकी सोच-समझ में तेजी और विकास होने लगता है। मन इधर-उधर भटकने की स्थिति में, सुख-शांति के लिए स्फटिक पहनने की सलाह दी जती है।(ૐ  कार ज्योतिष)
📿12)  स्फटिक में दिव्य शक्तियां या ईश्वरीय पावर्स मौजूद होती हैं। इस कदर कि स्फटिक में बंद
एनर्जी के जरिए आपकी तमन्नाओं को ईश्वर तक खुद-ब-खुद पहुंचाता जता है। फिर यह धारण करने
वाले के मनमर्जी मुताबिक काम करता जता है और आपके दिमाग या मन में किसी किस्म के नकारात्मक विचार हरगिज नहीं पनप पाते।(ૐ  कार ज्योतिष)
📿13)  स्फटिक की माला वास्तव में हमारी मानसदृष्टि ( Visualization ) की शक्ति को बढा देता है। इसका प्रभाव हमारे मस्तिष्क रूपी कम्प्यूटर पर पडता है अत: इसके द्वारा शरीर और मन में रहने वाली नकारात्मक शक्ति को दूर कर उसके स्थान पर सकारात्मक शक्ति का संचार किया जाता है। मन एवं भावनाओं के साथ-साथ शरीर के सातों चक्रों को संतुलित करके स्फटिक उनकी कार्य क्षमता का विकास करता है। क्रिस्टल व्यक्ति के चारों ओर (ૐ  कार ज्योतिष) एक शक्तिशाली सुरक्षा शक्ति काक्षेत्र लगभग 100 फीट तक बढा देता है। यह दूसरों द्वारा भेजे गए नकारात्मक विचारों के रूपों को प्रभावहीन कर देता है, इसके प्रयोग के बाद रोगियों के कमरों में जाने पर भी (जहाँ शक्तिशाली नकारात्मक विचार होते हैं) उनका कोई दुष्प्रभाव नहीं पडता।(ૐ  कार ज्योतिष)
📿14)  ह्वदय चक्र पर पैंडल या स्फटिक की माला के प्रयोग से रोग प्रतिरोघक शक्ति बढ जाती है क्योंकि यह थाईमस ग्रन्थि को बल प्रदान करती है।

अत: हम कह सकते हैं कि शक्तिवर्घक प्रकृति का यह अनमोल सुरक्षा कवच मन, रोग एवं भावनाओं के उद्वेग को शांत कर शरीर व मन की शिथिलता को दूर कर स्वास्थ्य लाभ देता है, आत्मविश्वास और निर्भयता प्रदान कर व्यक्तित्व को निखारता है तथा आघ्यात्मिक विकास में सहयोग करता है। राक्षस को इस माला को धारण करके इसका दुर्लभ लाभ उठाना चाहिए



મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2017

યજ્ઞ અને વિજ્ઞાન

🔥યજ્ઞવિધિ એ ધર્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. એમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, કેસર, મધ સહિત ચંદન, પીપળો, વડ, આંબાનાં કાષ્ઠ તથા શંખપુષ્પી, બ્રાહ્મી, શતાવરી, તલ, જવ, આમળાં જેવી આરોગ્યપ્રદ-ગુણકારી જડીબુટ્ટીઓની આહુતિ આપવામાં આવતી હોવાથી જનકલ્યાણ અને વાયુમંડળની શુદ્ધિ થાય છે

🔥જાણવા-સમજવા જેવી બાબત એ છે કે યજ્ઞની આ ધાર્મિક પરંપરા સાથે ભારોભાર વિજ્ઞાન પણ સંકળાયેલું છે. આમ તો આપણા દેશમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો મહામૃત્યુંજય જપયજ્ઞ કરે, ઘણા ગાયત્રીભક્તો દર રવિવારે ઘરમાં ગાયત્રી યજ્ઞ કરે છે તો ઘણા ભાવિકો ભેગા મળીને એકસો કૂંડી યજ્ઞ પણ કરે છે.

🔥પૉલ્યુશનની આવી ગંભીર સમસ્યાનો નાનકડો પણ અસરકારક ઉકેલ યજ્ઞપરંપરા અને પદ્ધતિમાં રહેલો છે એવું કહીએ તો આજની એકવીસમી સદીની નવી પેઢીને જરૂર આશ્ચર્ય તો થાય. યજ્ઞ સમગ્ર વાતાવરણની શુદ્ધિ તો કરે જ છે અને સાથોસાથ સમસ્ત માનવજાતનું આરોગ્ય પણ વધારે છે. વનસ્પતિ, જંગલો, જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી વગેરે પંચતત્વોને પણ સલામત બનાવે છે. એટલે જ યજ્ઞપરંપરા છેક વેદકાળથી આજ સુધી અખંડપણે ટકી રહી છે આ યજ્ઞપરંપરા ભારોભાર વૈજ્ઞાનિક, સાત્વિક, જનહિતકારી અને સંપૂર્ણ આરોગ્યપ્રદ છે.

🔥યજ્ઞવિધિમાં અગ્નિહોત્ર યજ્ઞવિધિ બહુ વિશિષ્ટ મનાય છે. ભારતભરમાં વેદ સંસ્કૃતિનો પ્રચાર કરનારા અને આર્યસમાજના સ્થાપક સ્વ. દયાનંદ સરસ્વતી કહે છે, અગ્નિહોત્ર યજ્ઞવિધિમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, મધ, કેસર-ગોળ વગેરે જેવાં સાત્વિક અને સુગંધી દ્રવ્યોનો ઉપયોગ થાય છે. ઉપરાંત અષ્ટસમિધા એટલે કે આઠ પ્રકારનાં વૃક્ષનાં કાષ્ઠ (લાકડાં)નો પણ ઉપયોગ થાય છે જેમાં આંબો, વડ, પીપળો, ચંદન અને ગુલર વૃક્ષનાં કાષ્ઠનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય સામગ્રીરૂપે એલચી, લવિંગ, શંખપુષ્પી, બ્રાહ્મી, તલ, શતાવરી, ખસ, આમળાં, ઇન્દ્રજળ, જાવિંત્રી, વચ, નેત્રવાલા, ગુલહઠી, કમળ, કેસર, વડની પાંદડીઓ, નારિયેળ, બદામ અને જવ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધી સામગ્રી મૂળભૂત રીતે આરોગ્યપ્રદ અને ગુણકારી છે.
🔥હવે આ બધી સામગ્રીની યજ્ઞકુંડમાં શુદ્ધ મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાય ત્યારે અગ્નિ સાથે સંસર્ગમાં આવવાથી અતિ સૂક્ષ્મરૂપે બનીને હવા સાથે ભળી જાય. વિજ્ઞાનનો નિયમ છે કે સમગ્ર સૃષ્ટિના કોઈ પણ પદાર્થનો ક્યારેય નાશ ન થાય, ફક્ત એનું સ્વરૂપ બદલાય. ઉદાહરણરૂપે પાણીને ઝીરો ડિગ્રીએ રાખવામાં આવે તો એ બરફ બની જાય, પણ એ જ બરફને ગરમ વાતાવરણમાં રખાય તો એનું ફરીથી પાણી બની જાય. ઉપરાંત એ જ પાણીને ઊંચા તાપમાને ગરમ કરાય તો એની વરાળ બનીને હવામાં ભળી જશે. આ કુદરતી ન્યાયે યજ્ઞકુંડમાંની બધી સામગ્રી છેવટે તો અતિ સૂક્ષ્મ કણોનું સ્વરૂપ ધારણ કરીને હવામાં ભળી જશે.
🔥ફ્રાન્સના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી ડૉ. ટ્રિલવર્ડ અને ભારતના જાણીતા રસાયણશાસ્ત્રી ડૉ. સત્યપ્રકાશે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે આંબાનું, ચંદનનું અથવા વડ કે પીપળાનું લાકડું સળગે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ નામનું વિશિષ્ટ તત્વ ઉત્પન્ન થાય છે જેમાં રોગના જીવાણુઓનો નાશ કરવાની વિશિષ્ટ શક્તિ-ક્ષમતા રહેલી છે. આમ યજ્ઞની અષ્ટસમિધા અગ્નિ સાથે સંસર્ગમાં આવે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ ઉત્પન્ન થઈને હવામાં ભળે અને હવામાંના પ્રદૂષિત, ઝેરી અને રોગનાં જંતુઓનો નાશ કરી સમગ્ર વાતાવરણ સ્વચ્છ બનાવે છે.

🔥વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે યજ્ઞકુંડમાં ગાયના ફક્ત એક ચમચી શુદ્ધ ઘીની આહુતિ આપવામાં આવે તો એમાંથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા હવામાં એક ટન જેટલો ઑક્સિજન ફેલાય છે. જરા કલ્પના કરો, યજ્ઞની સમગ્ર વિધિ દરમ્યાન વિશાળ વાતાવરણમાં કેટલોબધો ઑક્સિજન ભળતો હશે. આ બધો ઑક્સિજન શ્વાસ વાટે યજ્ઞવિધિ કરનારા યજમાનોનાં ફેફસાંમાં જશે અને શરીર શુદ્ધ થશે. નવી ચેતના મળશે. આમ સમગ્ર વાતાવરણ અને શરીર બન્ને સ્વચ્છ થાય.

🔥યજ્ઞોના વિવિધ પ્રકાર

આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં કુલ ૪૦૦ પ્રકારના વિવિધ યજ્ઞોનો બહોળો ઉલ્લેખ છે. ઉપરાંત શ્રીમદ્ભગવદગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કુલ ૧૨ પ્રકારના યજ્ઞોનું ઉત્તમ જ્ઞાન આપ્યું છે. આ ૧૨ યજ્ઞોમાં આત્મસંયમયજ્ઞ, દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, પ્રાણયજ્ઞ અને દેહયજ્ઞનો સમાવેશ થાય છે. ચારેય વેદોમાં અશ્વમેધયજ્ઞ, રાજસૂર્યયજ્ઞ, ઇન્દ્રિયયજ્ઞ, પુત્રકામેષ્ટીયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, અગ્નિહોમયજ્ઞ, સોમયજ્ઞ, હવીરયજ્ઞ, પર્જન્યયજ્ઞ તથા પંચમહાયજ્ઞ વગેરેનો ઉલ્લેખ છે.