ગુરુવાર, 16 જૂન, 2022

જન્મેલ સંતાન ની જન્મ પત્રિકા તથા બાલારિષ્ટ યોગ બાબત વિચારણીય મુદ્દા

🌞બાળક ની કુંડળી માં ઘણી વખત મહાભાગ્ય યોગ, રાજયાદી યોગ જોવામાં આવે છે છતાં પણ બાળક નું અરિષ્ટ થાય છે, જો અરિષ્ટ ન થાય તો બાળપણ થી જ મંદબુદ્ધિ કે ખાપણ જોવા મળે છે. આવા માં સર્વાર્થ ચિંતામણી ના રચનાકાર એ સંદર્ભ આપ્યો છે.

"आद्वादशाद्वा जनतूनामायुर्ज्ञातुं न शक्यते |

जपहोमचिकित्साद्यैर्बारक्षां तु कारययेत ॥

पित्रोर्दोषैर्मृताःकेचित्के चिद्वालग्रहैरपि ।

अपरे रिष्ट्योगाच्च त्रिविधा बालमृत्यवः॥(सर्वार्थ चिन्तामणी)

અર્થ:

બાળક ૧૨ વર્ષ નું થાય ત્યાં સુધી તેના આયુષ્ય નો નિર્ણય નથી થઈ શકતો,

માટે તેની રક્ષા જપ, હોમ,વૈદ્યક વગેરે ઉપાય થી કરવી જોઈયે...

કેટલાક બાળકો નું માતાપિતા ના દોષો થી અરિષ્ટ થાય છે, કેટલાક નું બાળગ્રહો થી અને કેટલાક નું અરિષ્ટ યોગો થી....

તથા આ બાબત ને જાતક પારિજાત પણ સ્વીકારે છે..

आद्वादशाब्दान्तरयोनिजन्मनामायुः कलानिश्चयितुं न शक्यते।

मात्रा च पित्रा कृतपापकर्मणा बालग्रहैर्बालमुपैति नाशम॥(जातक पारिजात ४/१)

અર્થ :

જ્યાં સુધી ૧૨ વર્ષ ની ઉમર ન થાય ત્યાં સુધી જેમનો જન્મ યોની દ્વારા થયો છે તેઓ નું આયુષ્ય નિશ્ચિત નથી, કારણ કે માતા પિતા ના અશુભ કર્મ અને બાળગ્રહો થી બાળક નો નાશ થાય છે.

જાતક પારિજાત આગળ કહે છે કે....

आध्ये चतुष्के जननीकृताधैर्मध्ये तु पित्रार्जितपापस।

बालस्तदन्त्यासु चतुःशरत्सु स्वकीयदोषैः समुपैति नाशम् ॥(जातक पारिजात ४/२)

અર્થ :

પહેલા વર્ષ માતા ના પાપ, બીજા ૪ થી વર્ષ પિતા ના પાપ,

અને થી ૧૨ વર્ષ સુધી પોતાના પાપ થી બાળક નો નાશ થાય છે.

તથા આગળ કેશવી કાર નો મત છે કે...

"जीवेत्कापि विभङगरिष्ट्जशिशू रिष्टं विना मीयते s

थाध्योsब्दःशिशुदुस्तरोsपि च परौ कार्येशु नो पत्रिका ॥

कार्या प्रश्ननिमित्त्पूर्व्शकुनै रक्ष्न्स्वमानं धिया

होराज्ञेन सुबुध्दिनात्र बहुथोदर्कस्य कालोबली ॥

અર્થ :

કદાચ રિષ્ટ યોગ હોય છતાં બાળક જીવે છે, કદાચ રિષ્ટ યોગ ન હોવા છતાં બાળક નષ્ટ થાય છે અને બાળક નું જન્મ થી પહેલું વર્ષ કઠિન હોય છે ત્યાર બાદ ના બે વર્ષ પણ તેવા જ હોય છે

માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી બાળક ની જન્મપત્રિકા બનાવવી જોઈએ નહીં આવા સમયે વિદ્વાનો એપ્રશ્નશાસ્ત્ર, શકુન શાસ્ત્ર , નિમિત્ત શાસ્ત્ર વગેરે થી તેમજ પોતાની વિવેક બુદ્ધિ થી ફલાદેશ કરી ને પોતાના સ્વમાન ની રક્ષા કરવી જોઈએ...

કારણ કે કાળ બળવાન છે.

 

આમ અહીં ત્રણ વર્ષ સુધી પત્રિકા નિર્માણ કરવી જોઈએ નહીં એવું જણાવ્યું છે. દેશ કાળ પરિસ્થિતિ મુજબ આટલી રાહ કોઈ જોતું હોતું નથી તેથી જન્મ પત્રિકા નિર્માણ ની અવધિ ઓછા માં ઓછી સવા માસ, ત્રણ માસ અને છ મહિના રાખવી જોઈએ તેવો મારો મત છે.

 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

 

🔴મંગળદોષ અને મેડાપક

  • મંગળ તે મંગળકારી કલ્યાણકારી અને શુભકરતા નૈસર્ગિક પાપગ્રહ છે.આપડે જ્યોતિષીઓ એ મંગળ માટે જબરદસ્ત ખોટા હાવ ઉભા કરેલ છે. જે આપડી સંસ્થાએ આ હાઉ/ભય ને દુર કરી સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠાનું પાલન કરવાનું છે.
  • સૌ પ્રથમ જાણીશું કે મંગળદોષ વાડી કુંડલી એટલે શું ? માંગલિક કુંડલી કોને કેહવાય ?
    તો જે જાતકનિ કુંડલી માં ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને માંગલિક કુંડલી કેહવાય છે.જો પુરુષની કુંડળીમાં  ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને પાઘડીએ મંગળ અને જો સ્ત્રી નિ કુંડળીમાં ૧,,,,૧૨ સ્થાનમાં મંગળ હોય તો તેને ઘાટડીએ/ચુનરીએ/ચુંદડીએ મંગળ છે તેમ કેહવાય છે.
  • મંગળદોષ અપવાદ : જો કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ નો, ચોથા ભાવમાં વૃશ્વિક નો,સપ્તમ ભાવમાં મકર (ઉચ્ચ) કે મીન નો, આઠમાં ભાવમાં કર્ક (નીચ) નો અને બારમાં ભાવમાં ધન નો મંગળ હોયતો કુંડળીમાં મંગળ દોષ રેહતો નથી તેમ માનવામાં આવે છે ખરેખર તે યોગ્ય નથી,
  • મિથુન કે કર્ક ના મંગળ ને મેડાપકમા મેળવવામાં દોષકારક માનવામાં આવતો નથી જે યોગ્ય નથી. બીજું કે ઉચ્ચનો મંગળ, સ્વગૃહી મંગળ, તેમજ સૂર્ય કે ગુરુ ની રાશીઓ સિંહ ધન અને મીન માં મંગળ દોષકારક બનતો હોવા છતાં તેને અલ્પ દોષકારક માનવામાં આવે છે તે બિલકુલ યોગ્ય બાબત નથી.
  • મંગળ અગ્નિતત્વ નો ગ્રહ અગ્નિતત્વનિ રાશિમાં બળવાન બને છે. જેથી યોગ્ય બળાબળ જોઇને મંગળદોષનિ ભૂમિકા જ્યોતિષીઓ એ પોતાની બૌદ્ધિક ક્ષમતાએ ચકાસણી કરવી તેવો મારો સ્પષ્ટ મત છે.
  • પ્રથમ ભાવમાં મંગળ હોતા તેની દ્રષ્ટિ ૪--૮ સ્થાન પર પડે છે. પ્રથમ ભાવમાં મંગળ હોતા જાતક આક્રમક અને જીદ્દી હોય છે ત્વરિત ગુસ્સો તેનામાં સહજ આવી જાય છે.
  • સાતમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૦--૨ ભાવ ઉપર પડે છે. ૧૦ મેં દ્રષ્ટિ કાર્યમાં ઝડપ, લગ્નમાં દર્ષ્ટિ તુડમીજાજી,આક્રમક, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે.
  • આઠમે મંગળ તો તેની દ્રષ્ટિ ૧૧--૩ ભાવ ઉપર પડે છે. ૧૧ મેં દ્રષ્ટિ લાભમાં હાની આપે છે, બીજે દ્રષ્ટિ વાણીમાં આક્રમકતા કોડાફાળ બોલી,કર્કશતા અને જુઠું બોલે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે.
  • બારમે મંગળ હોય તો તેની દ્રષ્ટિ ૩--૭ ભાવ ઉપર પડે છે. ત્રીજે દ્રષ્ટિ શાહસિક અને નીડર બનાવે છે. છઠ્ઠે દર્ષ્ટિ દુશ્મનો/રોગ સામે જીત મેળવે છે. સાતમે દ્રષ્ટિ લગ્ન જીવનમાં આક્રમકતા આપે છે.
  • સપ્તમભાવ તે માનવ જીવનમાં સ્ત્રી અને પુરુષના શારીરિક સંભોગ નું  અને અસ્ઠમ સ્થાન તે જાતીય સંભોગ ની પરિતૃપ્તિ દર્શાવે છે. આથી ૧-૪-૭-૮-૧૨ માં રહેલો મંગળ જાતકની જાતીયતા ને ઉસ્કેરે છે. વ્યક્તિની શક્રિય જાતીયતાની બાબતમાં ૭-૮ સ્થાન અને આ સ્થાનમાં મંગળ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
  • મંગળ તે અગ્નિ તત્વ નો ગ્રહ છે. સ્ત્રી ને સ્ત્રીતત્વ અને પુરુષને પુરુષતત્વ આપનાર ગ્રહ મંગળ છે. સ્ત્રી અને પુરુષની જાતીયતા તપસ્વી હોય તો મંગળને કુંડળીમાં તપાસવો જ પડે. ટુકમાં કહું તો માંગલિક કુંડળી વાડી વ્યક્તિમાં વધુપડતી જાતીયતા જોવા મળે છે. મંગળ શક્તિ ધોતક છે પતીનીધીત્વ કરે છે. જો સપ્તમ સ્થાન પર હસુભ ગ્રહની દર્ષ્ટિ ના હોય તો સ્ત્રી પુરુષની જાતીયવૃતિ ને ઉશ્કેરનાર કે ભડકાવનાર બને છે.
  • ઘણા ના દિમાગ માં જાતીયતા માટે શુક્ર જવાબદાર છે તેમ બેઠેલ છે પણ શુક્ર તે “ઘી” છે તો મંગળ “આગ” છે. અને આ બંને ગ્રહોની જુગલ બંધી પણ જાતીયતામાં ભડકે ભડકા આપે છે. કોઈ પણ કુંડલી ઉઠાવીને જોઈ લેવી જેમાં શુક્ર મંગળ નો નવપંચમ યોગ હોય કે યુતિ હોય. (શરતો લાગુ)  
  • માંગલિક કુંડલીની સામે માંગલિક કુંડલી નો મેડાપક ન કરાવેલ અથવા તો મંગળ દોષ વાડી કુંડલી પર ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય અથવા અપવાદ મંગળ ન બનતો હોય તો આવી કુંડલીમાં એકપાત્ર વધુ જાતીયવૃતિ વાળું અને બીજું પાત્ર ઓછી જાતીયવૃતિ વાળું બનશે જેથી કરીને એકબીજાની જાતીય વૃતિ સંતોષાતી નથી જેના કારણે વાસ્તવિક જીવનમાં ઘણી સમાનતા જોવા મળે છે.  જેને લઈને રોજ બરોજ ના કકરાટ ઝગડા તીવ્ર મતભેદો થી માંડીને વ્યભિચાર ત્યાગ કે છુટાછેડા જેવા બનાવોનું અનિષ્ટ સમાજમાં સર્જાય છે. જો એક વધુ જાતીયવૃતિવાડી વ્યક્તિ ને જાતીય સંતોષ નહિ મળે તો તે અન્ય પાસેથી તે પ્રાપ્ત કરવા કોશિશ કરશે મથામણ કરશે જે આપણી ભારતીય સંસ્કૃતિમાં માન્યતા કે સ્વીકાર્ય નથી.
  • ઘણા મંગળની સામે શનિ કે રાહુ ને મેળવી આપે છે. શનિ મંદ પ્રકૃતિ નો ગ્રહ છે જ્યારે મંગળ ઝડપી અને આક્રમક ગ્રહ છે. રાહુ જાતીયવૃતિમાં વિશેષ રસ દાખવતો નથી તેવું અનુભવે જોવા મળેલ છે તો કેવી રીતે મંગળ સામે શનિ કે રાહુ નો મેડાપક થઇ શકે ???? વિચારવા જેવું ખરું ને ???
  • એક જ્યોતિષ સંમેલનમાં સાંભળવામાં આવ્યું હતું કે ૮ મેં મંગળ ને મંગળદોષ માનવો કે ના માનવો તે સવાલ છે...તો હવે થોડું આ વિષે પણ જાણીએ.....
  • આઠમું સ્થાન જાતીય પરિતૃપ્તિનું હોવાથી આ ભાવમાં રહેલો મંગળ પ્રબળ જાતીયતા આપે છે. (પેહલા જ કહ્યું કે મંગળ તે જાતીયતાનો કારક છે) હવે જાતે જ વિચારો કે અહ્યા મંગળની ભડકે આગ કેવી રહશે ????
  • સપ્તમ કે અસ્ઠમ ભાવ સાથે સંબંધિત વ્યક્તિની જાતીયવૃતી એ કુદરતી બાબત છે.કારણ કે સ્ત્રી પુરુષમાં રહેલી જાતીયવૃતિ કે SEX ની ભૂખ કુદરતી પરિબળો ને આધારિત છે. છતાં પણ તેની તૃપ્તિ સમાજની મર્યાદામાં રહી ને જ થાય તે અતિ આવશ્યક હોવાથી જાતીયવૃતિની અસરને વધારે નિયંત્રણ રાખવાની કે નાબુદ કરવાને બદલે તે વૃતિ ને અનુરૂપ જ સામેની વ્યક્તિ નિ પસંદગી થાય કે કરવામાં આવે તેજ સર્વોત્તમ ઈલાજ છે. અન્યથા સમાજે તેના અશુભ પરિણામો ભોગવવાની કે સહન કરવાની તૈયારી રાખવીજ રહી. કારણ તમારી સામે જ છે તેને અવગણો તો ભૂલ છે....  
    આશા રાખું છુ કે મંગળ દોષ જ કેમ ??? બીજા કોઈ ગ્રહ ના દોષ કેમ નહિ ??? તે આ લેખમાં સમજાવી શકું તેવી કોસિસ કરેલ છે.

વિશેષ :

  • જન્મ કુંડળીમાં મંગળ દોષ ના હોય પરંતુ ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલ ના પરસ્પર યોગો તેમજ આ ગ્રહો નો સપ્તમ ભાવ પરત્વેનો સંબંધ ને લીધે મંગળ દોષ જેવી જ અસરો જાતીય જીવન ઉપર જોવા મળશે.
    ચંદ્ર,શુક્ર,મંગળ અને હર્ષલનિ યુતિ કે પ્રતિયુતિ તેમજ એકબીજાના સાથે જે કેન્દ્રયોગ કરતા હોય તો તે પણ મંગળદોષ કરતા વધુ અનિષ્ટકરી જોવા મડે છે.
  • મંગળ દોષ કરતા પણ ૨-૮-૧૦ માં ભાવમાં રહેલ શનિ વિવાહ/લગ્નજીવનમાં ભંગાણ ઉભું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટે ભાગે એક વખત લગ્ન જીવન ખંડિત કરે છે. આમ ૧-૫-૭ માં રહેલ શનિ પણ ખરાબ પરિણામ લગ્નજીવન માટે આપતો જોવા મળે છે. દાંપત્ય જીવનમાં સંઘર્ષ,નીરસતા અને અસંતોષ જોવા મળે છે.(શરતો લાગુ)
  • જો સપ્ત્મેશ નીચનો હોય કે અન્યોના થકી નીચ બનેલ હોય કે પાપ સંબંધમાં હોય તો તે મંગળ દોષ કરતા પણ વધુ અશુભ બને છે. ૮ કે ૧૨ મેં રહેલ મંગળ કરતા પણ વધુ ખરાબ ફળ આપે છે.
  • લગ્ન મેડાપકમાં કર્ક ના મંગળ ને ભલે અશુભ માનવામાં નથી આવતો છતાં પણ જો કર્ક નો મંગળ ૮ મેં વૈધવ્ય આપે છે. ઉચેથી પડીને મૃત્યુ પામે ત્યારે આવા કિસ્સામાં જ્યોતિષી એ સમા પાત્રની કુંડળીમાં આયુષ્ય સંદર્ભણ અચોક્કસ પાને નજર કરી લેવી જોઈએ.
  •  ૧૨ મેં ધન નો મંગળ અપવાદરૂપ હોવા છતાં તે જાતીયતા બાબતે તે ખરાબ ફળ આપે છે.
  • મંગળ દોષ હોય અને મંગળ પર ગુરુની દ્રષ્ટિ હોય તો મંગળ દોષ નાબુદ થાય છે.
    સ્ત્રી ની કુંડલી નો ગુરુ પુરુષ ની કુંડલીના મંગળ ઉપર દર્ષ્ટિ કરે તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે અથવા પુરુષની કુંડળી ના મંગળ ઉપર સ્ત્રી ની કુંડળી નો ગુરુ દ્રષ્ટિ કરતો હોય તો પુરુષ નો મંગળ દોષ નાબુદ થાય છે.
  • ૮ માં ભાવનો મંગળ કેતુ સ્ત્રીની કુંડળીમાં હોય તો અચૂક વૈધવ્ય યોગ આપે છે. આથી આવા જાતક ને કુંભ વિવાહ કરવાની સલાહ હોય છે. અને ત્યાર બાદ જ લગ્ન કરવાનું કેહવામાં આવે છે. અન્યથા પતીસુખમાં અવરોધો ઉભા થાય છે.( કોઈ પણ ગ્રહ તેની દશા શિવાય ફળ આપતો નથી મારકની કે અષ્ટમેશની દશામાં મંગળ કે કેતુ નું અંતર આવે ત્યારે વય્ધવ્ય યોગ આપે છે.
    નોધ : દરેક જ્યોતિષી મિત્રો એ આખરી ફળકથન આપની પોતાની બુદ્ધિ ની એરણ ઉપર કરવું.
    હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
    🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

🟡💦ગુરુ સ્નાન

🟡💦ઔદુંબર (ગુલર), બિલી, વડ, અને આમળાં, એમનાં ફળયુક્ત જળ સુવર્ણનાં પાત્રમાં લઈ સ્નાન કરવાથી ગુરૂની પીડા નિવૃત્ત થાય છે.


🟡કુંડળીમાં ગુરુ અશુભ હોય, અશુભ ગુરુ ની દશા હોય, નીચ કે અસ્ત હોય ત્યારે ત્યારે ગુરુવારે ગુરુ સ્નાન કરવાથી તેની પીડામાં રાહત રહે છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

🟢💦બુધ સ્નાન

🟢💦સંગમનું જળ (૨ કે ત્રણ નદીના સંગમ નું જળ) હાથીના મદ સહિત માટીનાં પાત્રમાં પધરાવી તેના વડે સ્નાન કરવાથી બુધની પીડા દૂર થાય છે.


🟢કુંડળીમાં બુધ અશુભ હોય, બુધ શનિ, બુધ ચંદ્ર, બુધ રાહુ/કેતુ ની યુતિ હોય, અશુભ બુધ ની દશા ચાલતી હોય તેવા સમયે બુધ સ્નાન કરવાથી બુધ ની પીડા નાબુદ થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

બુધવાર, 15 જૂન, 2022

🔴મંગળ સ્નાન 🔴

🔴ખેર, દેવદારૂ, તલ અને આમળાં ને રૂપાના પાત્રમાં નાંખી તેમાં જળ લઈ ભરી તે જળ વડે સ્નાન કરવાથી મંગળની પીડા દૂર થાય છે.


🔺કુંડલી માં મંગળ અશુભ સ્થાનો નો સ્વામી હોય મારક કે બાધક હોય શનિ મંગળ, મંગળ રાહુ, મંગળ કેતુ ની યુતિ હોય, મંગળ દોષના કારણે લગ્ન થવામાં વિલંબ થતો હોય, ગોચરમાં અશુભ મંગળની દશા ચાલતી હોય, મંગળ ઉપર થી શનિ રાહુ કેતુ નું ભ્રમણ ચાલતું હોય તેવા સમયે આ મંગળ સ્નાન કરવાથી મંગળની પીડા નાબુદ થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

🌝💦ચંદ્ર સ્નાન

💦શિરીષ (સરસડો) કેશર અને રક્તચંદન એ ઔષધોને જળમાં પધરાવી તે જળવડે શંખ ભરી સ્નાન કરવાથી ચંદ્રની પીડા દુર થાય છે.

ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, શનિ ચંદ્ર ની યુતિ લગ્ન કુંડળીમાં હોય, ગોચરમાં ચંદ્ર ઉપર થી શનિ રાહુ કેતુ જેવા ગ્રહો ભ્રમણ કરતા હોય ત્યારે ત્યારે સોમવારના દિવસે ચંદ્ર સ્નાન કરવાથી પીડા દુર થાય છે અને ચંદ્ર શુભ પરિણામ આપે છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

👹💦રાહુ સ્નાન 💦👹

💦ગુગળ, હિંગ, હરતાલ અને મણશીલ સહીત જલ મહિષ (પાડા) ના શીંગડામાં ભરી તે જળ વડે સ્નાન કરવાથી રાહુ કૃત પીડા દુર થાય છે તેમાં કોઈ શંકા ને સ્થાન જ નથી.

રાહુ ની મહાદશા, અંતર દશા, પ.દશા રાહુ નું શનિ મંગળ ચંદ્ર ઉપર થી પસાર થવું જેવા સમયમાં અથવા રાહુ જનિત કોઇપણ દુષ્ફળ પ્રાપ્ત થતું હોય ત્યારે બુધવારે રાહુ સ્નાન સુંદર ફળ આપનાર  બને છે અને રાહું જનિત પીડામાં ઘણી ઘણી રાહત થાય છે. 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

મંગળવાર, 14 જૂન, 2022

🙍વિષક્ન્યા યોગ

 આ રીતે વિષ્કન્યા યોગ ક્યારે થાય ??

જો કોઈ કન્યાનો જન્મ મંગળવારે સપ્તમી તિથિ અને આષ્લેશા, શતાભિશા અથવા વિશાખા નક્ષત્રમાં થાય છે, તો આ પ્રકારનો યોગ વિષકન્યા થાય છે.
જો કોઈ કન્યાનો જન્મ રવિવાર
, મંગળવાર અને શનિવારે 2, 7 અને 12 તીથી અને આષ્લેશા, શતભિશા કે કૃતિકા નક્ષત્રમાં થયો હોય, તો તેને વિષક્ન્યા યોગ કહેવામાં આવે છે.

જો કન્યાનો જન્મ મંગળવારે આષ્લેશા, વિશાખા અથવા શતાભિષ નક્ષત્રમાં સપ્તમી તિથિ માં થાય છે, તો આ પ્રકારનો યોગ વિષકન્યા યોગ બનાવે છે. 

આવી સ્ત્રીઓએ લગ્ન પહેલાં વટસાવિત્રીનું વ્રત અવશ્ય કરવું જોઈએ,

જો બીજ તીથી શનિવારે છોકરી આષ્લેષા નક્ષત્રમાં જન્મે છે, તો આ પ્રકારના યોગને વિષક્ન્યા યોગ કહેવામાં આવે છે. 
પૂર્ણ જીવન દરમિયાન લગ્નજીવન માટે છોકરીને હમેશાં વિષ્ણુશાસ્ત્રનામનો પાઠ કરવો તેથી વિષકન્યા યોગની અસરમાં ઘટાડો થશે
, તેમજ સારા જ્યોતિષની સલાહ પણ લેવી.

જો દ્વાદશી તિથિના દિવસે મંગળવાર ના દિવસે શતાભિષ નક્ષત્રમાં કોઈ છોકરીનો જન્મ થાય છે, તો આવા યોગથી વિષ્કન્યા યોગની રચના થાય છે. 
આવી છોકરી ગુરુની પૂજા કરે છે તો જ તે તેના માટે લાભકારક સાબિત થશે.

જો કૃતિકા નક્ષત્રમાં સપ્તમી અને દ્વાદશી ના શનિવારે કોઈ છોકરીનો જન્મ થાય છે, તો તે વિષકન્યા  યોગ કહેવાય છે. તેની માટે જ્યોતિષ જાણકાર ની સલાહ લઈ ઉપાય કરવા.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ

⏳કાળ ગણના

કાળ ગણના

આંખના ૧૮ પલકારા = એક કાષ્ઠા

૩૦ કાષ્ઠા = કળા

૩૦ કળા = મુહુર્ત

૩૦ મુહુર્ત = રાત્રી-દિવસ (૨૪ કલાક)

૩૦ રાત્રી-દિવસ = મહિનો

મહિનો = પિત્રુ રાત્રી-દિવસ (કૃષ્ણ પક્ષ = દિવસ અને શુક્લ પક્ષ = રાત્રી)

મનુષ્ય વર્ષ = દેવતાઓનો રાત્રી-દિવસ

દેવતા વર્ષ = ૩૬૦ મનુષ્ય વર્ષ

નોંધ: મનુષ્ય નું વર્ષ = ૧૨ મહિના = ૧૨*૩૦=૩૬૦ દિવસ ( મહિનો = અંજવાળિયું (૧૫) + અંધારિયું (૧૫) = ૩૦)

મનુષ્યનું એક વર્ષ = મહિના ઉત્તરાયણ સમય + મહિના દક્ષિણાયન સમય = દેવતાઓ નો દિવસ + દેવતાઓ ની રાત્રી (ઉત્તરાયણ = દેવતા દિવસ , દક્ષિણાયન = દેવતા રાત્રી )


·        સતયુગ = ૪૮૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૪૮૦૦ = ૧૭,૨૮,૦૦૦ મનુષ્ય વર્ષ


·        ત્રેતાયુગ = ૩૬૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૩૬૦૦ = ૧૨,૯૬,૦૦૦ મનુષ્ય વર્ષ


·        દ્વાપરયુગ = ૨૪૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૨૪૦૦ = ૮,૬૪,૦૦૦ મનુષ્ય વર્ષ


·        કળિયુગ = ૧૨૦૦ દેવતા વર્ષ = ૩૬૦*૧૨૦૦ = ૪,૩૨,૦૦૦ મનુષ્ય વર્ષ


·        યુગ = દેવતા યુગ = ૧૨૦૦૦ દેવતા વર્ષ = ૧૨૦૦૦*૩૬૦= ૪૩,૨૦,૦૦૦ મનુષ્ય વર્ષ


·        ૭૧*૧૨૦૦૦ (-યુગ = ૧૨૦૦૦ દેવોના વર્ષ) = ૮,૫૨,૦૦૦ દેવોના વર્ષ


·        ૮,૫૨,૦૦૦*૩૬૦ = ૩૦,૬૭,૨૦,૦૦૦ મનુષ્ય વર્ષ = એક મન્વંતર (આવા ૧૪ મન્વંતર નું ચક્ર ફર્યા કરે છે) (નોંધ : આમતો મનુ જ છે.)


·        ૧૦૦૦ દેવતા યુગ = ૧૦૦૦*૪૩,૨૦,૦૦૦ = ,૩૨,૦૦,૦૦,૦૦૦ મનુષ્ય વર્ષ = બ્રહ્મા દિવસ અને તેટલોજ પાછો રાત્રી.