⛈️💦નક્ષત્ર જન્ય વરસાદ💦⛈️
🌤️“આદ્રા” નો અર્થ થાય છે “ભીનું” વરસાદથી પલળેલું નક્ષત્ર.
ચોમાસાનું પ્રથમ નક્ષત્ર એટલે જ આદ્રા...
🌤️સૂર્ય જૂનની તા:૨૧ થી આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધી આદ્રા નક્ષત્રમાં રહે છે. અને આ સમયગાળામાં વરસાદ થાય તો ખેતીને અતિશય લાભદાયી કહ્યો છે.
🌤️સૂર્યનારાયણ કયા નક્ષત્ર માં કેટલો સમય રેહશે તે જોઈએ !
🌞સૂર્યનારાયણ આદ્રા નક્ષત્ર માં તા:૨૨ જુન થી ૦૫ જુલાઈ સુધી હતા.
🌞અને હાલ ૬ જુલાઈ થી ૧૯ જુલાઈ સુધી પુનર્વસુ નક્ષત્ર માં રેહશે.
🌞ત્યાર બાદ ૨૦ જુલાઈ થી ૦૨ ઓગષ્ટ સુધી પુષ્ય નક્ષત્ર માં રેહશે.
🌞ત્યાર બાદ ૩ ઓગષ્ટ થી ૧૬ ઓગષ્ટ સુધી આશ્ર્લેષા નક્ષત્ર મા રેહશે.
🌞ત્યાર બાદ ૧૭ ઓગષ્ટ થી ૩૦ ઓગષ્ટ સુધી માઘ નક્ષત્ર માં રેહશે.
☄️હવે વરસાદ માટે ભડલી વાક્યો પર નજર...
⛈️‘‘જો વરસે આદરા તો બારે માસ પાધરા”
“આદરા ભરે ખાદરા, ખેડૂના દી પાધરા"
💧અર્થ : આદ્રામાં કરેલી અનાજની વાવણી બધાં દુઃખોને લાઠી મારીને ભગાડી દે છે.
⛈️“આર્દ્રામાં જો બોયે સાઠી, દુ:ખે મારિ નિકારૈ લાઠી.''
💧આર્દ્રના વાવેતરમાં વનસ્પતિના મૂળ ઊંડા જાય છે.
પુષ્ય (નક્ષત્ર) ના વાવેતરથી માત્ર ડાળાં પાંદડાં વધુ થાય છે.
⛈️“આદ્રાનો ઊંડાળ ને પસનો પૂળો, આદ્રા રેડ પુનર્વસુ પાતી, લાગ ચિરૈયા દિયા ન બાતી.’’
💧આર્દ્રની વાવણી મૂળ ઊંડા કરે છે, પુનર્વસુમાં પાંદડાં વધુ થાય, પણ જો પુષ્યમાં વાવણી કરે તો દાણાપાણીની વાત મૂકી દો, દીવાબત્તીનાંય ઠેકાણાં નહીં રહે ! તેમ ખે છે.
(ચિરૈયા એટલે પુષ્ય નક્ષત્ર) પુષ્ય નક્ષત્ર વાવણી માટે નકામું નક્ષત્ર, પરંતુ રોપણી માટેનું શ્રેષ્ઠ ગણાય છે.
⛈️‘‘આર્દ્રા ધાન, પુનર્વસુ પૈયા, ગયા કિસાન જો બુવૈ ચિરૈયા.
💧થોડો વરસાદ થાય, પછી થોડો વખત ઉઘાડ થાય, વળી પાછો વરસાદ થાય. આવા ક્રમથી વનસ્પતિને પુષ્કળ પોષણ મળતાં તે ઝડપથી ગજુ કરે છે.
💧રોહિણીમાં વર્ષા, મૃગમાં ઉઘાડ, ફરી આર્દ્રમાં વરસાદ પડે તો મલબક પાક થાય છે.
⛈️“રોહિણી વરસે, મૃગ તપે, કુછ આદ્રા વરસાય, કહે ઘાઘ સુણ ઘાઘની, શ્વાસન ભાત ન ખાય.’’
“આર્દ્રા બરસે, પુનર્વસુ જાય, દીએ અન્ન કોઈ ના ખાય.*
💧આર્દ્રમાં વરસાદ પડે પછી પુનર્વસુમાં ઉઘાડ થાય. પછી તો ભિખારી પણ માગ્યું અન્ન નહીં થાય !
⛈️‘આર્દ્રા ચાર, મઘ પંચમ.’’
💧આદ્રા વરસે તો પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા પણ થોડા ઘણા વરસે છે.
💧તેમ જ મઘા (નક્ષત્ર) વરસે તો પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા પણ થોડા ઘણા વરસે છે.
⛈️“આદરા કરે ઉલમણા તો માસે આવે મેં”
💧આર્દ્રમાં વરસાદ ન થાય તો એકાદ માસ સુધી વરસાદ થવાની શક્યતા ઓછી.
⛈️“આર્દ્ર ગયે તીનજાય, સન સાઠી ઔર કપાસ.’’
💧આર્દ્ર કોરું જાય તો શણ, અનાજ અને કપાસના પાકને નુકસાન થાય.
⛈️“આવત આદર ના દિયા, જાવત દિયો ન હસ્ત, યે દોનો પછાતયેંગે, પાહૂલ ઔર ગૃહસ્ત.”
💧અતિથિ આંગણે આવતાં જો આદર આપવામાં ન આવે અને અતિથિ જાય ત્યારે ભાથુ કે હૈયાધારણ-હાથ આપવામાં ન આવે તો ગૃહસ્થે પછતાવું જોઈએ, કારણ કે તે ગૃહસ્થાશ્રમનો ધર્મ ચૂક્યો છે, તે જ પ્રમાણે જો આદ્રા નક્ષત્ર બેસતા પૂરતું પાણી આપે નહીં કે હસ્ત નક્ષત્ર ઊતરતાં વધુ પાણી આવે નહીં, તો વરસાદે પસ્તાવું જોઈએ.
“અવસર ચૂક્યો મેહુલો !’’
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻