રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024
🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?
શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે.
શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?
હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.
કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?
શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે.
શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?
હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.
કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
🙏🏻શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું
🕉️ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.
🕉️ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ- આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
🕉️પાંચમનું શ્રાદ્ધ -આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.
🕉️નોમનું શ્રાદ્ધ-આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.
🕉️ચૌદશનું શ્રાદ્ધ-આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.
🕉️સર્વ પિતૃમોક્ષ અમાસ -કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
મંગળવાર, 30 ઑગસ્ટ, 2022
🌝આજે ભૂલમાં પણ ચંદ્ર દર્શન કરવા નહિ, નહીતો લાગી શકે છે આપની ઉપર ખોટા કલંક
🌝ભાદરવા સુદ ચોથના ચંદ્રદર્શન થાય તો ખાટા દોષના આરોપ થાય છે.
🌝ધર્મ સિંધુમાં કહ્યું છે કે ચેાથમાં ઉદય થયેલા ચંદ્રનું પાંચમમાં દર્શન થાય અને તે દિવસે વિનાયકવ્રતનો દિવસ હોય તોપણ દોષ નથી.
પ્રથમ દિવસે સાયાહ્નકાલને આરંભ કરી રહેનારી ચેાથમાં વિનાયકવ્રત ન હોય તે પણ પ્રથમ દિવસેજ ચંદ્રદર્શન માટે દોષ છે એમ સિદ્ધ થાય છે.
ચેાથમાં ઉદય પામેલા ચંદ્રનું દર્શન કરવું નહી, એ પક્ષમાં તો બાકી રહેલી માત્ર દશ બાર ઘડી ચેાથને દિવસે પણ ચંદ્રદર્શનને નિષેધ પ્રાપ્ત થાય છે.
હાલમાં બધા જ તે બન્નેમાંથી એક પક્ષનો સ્વીકાર કરી ફક્ત વિનાયકવ્રતને દિવસેજ ચંદ્રદર્શન કરતા નથી, પરંતુ ઉદય સમયે અથવા દર્શન સમયે ચૌથ છે કે નહી તે જોતા નથી અને આંધરે બેહરુ કૂટે છે અને નિયમ પ્રમાણે ચાલતા નથી.
🌝હવે સમજીએ કે ચંદ્રદર્શન નો નિષેધ ક્યારે ???
તો આજે તા:૩૦/૦૮/૨૦૨૨ ને મંગળવાર,
આજની ત્રીજની તિથી ૧૫:૩૨:૩૫ સુધી છે ત્યાર બાદ ચોથ શરુ થાય છે.
ચંદ્રોદયનો સમય ૦૮:૪૫:૪૯ છે અને ચંદ્રાસ્ત નો સમય ૨૦:૫૯:૦૯ છે મતલબ કે આજે રાત્રે જે ચંદ્ર દર્શન થાય તે ચોથની તિથીના થશે, અને દોષ કર્તા બનશે. માટે આજે ચંદ્ર દર્શન કરવા નહિ.
🌝જે લોકો ફક્ત વિનાયક ચોથના દિવસે ચંદ્ર દર્શન ન થાય તેમ સમજીને આવતી કાલ તા:૩૧/૦૮/૨૦૨૨ એ ચંદ્ર દર્શન નહી કરે તેમના માટે સમજીએ કે....
આવતી કાલે તા:૩૧/૦૮/૨૦૨૨ ને બુધવાર, સૂર્ય ઉદિત વેળાએ તિથી ચોથ છે જે ૧૫:૨૨:૧૭ સુધી છે. ત્યાર બાદ પાંચમ શરુ થાય છે. ચંદ્રોદયનો સમય ૦૯:૪૦:૨૦ છે અને ચંદ્રાસ્ત નો સમય ૨૧:૩૩:૩૯ છે. મતલબ કે આવતી કાલે રાત્રે જે ચંદ્ર દર્શન થાય તે પાંચમની તિથીના થશે માટે તે દોષકર્તા રેહતા નથી. કા.કે ધર્મ સિંધુમાં કહ્યું છે કે ચેાથમાં ઉદય થયેલા ચંદ્રનું પાંચમમાં દર્શન થાય અને તે દિવસે વિનાયકવ્રતનો દિવસ હોય તોપણ દોષ નથી.
🙏ભાદરવા ચતુર્થી દિવસે ચન્દ્ર દર્શન થાય તો મિથ્યા કલંક લાગે, આ કલંક શ્રીકૃષ્ણ ભગવાને લાગેલ હતો.
આજે ચોથ માં ઉદય પામેલા ચન્દ્ર નું દર્શન કરવું નહીં તે ધ્યાનમાં લેવું
છતાય જો ભૂલમાં ચન્દ્ર દર્શન થઇ ગયું હોય તો તેના દોષની નિવૃત્તિ માટે નીચેના મંત્ર ની ૧૧ માળા કરવી.
सिंह: प्रसेनमवधित्सिंहो जांबवता हत: |
सुकुमारक मा रोंदीस्तव ह्येष स्यमंतक ||
🌕ભાદરવા ચતુર્થી નું ચન્દ્ર દર્શન નિષેધ બાબત.
🌕બધાજ વ્રત અને તહેવારો નો સંબંધ ચંદ્ર તિથિ ઓ ઉપર આધારિત છે. ચંદ્ર દર્શન બધીજ શુકલ ચતુર્થી પર વિશેષ કરી ને ભાદરવા સુદ ચોથ નાં દિવસે નિષેધ માન્યું છે. શાસ્ત્ર અને સમાજ માં પ્રચલિત છે કે આ દિવસે ચન્દ્ર દર્શન કરવાથી મિથ્યા કલંક યા ખોટો આક્ષેપ લાગે છે.
🌕દર્શન શાસ્ત્ર માં કોઈ પણ કારણ અકારણ નથી થતુ.
🌕ગ્રહો ની સ્થિતી અનુસાર જ વ્યક્તિ નો મૂડ બદલાયા કરે છે. આ દિવસે ચન્દ્ર દર્શન નીષેધ નું વૈજ્ઞાનિક આધાર છે કે, આ દિવસે સુર્ય અને ચંદ્ર એવી ત્રિભ્રૂજ કક્ષામાં હોય છે જેનાથી પ્રાણ શક્તિ ની કમી અનુભવાય છે.
🌕ભારતીય જ્યોતિષ ગણના સુર્ય ઉપર આધારિત છે. સુર્ય નો એક ભાગ પૃથ્વી તરફ નથી રહેતો તેનાં ભ્રમણ નાં કારણે બદલાયા કરે છે આવી સ્થિતી ચન્દ્ર ની પણ છે.
આ દિવસે સુર્ય દ્રારા મોકલવામાં આવેલ મારક કિરણો થી ચંદ્ર વધું પ્રકાશિત હોય છે.
🌕 ચન્દ્ર જે મન નું પ્રતિનિધિત્વ કરે છે પૃથ્વી ઉપર રહેવાવાલા દરેક વ્યક્તિઓ નાં મન ઉપર તેજ પ્રભાવ પાડે છે માટે જ આ દિવસે ચંદ્ર દર્શન શાસ્ત્ર મા નિષેધ છે.
🙏હવે આ બાબતે શાત્રોક્ત વિચારણા જાણીએ કે કેમ ગણેશ ચતુર્થીએ ન કરવા જોઇએ ચંદ્રમાના દર્શન ?
🙏તો એક વખત ચંદ્ર દેવે ગણેશજીનું મુખ જોઈને તેમની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધિત થઈને ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે આજથી સુદ ચોથના દિવસે જે તને જોશે તેને ખોટાં આરોપોનું ભોગ બનવું પડશે. તે પછી ચંદ્રમાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે ગણેશજીની માફી માંગી હતી.
🙏ત્યારે ગણેશજીએ ચંદ્ર દેવને શ્રાપ મુક્ત કરતાં કહ્યું કે જો કોઈ ચોથના દર્શન કરશે તો એવું જરૂર થશે પણ વર્ષમાં એક વાર જ તેનો પ્રભાવ રહેશે. ત્યારથી ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન ન કરવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બાકીની ચોથના દિવસે દર્શન કરવામાં શુભદાયી છે.
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
સોમવાર, 25 જુલાઈ, 2022
🕉️૨૦૨૨ ના દેવ દિવાળી સુધીના તેહવારોની તારીખ સાથે માહિતી મેળવો
🔺શ્રાવણ માસ પ્રારંભ અમાસ – ૨૮/૦૭/૨૦૨૨
🔺શ્રાવણ માસ પ્રારંભ એકમ – ૨૯/૦૭/૨૦૨૨
🔺રક્ષાબંધન – ૧૧/૦૮/૨૦૨૨
🔺ફૂલ કાજરી વ્રત – ૧૪/૦૮/૨૦૨૨
🔺સ્વતંત્રતા દિવસ – ૧૫/૦૮/૨૦૨૨
🔺નાગ પાંચમ – ૧૬/૦૮/૨૦૨૨
🔺રાંધણ છઠ – ૧૭/૦૮/૨૦૨૨
🔺શીતળા સાતમ – ૧૮/૦૮/૨૦૨૨
🔺કૃષણ જન્માષ્ટમી ¬– ૧૯/૦૮/૨૦૨૨
🔺રામદેવપીર ના નોરતા – ૨૮/૦૮/૨૦૨૨
🔺કેવડા ત્રીજ - ૩૦/૦૮/૨૦૨૨
🔺ગણેશ ચતુર્થી – ૩૧/૦૮/૨૦૨૨
🔺સામાપાંચમ – ૦૧/૦૯/૨૦૨૨
🔺ગણેશ વિસર્જન – ૦૯/૦૯/૨૦૨૨
🔺પ્રતિપદા શ્રાદ્ધ – ૧૦/૦૯/૨૦૨૨
🔺નવરાત્રી પ્રારંભ – ૨૬/૦૯/૨૦૨૨
🔺દશેરા – ૦૫/૦૯/૨૦૨૨
🔺શરદ પુનમ – ૦૯/૧૦/૨૦૨૨
🔺આસો વદ દશમ – ૨૦/૧૦/૨૦૨૨
🔺વાઘ બારસ - ૨૧/૧૦/૨૦૨૨
🔺ધનતેરસ - ૨૨/૧૦/૨૦૨૨
🔺કાળી ચૌદસ - ૨૩/૧૦/૨૦૨૨
🔺દિવાળી - ૨૪/૧૦/૨૦૨૨
🔺સૂર્ય ગ્રહણ – ૨૫/૧૦/૨૦૨૨
🔺નુતન વર્ષ – ૨૬/૧૦/૨૦૨૨
🔺ભાઈબીજ – ૨૭/૧૦/૨૦૨૨
🔺લાભ પાંચમ – ૨૯/૧૦/૨૦૨૨
🔺સાતમ-જલારામ જયંતી – ૩૧/૧૦/૨૦૨૨
🔺તુલસી વિવાહ – ૦૫/૧૧/૨૦૨૨
🔺દેવદિવાળી – ૦૮/૧૧/૨૦૨૨
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
શનિવાર, 23 જુલાઈ, 2022
☘️ બીલીપત્ર વિષે મહત્વ ની જાણકારી મેળવો.
☘️બીલીપત્ર☘️
☘ બિલીપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકામના પૂરી કરે છે. એટલું જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું લાભ ફળ મળે છે.
☘ આ વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.
☘ બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.
☘ બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે
☘ ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.
☘ બિલપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.
☘ બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.
☘ બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી... પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે. પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું.
☘ શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.
☘ ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી.
☘ કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.☘બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે.
☘ તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે.
☘ બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ કા.કે બીલી વૃક્ષ તે સ્વયમ સદાશિવ સ્વરૂપ છે.
☘ બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું.
☘ બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે.
☘ બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે.
☘ બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
☘ બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે.
☘ બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. - આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે. ફળમાં કાત્યાયનીનો વાસ છે. - આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
☘️
☘ બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? કેવી રીતે અર્પણ કરવા ?
☘ તો જેઓ બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તે, તેની માવજત કરતા હોય તે વ્યકતિ બિલ્વ વૃક્ષ અર્પણ કરી શકે.
☘ બિલ્વ વૃક્ષ ને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી.
☘️ ખંડિત થયેલ,તૂટેલ,કાણા વાળા પત્ર અર્પણ કરવા નહિ.
☘ ફક્ત 3 પાન હોય તેવાજ બિલ્વ પત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાન નું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર છે.
☘ 5 કે 7 પાન નું બિલ્વ પત્ર શિવજી ને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમ માં સરસ મઢાવીને ઘૃહ માં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ઘૃહમાં પ્રવેશ કરી શકતી નથી.
☘બિલ્વ વૃક્ષ ની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવપૂજા નું ફળ મળે છે.
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻
ગુરુવાર, 7 જુલાઈ, 2022
🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું ?
🕉️જાણો કે શ્રાવણ માસમાં શિવજી ઉપર દૂધ કેમ ચઢાવવું ?
🕉️શિવજી ઉપર દૂધ નહિ ચઢાવવા માટે નો ખોટો પ્રચાર કેટલાક વામપંથીઓ અને ગેર હિંદુઓ દ્વારા ફેલાવવામાં આવે છે, જયારે આપણી સંસ્કૃતિ માં દરેક એ દરેક વસ્તુ વિષય ઉપવાસ તંત્ર મંત્ર યંત્ર બધુજ વૈજ્ઞાનિક ઢબે પણ સત્ય પુરવાર થયું છે.
🕉️આ વિષય ઉપર આજની પેઢી માટે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક તથા ઋતુ શાસ્ત્ર પ્રમાણે તથ્ય જણાવીશું.
🕉️તો આયુર્વેદિની દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવણમાં દૂધ અથવા દૂધમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની મનાઈ ફરમાવી છે, તેના વડે વાયુના રોગો સૌથી વધુ થાય છે. અને વાયુ – પિત્ત - કફના અસંતુલનથી બિમારીઓ ઉત્પન્ન થતી હોય છે.
🕉️ઋતુ શાસ્ત્ર અને વૈજ્ઞાનિક દર્ષ્ટિથી જોતા શ્રાવણ મહિનામાં વર્ષાઋતુ હોય છે તથા ઋતુ પરિવર્તનને કારણે શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે. ભેજ વાળા વાતાવરણ ને કારણે જમીન ઉપર તથા વનસ્પતિ ઉપર અવનવા બેક્ટેરિયા જીવાણું વિષાણુંઓ પેદા થાય છે. અને આ જીવાત યુક્ત ઘાસ વનસ્પતિ ગાય ભેષ એમ દરેક દુધાળા પ્રાણીઓ આરોગે છે, જેના કારણે તેમનું દૂધ પણ જીવાણું અને વિષાણું યુક્ત હોય છે જે બીજી બધી ઋતુઓ માં હોતું નથી.
🕉️અને માટે શારીરિક અને ઋતુ તથા વિજ્ઞાનિક ઢબ ને આધીન આપણા પુરાણોમાં શ્રાવણના સમયમાં શિવને દૂધ અર્પિત કરવાની પ્રથા બનાવવામાં આવી હતી. જેથી મનુષ્ય જાતક તે સમય માં આપો આપ જ દૂધ નું સેવન ઓછુ કરે અને નીરોગી રહે.
🕉️પહેલાના જમાનામાં જ્યારે શ્રાવણ મહિનામાં દરેક જગ્યાએ દૂધ ચઢાવાતું હતું. ત્યારે લોકો સમજી જતા હતા કે આ મહિનામાં દૂધ વિષ સમાન છે અને તેથી તેઓ દૂધનો ત્યાગ કરતા હતા, કે ક્યાંક તેઓ વરસાદની મોસમમાં બિમારીઓથી ઘેરાઈ ન જાય.
🕉️આની પાછળ ધાર્મિક કારણ પણ છે કે...
જયારે સમુદ્ર મંથન થયું તો એમાં હલાહલ વિષ નીકળ્યું, જે ત્રણેય લોક ને નષ્ટ કરી શકતું હતું. ત્યારે એ વિષ ને શિવજી એ ગાળામાં ગ્રહણ કરીને બધાનું મૃત્યુ બચાવ્યું હતું. પરંતુ હલાહલ વિષ પીધા પછી શિવજી ને તેની હાની થતી હતી, ત્યારે કોઈ ઋષિ એ એને દૂધ ની સાથે બીલીપત્ર ખવડાવાની વાત કરી. અને દેવી દેવતાઓ એ એવું જ કર્યું અને શિવ ને આ ઉપાય થી ખુબ આરામ પ્રાપ્ત થયો. ત્યાર થી શિવજી ને દૂધ બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરુ થઇ ગઈ.
🕉️🙏આમ વામપંથીઓ અને ગેર હિંદુઓ ના msg થી બેહ્કવું નહિ અને આપણી સંકૃતિ પ્રમાણે જ દરેક કાર્ય ને અનુસરવું જ આપણા માટે શ્રેષ્ઠ છે.
🙏🌹આ સાથે મારો એક અલગ લેખ હતો જે અહી ફરીથી ઉમેરું છુ કે શિવજી ને કેવું અને કઈ રીતે દૂધ અર્પણ કરવું જોઈએ...
🕉️શિવલિંગ અને દુધાભીષેક
🕉️મહાદેવ ના શિવલિંગ ઉપર આપણે નિત્ય મંદિરોમાં જોતા હોઈએ છીએ કે તાંબાના લોટામાં, પ્લાસ્ટિકની બોટલમાં અને ઘણા મહાન શિવભક્તો તો વળી ડાયરેક્ટ કોથળીને દાંતથી તોડીને શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે.😢 અને આ દુધાભીષેક શ્રાવણ માસ માં તો ખુબજ જોવા મળે છે.
🙏તો આવા દરેક શિવભક્તો માટે ખરેખર મહાદેવને કેવું દૂધ અને કેવા પાત્રમાં અર્પણ કરવામાં આવે તેનો ઉલ્લેખ શિવપુરાણમાં ખૂબ જ સુંદર રીતે આલેખાયેલો જોવા મળે છે તે અવશ્ય જાણવા સમજવા જેવો છે.
🌹તો હવે જોઈએ કે શિવલિંગ ઉપર કેવું દૂધ અર્પણ થાય.?❓
🔺તો શિવલિંગ ઉપર ફક્ત ગાયનું દૂધ અર્પણ થાય છે.
🔺જે ગાયને સવારે સૂર્ય ઉદય પહેલા દોહી લેવામાં આવે તે દૂધ અર્પણ થઈ શકે છે.
🔺જે ગાઈને સાજે સૂર્ય અસ્ત થાય તે પહેલા દોહી લેવામાં આવે તેવી ગાયનું દૂધ અર્પણ થાય છે.
🔺જે ગાયનું વાછરડું નાનું હોય અને તે ગાઈ ને ધાવતું હોય તેવી ગાયનું દુધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાતું નથી. જ્યારે તે વાછરડું ઘાસ ખાતું થઈ જાય અને ગાયનું દૂધ પીતું બંધ થાય ત્યાર પછી જ તે ગાયનું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાય છે.
🔺ગરમ કરવામાં આવેલ દૂધ ને ક્યારેય પણ અર્પણ કરી શકાતું નથી.
🔺દૂધ ને ક્યારેય પણ તાંબાના લોટામાં,પાલસ્ટિક ની બોટલમાં કે ડાયરેક્ટ કોથરી થી અર્પણ કરી શકાય નહીં.
🔺દૂધ ને ફક્ત અને ફક્ત ચાંદી અથવા કાંસા ના લોટા/પાત્રમાં જ અર્પણ કરી શકાય છે.
🙏અને આ રીતે લાવેલ દૂધ અને યોગ્ય પાત્ર થી શિવલિંગ ઉપર અર્પણ કરવું તે ને જ ધારા પૂજા કહેવામાં આવે છે.
🙏માટે મહેરબાની કરીને કોથરીના દૂધ અને તાંબા ના લોટામાં દૂધ ની ધારા શિવલિંગ ઉપર કરશો નહિ અને દોષ ના ભાગીદાર બનશો નહી.
🙏મહાદેવ તમારા એક લોટા પાણી માં પણ રાજીનો રેડ થઈ જાય છે.
🙏આ માહિતી ને આપના સગા વ્હાલા મિત્ર મંડળ દરેક જગ્યા એ શેર કરવી જેથી યોગ્ય અભિષેક પૂજન શક્ય બને.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
શનિવાર, 2 જુલાઈ, 2022
કૃષ્ણ પ્રિય ફૂલ, કેવળ પુરાણ કથાઓનું ફૂલ, એટલે કદંબ
🌄સાંજ ની વેળા હતી ને વરસાદી વાતાવરણ હતું, મનમાં ઉમળકો જાગ્યો કે કુદરતસાનિધ્ય ના ખોળામાં થોડું વિહાર કરું...અને નજીક ના ખેતરો વિસ્તાર ની લીલોતરી વાડી રડ્યામણી જગ્યામાં ફરવા નીકળી પડ્યો..





