રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024

 🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?


શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે. 

શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?

 હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.


કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો