સોમવાર, 24 ફેબ્રુઆરી, 2025

    💎શિવ મહાપુરાણ💎


🕉️પાર્થિવ લિંગ પૂજા કર્યા વિના જે કોઈ બીજા દેવની પૂજા કરે છે, તેનાં પૂજા, ફળ તથા દાન આદિ સર્વ વૃથા છે. 

🕉️પાર્થિવ લિંગની સંખ્યા કામનાને અનુસરી કહેવામાં આવેલ છે. 

🕉️વિશેષ કરી આ સંખ્યા નિશ્ચયપૂર્વક અધિક ફળને આપનારી છે. 

પ્રથમ આવાહન તેમજ પ્રતિમાનું પૂજન તથા પ્રતિષ્ઠા કરવું જોઈએ. લિંગાકારની માફક આ સર્વ જુદું જુદું કરવું જોઈએ. 


🔺વિદ્યાર્થીએ સહસ્ત્ર પાર્થિવ લિંગ બનાવી, તેની પૂજા કરવી 

🔺 ધનની ઇચ્છાવાળા પાંચસો, 

🔺પુત્રાર્થીએ દોઢ હજાર શિવલિંગની પૂજા કરવી.

🔺મોક્ષની ઇચ્છાવાળા એક કરોડ, 

🔺પૃથ્વીની કામનાવાળા એક હજાર, 

🔺દયાની ઇચ્છાવાળા ત્રણ હજાર, 

🔺તીર્થની ઇચ્છાવાળા બે હજાર, 

🔺વશીકરણ ઇચ્છાવાળા સાતસો, 

🔺મોહનની ઇચ્છાવાળા સો, 

🔺ઉચ્ચાટવાળાએ એક હજાર, 

🔺સ્તંભન ઇચ્છાવાળા એક હજાર, 

🔺ડ્રેષવાળા પાંચસો, 

🔺બંધનમાંથી છૂટવાનો ઇચ્છાવાળા દોઢ હજાર, 

🔺રાજભય વાળા એ પાંચસો, 

🔺ડાકિની આદિ ભય વાળાએ પાંચસો, 

🔺દરિદ્રતા વાળા પાંચ હજાર તથા સર્વ પ્રકારની કામનાવાળા દસ હજાર પાર્થિવલિંગની પૂજા કરવી જોઈએ....


🙏🏻🕉️🙏🏻

એક લિંગ પાપને હરનાર, 

બે લિંગ અર્થની સિદ્ધિ કરનાર તથા ત્રણ લિંગ સર્વ કામનાના પરમ કારણ રૂપ કહેવાય છે. 


👏🏻બુદ્ધિમાન દશ હજાર પાર્થિવ લિંગ બનાવે તો તે નિર્ભય થઈ રાજ ના ભયથી દૂર થાય છે. 

👏🏻કારાગૃહ માંથી છૂટવા માટે દસ હજાર લિંગની પૂજા કરવી, 

👏🏻ડાકિની આદિના ભય વાળાએ સાત હજાર લિંગ બનાવવા. 

👏🏻પુત્ર નિમિત્ત પંચાવન હજાર લિંગનું પૂજન કરવું, 

👏🏻દસ હજાર લિંગનો પૂજન થી કન્યા રૂપી સંતાન થાય છે. દશ હજાર લિગના પૂજનથી વિષ્ણુના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા દસ હજાર લિંગના પૂજન વડે અતુલ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

🙏🏻જે મનુષ્ય એક કોટી લિંગની પૂજા કરે છે, તે શિવરૂપ થાય છે એમાં સંદેહ નથી. 

🙏🏻પાર્થિવ લિંગ પૂજા કોટિ યજ્ઞનું ફળ આપે છે. તે કામાર્થી મનુષ્યને નિત્ય ભક્તિ તથા મુક્તિ આપનાર છે, જેનો સમય લિગાર્ચન વિના વ્યતીત થાય છે, તે દુરાત્મા ને દુરવૃત્તિ વડે મોટી હાનિ થાય છે.


🕉️કળિયુગમાં લિંગાર્ચન જ શ્રેષ્ઠ કહ્યું છે. 

🕉️ચાર આંગળ ઊંચું, મનોહર તથા વેદીવાળું લિંગ ઉત્તમ કહ્યું છે. 

👏🏻આના કરતાં ઊંચું લિંગ મધ્યમ તથા તેથી અડધું અધમ છે. 

આ રીતે ઉત્તરોત્તર લિંગ ત્રણ પ્રકારનું કહ્યું છે.જે ભક્તિ તથા શ્રદ્ધાથી યુક્ત થઈ અનેક લિંગની પૂજન કરે છે, તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. 


લિંગની આરાધના કરવા સમાન ચારે વેદમાં કોઈ બીજું પુણ્ય નથી, તેમ શાસ્ત્રનો નિશ્ચય છે. 

🕉️બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર તેમજ બીજી જાતિએ પોતપોતાને અનુસરતા મંત્ર વડે આદરપૂર્વક લિંગ નું પૂજન કરવું. 

🕉️ સ્ત્રી તેમજ અન્ય જાતિ સર્વે શિવના પૂજન નો અધિકાર છે. 

🕉️બ્રાહ્મણ વૈદિક માર્ગથી પૂજન કરવું શ્રેષ્ઠ છે. બીજા પ્રાણી અને વેદ વડે પૂજનનો અધિકાર નથી. વૈદિક બ્રાહ્મણને વૈદિક માર્ગ વડે પૂજા કહી છે.

🕉️ શિવપૂજામાં ભસ્મનું ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કર્યા વગર શિવ પૂજા નિર્થક નીવડે છે, તથા દક્ષિણ તરફ પીઠ રાખી ઉત્તર તરફ મુખ રહે તે રીતે શિવપૂજન કરવું જોઈએ. 


🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543

🖥️https://www.instagram.com/

🖥️https://aadiomkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com

 _🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID_ 


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 


🙏🏻શિવલિંગ ઉપર એવા કયા દ્રવ્ય નું લેપન કરવા માત્ર થી દસ હજાર કરોડ મુદ્રા નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પ્રાપ્ત થઈ શકે 🌹


🙏🏻તો શાસ્ત્ર માં ઉલ્લેખ છે કે જયારે કોઈ જાતક શિવલિંગ ને શુદ્ધ માટી થી લેપન કરે છે અને પછી તેનું પૂજન કરે છે તેવા જાતકને “દસ હજાર કરોડ મુદ્રા” નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય શિવલિંગ ને શુદ્ધ માટી ના લેપન કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે.


❓હવે માટી કઈ અને કેવી લેવી ?? 

👏🏼તો.......બીલી ના વૃક્ષ નીચેની માટી, સેવન ના વૃક્ષ નીચે ની માટી,પીપડા ના વૃક્ષ નીચેની માટી, શમી ના વૃક્ષ નીચેની માટી, નદી ના કાંસ ની માટી, ખેતર ની માટી અથવા/અને ચીકણી માટી ને લઈને તેના નાના નાના કાંકરા અને ઢેભા ને ચારીને સરસ દળ જેવી (સ્મુધ) કરી તેમા શુદ્ધ પાણી અથવા ગંગાજળ ઉમેરી ને (મૃતિકા ઉબટન) આખા શિવલિંગ ઉપર લેપન કરવું જોઈએ, ત્યાર બાદ એકાદ ઘટી (૨૪ થી ૪૮ મિનીટ) ના સમય બાદ શુદ્ધ જળ થી સ્નાન કરાવી ને ચંદન લગાવી પૂજા ની પુર્ણાહુતી કરવી જોઈએ.


🙏🏻🕉️આ દેવોના દેવ મહાદેવ કેટલા ભોડ્યા અને સરળ છે કે નિર્ધન માં નિર્ધન અને ગરીબ માં ગરીબ જાતક પણ તેમની આ નાનકડી પૂજા કરી ને પણ દસ હજાર કરોડ મુદ્રા નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે ! તો તમે કેમ નહી ??   

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543

🖥️https://www.instagram.com/

🖥️https://aadiomkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com

 _🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID_ 


“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

ગુરુવાર, 17 ઑક્ટોબર, 2024

 સબરસ ની પૌરાણિક કથા


🌹દિવાળી ની શ્રેષ્ઠ તહેવાર હતો . દ્વારિકાનગરી માં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી  હીંચકા પર બેઠા હતા આનંદ ની પળો હતી. રુક્મણી ખુશ મિજાજ માં હતા. અચાનક રુક્ષમણી થી પુછાય ગયું કે " પ્રભુ આપ  મને કેટલો પ્રેમ કરો છો "? " હું તમને કેટલી વહાલી લાગુ છું "? અચાનક પૂછેલા પ્રશ્ન થી ભગવાન શ્રી કૃષ્ણ એ એવોજ ઉત્તર આપ્યો " તું મને મીઠા જેટલી વહાલી લાગે છે ". આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું " બસ મીઠા જેટલીજ મારી કિંમત કરી "? એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી શુકસ ચીજવસ્તુ સાથે મારી તુલના કરી .રિસાઈને હીંચકા પર થી ઉઠી ગયા ને પોતાના મહેલમાં જતા રહ્યા , ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્ષમણીજી ને સમજાવવા નું નક્કી કર્યું. જાતે રસોડામાં જઇ રુક્ષમણીજી ને ભાવતી રસોઈ બનાવા આદેશ કર્યો. અને કહ્યું કે વ્યાજન માં ક્યાંય મીઠું ન નાખશો . આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી સાથે જમવા બેઠા, થાળી પીરસવામાં આવી  રુક્ષમણીજી જેવો કોળિયો મોમાં મુક્યો મોઢું બગડી ગયું " આ શું છે? કોણે રસોઈ બનાવી ?" મીઠા વગર ની ગળે કેમ ઉતરે "?

ભગવાન બોલ્યા " રસોઈમાં માત્ર મીઠું જ નથી .. બાકી તો બધું તો  બરાબર છેને ?"એમાં શું થઈ ગયું "? 

રુક્ષમણીજી બોલ્યા " મીઠા વગર ની રસોઈ ગળે ન ઉતરે ". 

 ભગવાન બોલ્યા " હા હવે તમે બરાબર સમજ્યા .. હું મીઠા જેટલોજ તમને પ્રેમ કરું છું .અર્થાત મીઠા જેટલા વહાલા છો " . 

રુક્ષમણીજી ને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી " હવે આવી ભૂલ ક્યારેય  નહિ કરું મને માફ કરી દો ". 

મીઠાનું મહત્વ  જેમ મને સાંજવ્યું તેમ આવતીકાલે નુતનવર્ષ ના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓ ને મીઠાનીજ ભેટ અપશુ અને મીઠાનું મહત્વ સમજાવશું 

ભગવાને કહ્યું " આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખાશે .મીઠું શુકનવંતુ ગણાશે .નવાવર્ષ ની શરૂઆત માં સૌપ્રથમ મીઠાની ખરીદી કરશે . 

બસ ત્યારથી નુતનવર્ષ ના પ્રથમ દિવસે વહેલી સવાર થીજ સો ' સબરસ ' ની ખરીદી કરતા થયા છે. 

" શુભ શુકન સબરસ " 

" શુકન લ્યો શુકન " 

અવાજ સંભળાય તો જરૂર થી સબરસ લેજો 

આ પ્રથા ધીરેધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલું રખશું તો આવનારી પેઢી ને આપણી પરંપરા ને અનુસરશે ખરું ને !!

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 🔯ધન ની બહુ તકલીફ હોય તો

સ્કંદ પુરાણ નું વચન છે કે જે મનુષ્ય સાતમ, નોમ, અમાસ, રવિવાર અને ગ્રહણ ના દિવસો શિવાય ના અન્ય દિવસો માં આમળા નો રસ પોતાના શરીર માં લગાવવી ને સ્નાન કરે છે તેમના ગૃહમાં લક્ષ્મી આવે આવે અને આવે જ........  

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

 🍯દેવું કરી ને પણ ગાયનું ઘી ખાવું 

📜હા આપણા આયુર્વેદ શાસ્ત્ર નું આ સ્તંભ સૂત્ર છે.

🙇🏻‍♂️ચરક મુનિ ઘી ને સઘળા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણે છે. સુશ્રુત મુનિ ઘી ને પાપ અને દારિદ્ર નો નાશ કરનાર તેમજ વિષહર ગણે છે. વાગ્ભટ્ટજી  ઘી ને સંતાનદાતા અને યુવાની ટકાવી રાખનાર ગણે છે. આયુર્વેદના મત પ્રમાણે એક વર્ષ ઉપર નું જુનું ઘી ત્રણેય દોષને મટાડનાર તેમજ મૂર્છા, કોઢ, ઝેર, વાઇ અને તિમિરરોગનો નાશ કરનાર છે. જૂનું ઘી જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. તેમજ મૂર્છા, કોઢ,નેત્ર શુળ અને યોનીદોષમાં ફાયદાકારક છે.

ગાયનું દેશી ઘી ખાવાથી સ્નાયુઓ, હાડકાઓ મજબૂત થવાની સાથે પાચનતંત્ર પણ સરળ રહે છે, ઘી માત્ર સ્વાસ્થ્ય વર્ધક જ નહી પરંતુ સૌદર્યવર્ધક પણ છે અને તેમાં પણ જો ગીર ગાયનું ઘી આરોગવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે .

🕉️ધર્મની વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ જેવી કે પંચામૃત હવન વગેરેમાં પણ ઘીનો ઉપયોગ કરીને તેનું મહત્વ કહેવામાં આવ્યું છે. હવનમાં શુધ્ધ ઘીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા બેકટેરીયા સહિતના સુક્ષ્મ જીવોને નાશ થવાથી વાતાવરણનું શુધ્ધિકરણ થાય છે. ગાયના દુધ-ઘી વગેરેમાં રહેલા આવા અનેક ગુણકારી તત્વોને લઈને જુના જમાનામાં દુધને વલોવીને માખણ તારવ્યા બાદ વધતી છાસને વેચવી પાપ ગણાતી હતી અને હાલમાં પણ ગામડા વિસ્તારોમાં માલધારીઓ છાસ ના પૈસા ક્યારેય લેતા નથી. કાઠીયાવાડ બાજુ જાવ તો લગભગ દરેક હોટેલ માં જગ ભરી ને unlimited છાસ વિના મુલ્યે જ આપવામાં આવે છે.

🍯ગાયના ઘીમાંથી થતા દીવામાંથી નીકળતી કાળી મેસ પણ ગુણકારી મનાતી હોય અનેક લોકો આ મેસને આંખોમાં આંજણ તરીકે આંજે છે. ગાયના ઘીમાંથી બનેલા આ આંજણથી આંખની દ્રષ્ટિ વધતી હોવાનો આયુર્વેદાચાર્યો નો દાવો છે. શરીરના તમામ ભાગો માટે ગાયનું ઘી આરોગ્ય વર્ધક મનાતુ હોય તેનો ‘લીકવીડ ગોલ્ડ’ એટલે કે ‘સુવર્ણ પ્રવાહી’ માનવામાં આવે છે. નિયમિત ચોકકસ માત્રામાં ઘીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભાલાભો, થાય છે.

🍯હવે સૌથી વધુ ફાયદાકાર “ઘી” કઈ રીતે આરોગવું ????

🍯તો જે જાતક સવારે ઉઠી ને નરણા કોઠે એક ચમચી ગાય નું ઘી ખાય છે તેવા જાતક ને સાંધાના કોઈ દુખાવા ક્યારેય થતા નથી, કોઇપણ સાંધામાં ક્યારેય ઘસારો થતો નથી, શરીરના દરેક સાંધામાં એક ચીકણું લ્યુબ્રીકેંટ હોય છે જે ફક્ત અને ફક્ત ગાયના ઘી થીજ નિર્માણ પામે છે. આ શિવાયના અગણિત સ્વાસ્થ્ય વર્ધક લાભ ફક્ત ગાયના ઘી ને નરણા કોઠે આરોગવાથી થાય છે.

🍯આ સાથે જે જાતક રાત્રે સુતા સમયે પોતાની નાભી ની આસપાસ ગાયનું ઘી નું મર્દન/માલીશ ૫ જ મિનીટ કરે છે તેવા જાતક ને કેવા કેવા લાભ મળે તે માટે કવિની કલમે કંડારવું પડે.

એક જ ઉદા: આપું કે હાલનું સાયંસ શરીરમાં સુકાયેલી નશોને ફરી જીવંત કરવા સક્ષમ નથી. પરંતુ નાભિની આસપાસ ગાયના ઘી નું મર્દન કરવાથી શરીરની કોઇપણ નશ સુકાઈ ગઈ હોય તો પણ તે ફરી જીવંત થઇ શકે છે.  

🙏🏻બસ અહી ઘી એટલે ફક્ત ગાયના ઘી નિજ વાત થઇ છે અને તેમાં પણ દેશી ગાય ના ઘી ની વાત અને તેનાથી ઉચું અને ઉત્તમ ઘી ની વાત કરું તો ગીર ગાય નું ઘી છે, જો તે મળી જાય અને આરોગવાનું શરુ કરવામાં આવે તો સોને પે સુહાગા ની જેમ સ્વસ્થ્ય આયુષ્ય જીવાય તેમાં શંકા નહિ. 

🖥️https://omkarjyotish.com

🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543&mibextid=ZbWKwL

🖥️https://www.instagram.com/omkarjyotish555?igsh=MTFzZmhhYzRyaGlyMQ==

🖥️https://omkarjyotish.blogspot.com/

🖥️omkarjyotish555@gmail.com  

 🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID 

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏ૐ નમો નારાયણ🙏

✍️અલ્પેશ કે.ભટ્ટ

📱૮૦૦૦૫૮૩૯૩૯

રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024

 કઈ તારીખે કઈ તિથી નું શ્રાદ્ધ કરશો તેની સંપૂર્ણ માહિતી.



 🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?


શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે. 

શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?

 હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.


કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

 🙏🏻શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?


શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે. 

શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે?

 હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.


કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻

 🙏🏻શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું


🕉️ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.

🕉️ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ- આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

🕉️પાંચમનું શ્રાદ્ધ -આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

🕉️નોમનું શ્રાદ્ધ-આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

🕉️ચૌદશનું શ્રાદ્ધ-આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.

🕉️સર્વ પિતૃમોક્ષ અમાસ -કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”

🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻